CM ઉદ્ધવ ઠાકરેએ PM મોદીના બુસ્ટર ડોઝ આપવાના નિર્ણયનું કર્યું સ્વાગત, કહ્યું- અમે પણ કેબિનેટની બેઠકમાં આ અંગે કરી હતી ચર્ચા

સરકાર હેલ્થકેર વર્કર્સ અને ફ્રન્ટલાઈન વર્કર્સના જીવ સાથે કોઈ પણ પ્રકારનું જોખમ લેવા માંગતી નથી, વધતા કોરોના સંક્રમણ વચ્ચે આ તમામને પ્રીકોશન ડોઝ આપવાનું શરૂ કરવામાં આવશે. આ સાથે 15 વર્ષથી ઉપરના બાળકોને પણ રસીકરણ કાર્યક્રમમાં સામેલ કરવામાં આવ્યા છે.

CM ઉદ્ધવ ઠાકરેએ PM મોદીના બુસ્ટર ડોઝ આપવાના નિર્ણયનું કર્યું સ્વાગત, કહ્યું- અમે પણ કેબિનેટની બેઠકમાં આ અંગે કરી હતી ચર્ચા
Maharashtra CM Uddhav Thackeray (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 25, 2021 | 11:56 PM

મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ (CM Uddhav Thackeray) બૂસ્ટર ડોઝ (Booster Dose)  આપવાના પીએમ મોદીના (PM Modi) નિર્ણયનું સ્વાગત કર્યું અને કહ્યું કે તેમણે કેબિનેટની બેઠકમાં (Cabinet Meeting)  પણ આ અંગે ચર્ચા કરી હતી. પર્યાવરણ પ્રધાન આદિત્ય ઠાકરેએ પણ 7 ડિસેમ્બરે એક પત્ર લખીને કેન્દ્રીય આરોગ્ય પ્રધાનને બાળકોને રસી આપવા અને બૂસ્ટર ડોઝ આપવા વિનંતી કરી હતી. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેનું કહેવું છે કે આ ઉપરાંત 15થી 18 વર્ષની વયના બાળકોને રસી આપવાથી ચોક્કસપણે વાયરસના ફેલાવાને રોકવામાં મદદ મળશે અને લાક્ષણિક બીમારીવાળા વરિષ્ઠ નાગરિકોને પણ બૂસ્ટર ડોઝથી ફાયદો થશે.

IPL વચ્ચે ક્રિકેટર મલિંગાએ પત્ની સાથે શેર કર્યો રોમેન્ટિક વીડિયો, જુઓ
પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે ક્રિસમસની સાંજે રાષ્ટ્રને સંબોધન કર્યું અને દેશવ્યાપી કોરોના રસીકરણ કાર્યક્રમની વ્યૂહરચના લોકો સમક્ષ મૂકી. કોરોનાની સંભવિત ત્રીજી લહેર અને ઓમિક્રોનના ખતરા વચ્ચે કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે. વડાપ્રધાન મોદીએ તેમના સંબોધનમાં 15થી 18 વર્ષની વયજૂથના બાળકો તેમજ હેલ્થ કેર, ફ્રન્ટલાઈન વર્કર્સ અને 60 વર્ષથી વધુ ઉંમરના કોમોર્બિડિટીઝવાળા લોકોને કોરોના રસીના બૂસ્ટર ડોઝ લાગુ કરવાની જાહેરાત કરી છે.

60 વર્ષથી વધુ ઉંમરના લોકોને ઓમિક્રોનનું જોખમ વધારે 

પીએમ મોદીએ કહ્યું કે આ વર્ગના લોકોને કોરોના વાઈરસના નવા વેરીઅન્ટ ઓમિક્રોનથી વધુ જોખમ છે. આવી સ્થિતિમાં આ લોકોને 2022માં 10 જાન્યુઆરીથી કોરોના વેક્સીનનો પ્રિકોશન ડોઝ એટલે કે બૂસ્ટર ડોઝ આપવામાં આવશે. તેમણે કહ્યું છે કે હેલ્થકેર વર્કર્સ અને ફ્રન્ટલાઈન વર્કર્સને 10 જાન્યુઆરીથી પ્રિકોશન ડોઝ આપવાનું શરૂ કરવામાં આવશે.

એ વાત સ્પષ્ટ છે કે સરકાર હેલ્થ કેર વર્કર્સ અને ફ્રન્ટલાઈન વર્કર્સના જીવન સાથે કોઈપણ પ્રકારનું જોખમ લેવા માંગતી નથી, કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે આ તમામ લોકોને પ્રિકોશન ડોઝ આપવાનું શરૂ કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે આ નિર્ણય વૈજ્ઞાનિકો અને નિષ્ણાતોના ગહન ચિંતન બાદ લેવામાં આવ્યો છે. વડાપ્રધાન મોદીની આ જાહેરાતના થોડા કલાકો પહેલા DGCIએ 12 વર્ષથી વધુ ઉંમરના બાળકોને કોરોનાની રસી લગાવવાની મંજૂરી આપી હતી. ડીજીસીઆઈની મંજૂરીના થોડા કલાકો બાદ પીએમ મોદીએ રસીકરણ કાર્યક્રમમાં 15 વર્ષથી વધુ ઉંમરના બાળકોને પણ સામેલ કર્યા છે.

આ પણ વાંચો : Maharashtra Lockdown: ઓક્સિજનની માંગ અને દર્દીઓની સંખ્યામાં વધશે તો મહારાષ્ટ્રમાં લાગી શકે છે લોકડાઉન, આરોગ્ય પ્રધાને આપ્યા સંકેત 

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">