AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nupur Sharma Statement on Paigambar: નુપુર શર્માના વિવાદાસ્પદ નિવેદનથી NSA અજીત ડોભાલ ‘દુઃખી’, કહ્યું દેશને જે રીતે રજૂ કરવામાં આવ્યો, તે સત્યથી દૂર છે

NSA અજીત ડોભાલે(Ajit Doval) નુપુર શર્મા (Nupur Sharma) કેસ પર કહ્યું છે કે તેનાથી આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચ્યું છે.

Nupur Sharma Statement on Paigambar: નુપુર શર્માના વિવાદાસ્પદ નિવેદનથી NSA અજીત ડોભાલ 'દુઃખી', કહ્યું દેશને જે રીતે રજૂ કરવામાં આવ્યો, તે સત્યથી દૂર છે
NSA Ajit Doval 'saddened' by Nupur Sharma's controversial statement, says the way the country was presented is far from the truth
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 22, 2022 | 8:19 AM
Share

Nupur Sharma Statement on Paigambar: બીજેપીના પૂર્વ પ્રવક્તા નુપુર શર્મા (Nupur Sharma)અને પયગંબર મોહમ્મદ (Prophet Muhammad) પર નવીન જિંદાલની હકાલપટ્ટી કરવામાં આવેલી ટિપ્પણીને લઈને ઉભા થયેલા વિવાદમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (National Security Advisor)નું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે આ વિવાદ (પ્રોફેટ મુહમ્મદ પંક્તિ)એ આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડ્યું છે કારણ કે તેણે દેશને એવી રીતે રજૂ કર્યો છે, જે સત્યથી દૂર છે. ડોભાલે મંગળવારે આપેલા ઈન્ટરવ્યુમાં આ વાત કહી છે. “તેણે ભારતની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડ્યું છે, જે રીતે ભારતને પ્રોજેકટ કરવામાં આવે છે અથવા તેની વિરુદ્ધ પ્રચાર કરવામાં આવે છે, તે વાસ્તવિકતાથી દૂર છે.

તેમને પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે શું પયગંબર પરના વિવાદને કારણે વિશ્વભરમાં થઈ રહેલા વિરોધને કારણે ભારતની પ્રતિષ્ઠાને નુકસાન થયું છે. આ પ્રશ્નના જવાબમાં તેમણે વધુમાં કહ્યું કે, ‘અમારે તેમની સાથે વાત કરીને તેમને મનાવવાની જરૂર છે. તમે જોશો કે અમે જ્યાં પણ ગયા છીએ, જ્યાં પણ અમે સંબંધિત લોકો સાથે વાત કરી છે, પછી ભલે તે દેશની અંદર હોય કે બહાર, અમે તેમને સમજાવવામાં સફળ રહ્યા છીએ. જ્યારે લોકો ભાવનાત્મક રીતે ઉશ્કેરાય છે, ત્યારે તેમનું વર્તન થોડું અસંગત બની જાય છે. 

શીખોને વિઝા અપાયા – ડોભાલ

ડોભાલે કહ્યું, “અમે શીખોને મોટી સંખ્યામાં વિઝા આપ્યા છે અને જેવી ફ્લાઈટ્સ ઉપલબ્ધ થશે, તેમાંથી કેટલીક પરત આવશે. અમે શીખોના આ મામલાને ખૂબ જ સહાનુભૂતિથી જોઈ રહ્યા છીએ. આ ખૂબ જ કમનસીબ ઘટના છે. અમે ત્યાં રહેતા શીખો અને હિંદુઓને ખાતરી આપી છે કે ભારત તેની પ્રતિબદ્ધતાને વળગી રહેશે. 2019થી કાશ્મીરના લોકોની વિચારસરણીમાં બદલાવ આવ્યો છે અને પાકિસ્તાન તરફની તેમની વિચારસરણીમાં બદલાવ આવ્યો છે.

 તેમણે વધુમાં કહ્યું, ‘જો આપણે આપણા હિતોનું રક્ષણ કરવું હશે તો આપણે નક્કી કરીશું કે ક્યારે, કોની સાથે, કયા આધારે શાંતિ સ્થાપવી છે. અમે પાકિસ્તાન સહિત અમારા પાડોશી દેશો સાથે સારા સંબંધો ઈચ્છીએ છીએ પરંતુ આતંકવાદ પ્રત્યે કોઈ સહનશીલતા નથી. ચીન માટે સ્પષ્ટ છે કે અમે કોઈપણ પ્રકારના ઉલ્લંઘનને સહન નહીં કરીએ. ચર્ચા દ્વારા સમસ્યાનો ઉકેલ લાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
g clip-path="url(#clip0_868_265)">