નથી નોકરીની તલાશ, નથી ખેતીમાં નુકસાન, નથી કોઈ હિંદુ-મુસ્લિમ વિવાદ છતાં પણ લોકો છોડી રહ્યાં છે પોતાના ગામને, જાણો કેમ?
તામિલનાડુ એક ગામ સિરકાઝીમાં લોકો પોતાના ઘરને છોડીને જઈ રહ્યાં છે.આ ગામમાં લોકોને નોકરીની તલાશ નથી, કોઈ ખેતીમાં પણ નુકસાન થયું નથી અને હિંદુ-મુસ્લિમ જેવો કોઈ વિવાદ પણ નથી. આ ગામના લોકોનું ઘર છોડવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે. સામાન્ય રીતે જ્યારે પણ જંગલી પ્રાણીઓનો આતંક વધી જાય ત્યારે વનવિભાગ જે-તે પ્રાણીને દબોચવા કમર કસતું […]
તામિલનાડુ એક ગામ સિરકાઝીમાં લોકો પોતાના ઘરને છોડીને જઈ રહ્યાં છે.આ ગામમાં લોકોને નોકરીની તલાશ નથી, કોઈ ખેતીમાં પણ નુકસાન થયું નથી અને હિંદુ-મુસ્લિમ જેવો કોઈ વિવાદ પણ નથી. આ ગામના લોકોનું ઘર છોડવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે.
સામાન્ય રીતે જ્યારે પણ જંગલી પ્રાણીઓનો આતંક વધી જાય ત્યારે વનવિભાગ જે-તે પ્રાણીને દબોચવા કમર કસતું હોય છે. તામિલનાડુના સિરકાઝી ગામમાં એક વાંદરાએ ત્રાસ મચાવી દીધો છે અને તેના લીધે લોકોને પોતાના ઘર છોડવાનો વારો આવ્યો છે. આ વાંદરો અવારનવારે ગામ લોકોને બચકાં ભરી લે છે અને ઘાયલ કરી નાંખે છે. ગામમાં બાળકો પણ આ વાંદરાથી ડરી રહ્યાં છે.
વાંદરાનો ત્રાસ એટલો વધી ગયો છે કે તેણે એક જ અઠવાડિયામાં પાલતુ-પ્રાણીઓ સહિત ગામના 12 લોકોને નુકસાન પહોંચાડ્યું છે. આ વાંદરો મોટેભાગે બચકાં ભરીને ભાગી જાય છે. વાંદરાના આ ત્રાસથી ગામના લોકો ભયભીત થઈ ગયા છે.
વાંદરાને પકડી લેવા માટે લોકોએ હવે આંદોલન કરી દીધું છે. લોકો પોતાના ગામથી સાત કિલોમીટર દૂર આવેલી વનવિભાગની ઓફિસમાં ચાલીને ગયાં હતા. વનવિભાગે પણ હવે પશુ-ચિકિત્સકોને બોલાવીને વાંદરાને બેભાન કરીને પકડવા મદદ માગી છે. અધિકારીઓ દ્વારા આશ્વાસન મળ્યાં પછી જ ગામના લોકો પોતાના ઘરે પરત ફર્યા હતા. આમ આ વાંદરાના લીધે લોકોને પોતાનું જ ગામ છોડવાનો વારો આવી ગયો!
[yop_poll id=”999″]