AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CM ઉદ્ધવ ઠાકરેએ PM મોદીના બુસ્ટર ડોઝ આપવાના નિર્ણયનું કર્યું સ્વાગત, કહ્યું- અમે પણ કેબિનેટની બેઠકમાં આ અંગે કરી હતી ચર્ચા

સરકાર હેલ્થકેર વર્કર્સ અને ફ્રન્ટલાઈન વર્કર્સના જીવ સાથે કોઈ પણ પ્રકારનું જોખમ લેવા માંગતી નથી, વધતા કોરોના સંક્રમણ વચ્ચે આ તમામને પ્રીકોશન ડોઝ આપવાનું શરૂ કરવામાં આવશે. આ સાથે 15 વર્ષથી ઉપરના બાળકોને પણ રસીકરણ કાર્યક્રમમાં સામેલ કરવામાં આવ્યા છે.

CM ઉદ્ધવ ઠાકરેએ PM મોદીના બુસ્ટર ડોઝ આપવાના નિર્ણયનું કર્યું સ્વાગત, કહ્યું- અમે પણ કેબિનેટની બેઠકમાં આ અંગે કરી હતી ચર્ચા
Maharashtra CM Uddhav Thackeray (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 25, 2021 | 11:56 PM
Share

મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ (CM Uddhav Thackeray) બૂસ્ટર ડોઝ (Booster Dose)  આપવાના પીએમ મોદીના (PM Modi) નિર્ણયનું સ્વાગત કર્યું અને કહ્યું કે તેમણે કેબિનેટની બેઠકમાં (Cabinet Meeting)  પણ આ અંગે ચર્ચા કરી હતી. પર્યાવરણ પ્રધાન આદિત્ય ઠાકરેએ પણ 7 ડિસેમ્બરે એક પત્ર લખીને કેન્દ્રીય આરોગ્ય પ્રધાનને બાળકોને રસી આપવા અને બૂસ્ટર ડોઝ આપવા વિનંતી કરી હતી. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેનું કહેવું છે કે આ ઉપરાંત 15થી 18 વર્ષની વયના બાળકોને રસી આપવાથી ચોક્કસપણે વાયરસના ફેલાવાને રોકવામાં મદદ મળશે અને લાક્ષણિક બીમારીવાળા વરિષ્ઠ નાગરિકોને પણ બૂસ્ટર ડોઝથી ફાયદો થશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે ક્રિસમસની સાંજે રાષ્ટ્રને સંબોધન કર્યું અને દેશવ્યાપી કોરોના રસીકરણ કાર્યક્રમની વ્યૂહરચના લોકો સમક્ષ મૂકી. કોરોનાની સંભવિત ત્રીજી લહેર અને ઓમિક્રોનના ખતરા વચ્ચે કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે. વડાપ્રધાન મોદીએ તેમના સંબોધનમાં 15થી 18 વર્ષની વયજૂથના બાળકો તેમજ હેલ્થ કેર, ફ્રન્ટલાઈન વર્કર્સ અને 60 વર્ષથી વધુ ઉંમરના કોમોર્બિડિટીઝવાળા લોકોને કોરોના રસીના બૂસ્ટર ડોઝ લાગુ કરવાની જાહેરાત કરી છે.

60 વર્ષથી વધુ ઉંમરના લોકોને ઓમિક્રોનનું જોખમ વધારે 

પીએમ મોદીએ કહ્યું કે આ વર્ગના લોકોને કોરોના વાઈરસના નવા વેરીઅન્ટ ઓમિક્રોનથી વધુ જોખમ છે. આવી સ્થિતિમાં આ લોકોને 2022માં 10 જાન્યુઆરીથી કોરોના વેક્સીનનો પ્રિકોશન ડોઝ એટલે કે બૂસ્ટર ડોઝ આપવામાં આવશે. તેમણે કહ્યું છે કે હેલ્થકેર વર્કર્સ અને ફ્રન્ટલાઈન વર્કર્સને 10 જાન્યુઆરીથી પ્રિકોશન ડોઝ આપવાનું શરૂ કરવામાં આવશે.

એ વાત સ્પષ્ટ છે કે સરકાર હેલ્થ કેર વર્કર્સ અને ફ્રન્ટલાઈન વર્કર્સના જીવન સાથે કોઈપણ પ્રકારનું જોખમ લેવા માંગતી નથી, કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે આ તમામ લોકોને પ્રિકોશન ડોઝ આપવાનું શરૂ કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે આ નિર્ણય વૈજ્ઞાનિકો અને નિષ્ણાતોના ગહન ચિંતન બાદ લેવામાં આવ્યો છે. વડાપ્રધાન મોદીની આ જાહેરાતના થોડા કલાકો પહેલા DGCIએ 12 વર્ષથી વધુ ઉંમરના બાળકોને કોરોનાની રસી લગાવવાની મંજૂરી આપી હતી. ડીજીસીઆઈની મંજૂરીના થોડા કલાકો બાદ પીએમ મોદીએ રસીકરણ કાર્યક્રમમાં 15 વર્ષથી વધુ ઉંમરના બાળકોને પણ સામેલ કર્યા છે.

આ પણ વાંચો : Maharashtra Lockdown: ઓક્સિજનની માંગ અને દર્દીઓની સંખ્યામાં વધશે તો મહારાષ્ટ્રમાં લાગી શકે છે લોકડાઉન, આરોગ્ય પ્રધાને આપ્યા સંકેત 

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">