AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nuh Violence : નૂહ હિંસા પર સુપ્રીમ કોર્ટની લાલ આંખ, કેન્દ્ર અને 3 રાજ્ય સરકારો પાસેથી માંગ્યા જવાબ

હિંસાને કારણે હરિયાણાના 4 જિલ્લામાં હજુ પણ કલમ 144 લાગુ છે. પોલીસે લોકોને શાંતિ જાળવવા અપીલ કરી છે અને લોકોને પલાયન ના થવા પણ કહ્યું છે. બુધવારે આ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો અને ચીફ જસ્ટિસે તેની સુનાવણી કરી.

Nuh Violence : નૂહ હિંસા પર સુપ્રીમ કોર્ટની લાલ આંખ, કેન્દ્ર અને 3 રાજ્ય સરકારો પાસેથી માંગ્યા જવાબ
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 02, 2023 | 3:53 PM
Share

હરિયાણાના નૂહમાં હિંસાનો મામલો હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. સુપ્રીમ કોર્ટે સરકારને કહ્યું છે કે તે સુનિશ્ચિત કરે કે હિંસા કે દ્વેષપૂર્ણ ભાષણ ન થાય. અરજદાર વતી રેલી અને ભાષણો પર પ્રતિબંધ મૂકવાની માંગ કરવામાં આવી હતી. હરિયાણાના નૂહ અને અન્ય વિસ્તારોમાં તોફાનમાં અત્યાર સુધીમાં 6 લોકોના મોત થયા છે. એડવોકેટ સીયુ સિંહે આ મામલાને ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની સામે ઉઠાવ્યો હતો.

એડવોકેટ સીયુ સિંહે સુપ્રીમ કોર્ટ પાસે માંગ કરી છે કે, વારંવાર ઉશ્કેરણીજનક ભાષણો થઈ રહ્યા છે, અમારી માંગ રેલીઓ, પ્રદર્શનો, ભાષણો અને સભાઓ પર પ્રતિબંધ મૂકવાની છે. કોર્ટે પૂછ્યું કે કઈ રેલીમાં ઉશ્કેરણીજનક ભાષણો આપવામાં આવ્યા હતા.

સુપ્રિમ કોર્ટે સુનાવણી દરમિયાન કહ્યું કે, નફરતભર્યા ભાષણ પર બેંચનો નિર્ણય છે, અમે આદેશ આપી રહ્યા છીએ કે અપ્રિય ભાષણ ન હોવું જોઈએ. આ તંત્ર અને સરકાર સુનિશ્ચિત કરે. સુપ્રીમ કોર્ટનું કહેવું છે કે સરકારે એ સુનિશ્ચિત કરવું જોઈએ કે કોઈ હિંસા કે દ્વેષપૂર્ણ ભાષણ ન થાય. હવે અમે શુક્રવારે આ મામલે સુનાવણી કરીશું.

કોર્ટે કહ્યું કે અમે અખબારોમાં જોયું છે, ઘણી જગ્યાએ હિંસા થઈ છે. કોર્ટે કહ્યું છે કે જો વધારાની પોલીસ ફોર્સ તૈનાત કરવાની જરૂર હોય તો તેને તૈનાત કરો, સીસીટીવી અને વીડિયો રેકોર્ડ રાખો. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર, દિલ્હી, હરિયાણા અને યુપી સરકારોને નોટિસ પાઠવી છે.

સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારોને આદેશ આપ્યો છે કે તેઓ સુનિશ્ચિત કરે કે સુપ્રીમ કોર્ટના 21 ઓક્ટોબર, 2022ના ચુકાદા (દ્વેષયુક્ત ભાષણ) ની માર્ગદર્શિકાનું પાલન કરવામાં આવે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે અપ્રિય ભાષણ પર 11 સભ્યોની બેન્ચનો નિર્ણય છે.

દિલ્હી NCRમાં VHP અને બજરંગ દળની રેલીઓ પર પ્રતિબંધ નહી

જો કે, સુપ્રીમ કોર્ટે દિલ્હી-એનસીઆરમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના પ્રદર્શનો પર પ્રતિબંધ મૂકવાનો ઇનકાર કર્યો હતો. દિલ્હીમાં રહેતી શાહીન અબ્દુલ્લાએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને દિલ્હી-એનસીઆરમાં અલગ-અલગ સ્થળોએ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના પ્રદર્શનો પર પ્રતિબંધ લગાવવાની માંગ કરી હતી. સીયુ સિંહે કહ્યું કે નુહમાં હિંસા બાદ હરિયાણામાં સ્થિતિ ખરાબ છે. દિલ્હીમાં 23 જગ્યાએ દેખાવો થઈ રહ્યા છે. જેના કારણે અહીં પણ સ્થિતિ વણસી શકે છે.

અરજીમાં કહેવામાં આવ્યું હતું કે આ રેલીઓ દિલ્હી હરિયાણા બોર્ડર, લાજપત નગર, મયુર વિહાર, મુખર્જી નગર, નરેલા, નજફગઢ, તિલક નગર, નાંગલોઈ, આંબેડકર નગર, કરોલ બાગ, હરિયાણાના માનેસર અને નોઈડાના સેક્ટર 21A ખાતે યોજાવાની છે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
10 જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી
10 જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી
વિદેશીઓની અમદાવાદ યાત્રા,મેટ્રો, ગુજરાતી મજેદાર થાળીનો માણ્યો આનંદ
વિદેશીઓની અમદાવાદ યાત્રા,મેટ્રો, ગુજરાતી મજેદાર થાળીનો માણ્યો આનંદ
તમારી રચનાત્મક શક્તિ આજે અપાવશે મોટું માન-સન્માન અને આર્થિક ફાયદો
તમારી રચનાત્મક શક્તિ આજે અપાવશે મોટું માન-સન્માન અને આર્થિક ફાયદો
અદાણી ગ્રુપ: ગ્લોબલ પોર્ટ્સ અને એજ્યુકેશનમાં નવો માઈલસ્ટોન!
અદાણી ગ્રુપ: ગ્લોબલ પોર્ટ્સ અને એજ્યુકેશનમાં નવો માઈલસ્ટોન!
વેધર અપડેટ: અમદાવાદમાં અષાઢી માહોલ!
વેધર અપડેટ: અમદાવાદમાં અષાઢી માહોલ!
ગુજરાતમાં ભર ઉનાળે ત્રાટક્યું મિનિ વાવાઝોડું
ગુજરાતમાં ભર ઉનાળે ત્રાટક્યું મિનિ વાવાઝોડું
દ્વારકા જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ, ભારે પવનમાં ઉડી ગઈ રાઈડ્સ
દ્વારકા જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ, ભારે પવનમાં ઉડી ગઈ રાઈડ્સ
કચ્છમાં તોફાની પવન સાથે કમોસમી વરસાદ, વાગડમાં વિસ્તારમાં પડ્યા કરા
કચ્છમાં તોફાની પવન સાથે કમોસમી વરસાદ, વાગડમાં વિસ્તારમાં પડ્યા કરા
પેટા પ્રશ્નોની અંદર પૂરતી માહિતીના અભાવે મંત્રીઓ ગૂંચવાઈ જતા CM નારાજ
પેટા પ્રશ્નોની અંદર પૂરતી માહિતીના અભાવે મંત્રીઓ ગૂંચવાઈ જતા CM નારાજ
કચ્છમાં મિની વાવાઝોડા સાથે ઝરમર વરસાદ, વીજ પુરવઠો ખોરવાયો
કચ્છમાં મિની વાવાઝોડા સાથે ઝરમર વરસાદ, વીજ પુરવઠો ખોરવાયો
g clip-path="url(#clip0_868_265)">