AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભારતના આ શહેરમાં વિશ્વનું સૌથી મોટું જૈન તીર્થ મંદિર બનશે, 216 ફૂટ ઊંચું અને 324 મૂર્તિઓ સ્થાપિત કરાશે!

આવનારા 5 વર્ષમાં, ભારતના આ શહેરમાં વિશ્વનું સૌથી મોટું જૈન તીર્થ મંદિર બનાવવામાં આવશે. મંદિર નિર્માણ સમિતિનો દાવો છે કે, આટલું મોટું અને ભવ્ય મંદિર અત્યાર સુધી વિશ્વમાં ક્યાંય બનાવવામાં આવ્યું નથી.

ભારતના આ શહેરમાં વિશ્વનું સૌથી મોટું જૈન તીર્થ મંદિર બનશે, 216 ફૂટ ઊંચું અને 324 મૂર્તિઓ સ્થાપિત કરાશે!
| Updated on: Jun 02, 2025 | 5:02 PM
Share

આગામી 5 વર્ષમાં, ભારતના આ શહેરમાં વિશ્વનું સૌથી મોટું જૈન તીર્થ મંદિર બનાવવામાં આવશે. મંદિર નિર્માણ સમિતિનો દાવો છે કે, આટલું મોટું મંદિર અત્યાર સુધી વિશ્વમાં ક્યાંય બનાવવામાં આવ્યું નથી.

મધ્યપ્રદેશને ભારતનું હૃદય કહેવામાં આવે છે. મધ્યપ્રદેશની સંસ્કૃતિ, વારસો, ઇતિહાસ, કપડાં, પરંપરા અને ત્યાંનો ખોરાક તેને બીજા રાજ્યોથી અલગ બનાવે છે. અહીં ધાર્મિક સ્થળોથી લઈને હિલ સ્ટેશનો સુધીના ઘણા સ્થળો એવા છે કે જોવાલાયક છે. એકવાર જો પ્રવાસીઓ અહીંયા પગ મૂકી દે તો પછી પાછું જવાનું નામ નથી લેતા.

હવે આનાથી પણ અદભૂત વાત તો એ કે મધ્યપ્રદેશ ફરી એકવાર ચર્ચામાં આવશે. વાત એમ છે કે, આગામી 5 વર્ષમાં મધ્યપ્રદેશના સાગર જિલ્લામાં વિશ્વનું સૌથી મોટું જૈન તીર્થ મંદિર બનાવવામાં આવશે. મંદિર નિર્માણ સમિતિનો દાવો છે કે, આટલું મોટું મંદિર અત્યાર સુધી દુનિયામાં ક્યાંય બન્યું નથી.

આગામી 5 વર્ષમાં તૈયાર

આ મંદિરનું નિર્માણ કાર્ય 9 વર્ષથી ચાલી રહ્યું છે. જણાવી દઈએ કે, મંદિરનું નિર્માણ જૈન મુનિ આચાર્ય વિદ્યાસાગરના આશીર્વાદથી વર્ષ 2016માં શરૂ કરવામાં આવ્યું હતું. મંદિર નિર્માણ સમિતિના જણાવ્યા અનુસાર, આગામી 5 વર્ષમાં આ મંદિર તૈયાર થઈ જશે. આ મંદિરના નિર્માણ માટે રાજસ્થાન અને ગુજરાતના લાલ અને પીળા પથ્થરોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

મંદિર સમિતિના સભ્યની માહિતી અનુસાર, મંદિરમાં 11 લાખ ઘન ફૂટ પથ્થરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જણાવી દઈએ કે, આ પથ્થરનો ઉપયોગ અયોધ્યા મંદિર અને કુંડલપુરના જૈન મંદિરમાં પણ કરવામાં આવ્યો હતો.

324 મૂર્તિઓ અને ટોચ 216 ફૂટ ઊંચી

આ મંદિરમાં લગભગ 324 મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવશે અને આની ટોચ 216 ફૂટ ઊંચી હશે. આ મંદિર અંગે આચાર્ય વિદ્યાસાગરે કહ્યું હતું કે, આ મંદિરથી જ્યાં સુધી શિખર દેખાશે ત્યાં સુધીના વાસ્તુ દોષો આપમેળે દૂર થઈ જશે.

મંદિરની વિશેષતા વિશે વાત કરીએ તો, અહીં 12 મૂળ નાયક અને 12 વિધિ નાયક દેવતાઓ બિરાજમાન થશે. આના દરેક ખંડની ઊંચાઈ લગભગ 40 ફૂટ જેટલી હશે. મંદિરની સામે પૂર્વ દિશામાં સહસ્ત્ર જિનાલયનું પણ નિર્માણ કરવામાં આવશે.

દેશ અને દુનિયાના તમામ સમાચારો વાંચવા માટે અહીં ક્લિક કરો

ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">