AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના 85 કેસ, 24 કલાકમાં કોરોનાના વિક્રમી 3900 કેસ, મુંબઈમાં કોરોનાના 2,510 નવા કેસ

મુંબઈમાં બુધવારે કોરોના વાયરસના 2,510 નવા કેસ નોંધાયા છે. જ્યારે એક વ્યક્તિનું મોત થયું છે. આ સાથે 251 કોરોનામાંથી સ્વસ્થ થઈને પોતાના ઘરે ગયા છે.

મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના 85 કેસ, 24 કલાકમાં કોરોનાના વિક્રમી 3900 કેસ, મુંબઈમાં કોરોનાના 2,510 નવા કેસ
File Image
Bipin Prajapati
| Edited By: | Updated on: Dec 29, 2021 | 10:23 PM
Share

મહારાષ્ટ્ર (Maharashtra) રાજ્યમાં આજે એટલે કે બુધવારે ઓમિક્રોન (Omicron) વાયરસના નવા 85 કેસ નોંધાયા છે. આ સાથે મહારાષ્ટ્રમાં કોરોના વાયરસ (Corona virus)ના નવા 3900 કેસ નોંધાયા છે. જ્યારે આજે 20 લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યા છે. કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા 14,065 થઈ ગઈ છે.

બીજી તરફ મુંબઈમાં બુધવારે કોરોના વાયરસના 2510 નવા કેસ નોંધાયા છે. જ્યારે એક વ્યક્તિનું મોત થયું છે. આ સાથે 251 કોરોનામાંથી સ્વસ્થ થઈને પોતાના ઘરે ગયા છે. મંગળવારે મુંબઈમાં કોરોના વાયરસના 1377 નવા કેસ નોંધાયા હતા. મંગળવારની સરખામણીમાં આજનો આંકડો 82% વધ્યો છે. આ રીતે મહારાષ્ટ્રમાં કોરોનાના વધતા જતા કેસોને જોતા ત્રીજી લહેરનો ડર વધી ગયો છે.

સાવચેત રહેવાની જરૂર છે

છેલ્લા કેટલાક મહિનામાં મોટાભાગના દિવસોમાં 500થી ઓછા કેસ નોંધાયા છે. આ પછી હવે કેસમાં વધારો થઈ રહ્યો છે. ઠાકરેએ કહ્યું કે કેસ ઝડપથી વધી રહ્યા છે, પરંતુ આપણે ગભરાવાની જરૂર નથી, પરંતુ વધુ સાવચેત રહેવાની જરૂર છે. આ સાથે રસીકરણ અને માસ્ક લગાવવાની જરૂર છે.

31 ડિસેમ્બરે બંધ રહેશે જાહેર સ્થળો 

તેમણે વધુમાં કહ્યું કે આગામી 48 કલાકમાં BMC શહેરની તમામ શૈક્ષણિક સંસ્થાઓનો સંપર્ક કરીને 15થી 18 વર્ષની વયના બાળકો માટે સંગઠિત રસીકરણ અભિયાનનું આયોજન કરી રહી છે. મંત્રીએ કહ્યું કે અમે આરોગ્ય કર્મચારીઓ, ફ્રન્ટલાઈન કાર્યકરો અને વરિષ્ઠ નાગરિકોની યાદી પણ તૈયાર કરી રહ્યા છીએ, જેઓ કોરોના રસીના બૂસ્ટર ડોઝ લેવા માટે પાત્ર છે. ઠાકરેએ સાથે સાથે ઉમેર્યું કે 31 ડિસેમ્બરે શહેરના તમામ જાહેર સ્થળો બંધ રહેશે.

નિયમોના ઉલ્લંઘન સામે સખ્ત કાર્યવાહી 

તેમણે કહ્યું કે ફ્લાઈંગ સ્ક્વોડ, સીસીટીવી ફૂટેજની મદદથી નવા વર્ષની ઉજવણી દરમિયાન કોરોના ગાઈડલાઈન્સનું ઉલ્લંઘન કરતી સંસ્થાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમણે કહ્યું કે નિયમોનું ઉલ્લંઘન કરતી સંસ્થાઓને આગામી કેટલાક મહિનાઓ માટે સીલ કરવામાં આવશે.

હોસ્પિટલોમાં પથારીની ક્ષમતા વિશે બોલતા, ઠાકરેએ કહ્યું કે હાલમાં શહેરમાં 54,000 પથારીઓ ઉપલબ્ધ છે. તેમણે ટ્વીટ કર્યું કે અમે તમામ કોરોના કેર જમ્બો સેન્ટરોને મેડિકલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સુવિધાઓ સાથે તૈયાર રહેવા કહ્યું છે. કોરોના તપાસ અને ટ્રેસિંગ પ્રોટોકોલની પણ સમીક્ષા કરવામાં આવી છે.

આ પણ વાંચો: 31 ડિસેમ્બર અને નવા વર્ષના સ્વાગતને લઈને મહારાષ્ટ્ર સરકારની નવી માર્ગદર્શિકા જાહેર, મુંબઈના ઘણા વિસ્તારોમાં જવા પર પ્રતિબંધ

Follow Us
આણંદમાં ભારે વરસાદથી રસ્તાઓ પર ફરી વળ્યા પાણી!અનેક વિસ્તારો થયા જળમગ્ન
આણંદમાં ભારે વરસાદથી રસ્તાઓ પર ફરી વળ્યા પાણી!અનેક વિસ્તારો થયા જળમગ્ન
અમદાવાદમાં પાણી ભરાવા મામલે મેયરે કરી ધડ માથા વિનાની દલીલ- જુઓ Video
અમદાવાદમાં પાણી ભરાવા મામલે મેયરે કરી ધડ માથા વિનાની દલીલ- જુઓ Video
સાણંદમાં એક મહિનામાં ત્રીજી વખત દીપડાના પંજાના નિશાન, ગ્રામજનોમાં ભય
સાણંદમાં એક મહિનામાં ત્રીજી વખત દીપડાના પંજાના નિશાન, ગ્રામજનોમાં ભય
શું આ જ સ્માર્ટ સિટી છે? નારોલમાં તંત્રની બેદરકારીથી નાગરિકોમાં આક્રોશ
શું આ જ સ્માર્ટ સિટી છે? નારોલમાં તંત્રની બેદરકારીથી નાગરિકોમાં આક્રોશ
બનાસકાંઠામાં વરસાદ, પાલનપુર અને ડીસામાં ભરાયા પાણી ! Video
બનાસકાંઠામાં વરસાદ, પાલનપુર અને ડીસામાં ભરાયા પાણી ! Video
કલોલમાં વરસાદે ખોલી તંત્રની પોલ,અનેક વિસ્તારોમાં ભરાતા લોકો પરેશાન
કલોલમાં વરસાદે ખોલી તંત્રની પોલ,અનેક વિસ્તારોમાં ભરાતા લોકો પરેશાન
સરેરાશ 3 ઈંચ વરસાદથી અમદાવાદમાં ઠેર ઠેર ભરાયા પાણી
સરેરાશ 3 ઈંચ વરસાદથી અમદાવાદમાં ઠેર ઠેર ભરાયા પાણી
Breaking News : અમદાવાદમાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ
Breaking News : અમદાવાદમાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ
આજનું રાશિફળ: રોકાણથી લાભ, સંબંધોમાં મધુરતા
આજનું રાશિફળ: રોકાણથી લાભ, સંબંધોમાં મધુરતા
સુરતમાં સાયબર ફ્રોડ નેટવર્કનો પર્દાફાશ, બે આરોપીની ધરપકડ
સુરતમાં સાયબર ફ્રોડ નેટવર્કનો પર્દાફાશ, બે આરોપીની ધરપકડ
g clip-path="url(#clip0_868_265)">