AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગેંગસ્ટર-ટેરર નેટવર્ક સામે NIAની મોટી કાર્યવાહી, યુપી-પંજાબ સહિત 6 રાજ્યોના 51 સ્થળો પર દરોડા

નેશનલ સિક્યોરિટી એજન્સી (NIA) એ ગેંગસ્ટર-ટેરર નેટવર્ક સામે મોટી કાર્યવાહી કરી છે. તપાસ એજન્સીએ બુધવારે સવારે પંજાબ, હરિયાણા, રાજસ્થાન, દિલ્હી-એનસીઆર, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં 51 સ્થળોએ એક સાથે દરોડા પાડ્યા છે. આ દરોડા લોરેન્સ બંબીહા અને અર્શ દલ્લા ગેંગના સહયોગીઓ સાથે સંકળાયેલા સ્થળો પર કરવામાં આવી રહ્યા છે.

ગેંગસ્ટર-ટેરર નેટવર્ક સામે NIAની મોટી કાર્યવાહી, યુપી-પંજાબ સહિત 6 રાજ્યોના 51 સ્થળો પર દરોડા
raids on 51 locations in 6 states including UP Punjab
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 27, 2023 | 11:03 AM
Share

NIAએ ગેંગસ્ટર-ટેરર નેટવર્કનો ખાત્મો કરવા માટે મોટી કાર્યવાહી હાથ ધરી છે. NIAએ પાંચ રાજ્યોમાં 50 જગ્યાએ દરોડા પાડ્યા છે. જે રાજ્યોમાં NIAની આ કાર્યવાહી ચાલી રહી છે તેમાં ઉત્તર પ્રદેશ, હરિયાણા, રાજસ્થાન, પંજાબ અને દિલ્હી-NCRનો સમાવેશ થાય છે. આવી કાર્યવાહી કરીને NIA ગેંગસ્ટર-ટેરર નેટવર્ક વચ્ચેની કડી ખતમ કરવા માંગે છે. જેથી આવા આતંકવાદીઓને પ્રોત્સાહન ન મળે.

નેશનલ સિક્યોરિટી એજન્સી (NIA) એ ગેંગસ્ટર-ટેરર નેટવર્ક સામે મોટી કાર્યવાહી કરી છે. તપાસ એજન્સીએ બુધવારે સવારે પંજાબ, હરિયાણા, રાજસ્થાન, દિલ્હી-એનસીઆર, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં 51 સ્થળોએ એક સાથે દરોડા પાડ્યા છે. આ દરોડા લોરેન્સ બંબીહા અને અર્શ દલ્લા ગેંગના સહયોગીઓ સાથે સંકળાયેલા સ્થળો પર કરવામાં આવી રહ્યા છે. પંજાબમાં લગભગ 30 અને હરિયાણામાં 4 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હોવાના અહેવાલ છે. NIAની એક ટીમ ભટિંડામાં ગુરપ્રીત સિંહ નામના વ્યક્તિના ઘરે પહોંચી છે. આ કાર્યવાહીને ખાલિસ્તાની આતંકવાદીઓની સાંઠગાંઠ સાથે જોડવામાં આવી રહી છે.

પન્નુની સંપત્તિ કરાઈ જપ્ત

તમને જણાવી દઈએ કે છેલ્લા કેટલાક દિવસોથી NIA આવા લોકો વિરુદ્ધ કાર્યવાહી કરી રહી છે જેઓ કોઈને કોઈ માધ્યમથી આતંકવાદીઓ અને અલગતાવાદીઓને સમર્થન આપે છે. થોડા દિવસો પહેલા જ NIAએ ખાલિસ્તાની આતંકવાદી અને શીખ ફોર જસ્ટિસ (SFJ)ના વડા ગુરપતવંત સિંહ પન્નુ વિરુદ્ધ કડક કાર્યવાહી કરી હતી. NIAએ શનિવારે ચંદીગઢ અને અમૃતસરમાં પ્રતિબંધિત સંગઠન ‘શીખ ફોર જસ્ટિસ’ના વડા ગુરપતવંત સિંહ પન્નુની સ્થાવર મિલકતો જપ્ત કરી હતી. સત્તાવાર સૂત્રોએ આ માહિતી આપી. તેણે કહ્યું હતું કે ચંદીગઢમાં ખાલિસ્તાન સમર્થક પન્નુના ઘરની બહાર અને અમૃતસરમાં ખેતીની જમીનની નજીક સંપત્તિ જપ્ત કરવા અંગેની નોટિસ લગાવવામાં આવી છે. આ કાર્યવાહી ગેરકાયદેસર પ્રવૃતિ નિવારણ અધિનિયમ હેઠળ કરવામાં આવી હતી.

પન્નુ NIAના રડાર પર હતો

પન્નુ 2019 થી NIAના રડાર પર હતા, જ્યારે આતંકવાદ વિરોધી એજન્સીએ તેની સામે પહેલો કેસ નોંધ્યો હતો. તેની ધમકીઓ અને ધાકધમકી વ્યૂહરચના દ્વારા, પન્નુ આતંકવાદી કૃત્યો અને પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવા અને ચલાવવામાં તેમજ પંજાબ અને દેશના અન્ય સ્થળોએ ભય અને આતંક ફેલાવવામાં મુખ્ય ભૂમિકા ભજવતો હતો.

પન્નુ પર ઘણા ગંભીર આરોપો હતા

NIAની તપાસમાં બહાર આવ્યું છે કે પન્નુની સંસ્થા શીખ ફોર જસ્ટિસ નિર્દોષ યુવાનોને કટ્ટરપંથી બનાવવા અને આતંકવાદી ગુનાઓ અને પ્રવૃત્તિઓ માટે ઉશ્કેરવા માટે સાયબર સ્પેસનો દુરુપયોગ કરી રહી છે. શીખ ફોર જસ્ટિસને 2019માં જ ભારત સરકાર દ્વારા ‘ગેરકાયદેસર સંગઠન’ જાહેર કરવામાં આવ્યું હતું.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
1 જ રસોડામાં 3 અલગ સિલિન્ડર રાખવા પાછળનું શું છે સત્ય?
1 જ રસોડામાં 3 અલગ સિલિન્ડર રાખવા પાછળનું શું છે સત્ય?
સાવરકુંડલા: કમરતોડ મહેનત કરી વાવેલા પાકને ખેડૂતોએ કરી દીધો પશુના હવાલે
સાવરકુંડલા: કમરતોડ મહેનત કરી વાવેલા પાકને ખેડૂતોએ કરી દીધો પશુના હવાલે
મા અંબાના ધામમાં 5 મીટરથી મોટી ધજા માતાજીના ચરણોમાં જ અર્પણ કરવી પડશે
મા અંબાના ધામમાં 5 મીટરથી મોટી ધજા માતાજીના ચરણોમાં જ અર્પણ કરવી પડશે
ભાવનગર: ત્રણ વર્ષની કારમી મંદીના માર બાદ હીરા ઉદ્યોગમાં તેજીનો ચળકાટ
ભાવનગર: ત્રણ વર્ષની કારમી મંદીના માર બાદ હીરા ઉદ્યોગમાં તેજીનો ચળકાટ
શીતલ રેસ્ટોરન્ટમાં સડેલું ભોજન મળ્યું, છતાં ફૂડ સેમ્પલ ધારાધોરણ મુજબના
શીતલ રેસ્ટોરન્ટમાં સડેલું ભોજન મળ્યું, છતાં ફૂડ સેમ્પલ ધારાધોરણ મુજબના
અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયો રૂ.5 કરોડનો હાઈડ્રોપોનિક ગાંજો
અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયો રૂ.5 કરોડનો હાઈડ્રોપોનિક ગાંજો
નર્મદા ડેમમાં પાણીની આવક વધી, 24 કલાકમાં જળસપાટીમાં 12 સેમીનો વધારો
નર્મદા ડેમમાં પાણીની આવક વધી, 24 કલાકમાં જળસપાટીમાં 12 સેમીનો વધારો
વરસાદની ઘટથી ગુજરાતમાં વધી ચિંતા, ખેડૂતો પરેશાન ! Video
વરસાદની ઘટથી ગુજરાતમાં વધી ચિંતા, ખેડૂતો પરેશાન ! Video
આજે આર્થિક સ્થિતિ મજબૂત બનશે પ્રોપર્ટીથી ભાગીદારી સુધી ક્યા મળશે ફાયદો
આજે આર્થિક સ્થિતિ મજબૂત બનશે પ્રોપર્ટીથી ભાગીદારી સુધી ક્યા મળશે ફાયદો
કલાકો લાઈનમાં ઉભા રહ્યા બાદ ખંભાળિયાના ખેડૂતોને ઘાસચારો ન મળતા રોષ
કલાકો લાઈનમાં ઉભા રહ્યા બાદ ખંભાળિયાના ખેડૂતોને ઘાસચારો ન મળતા રોષ
g clip-path="url(#clip0_868_265)">