AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભારતના આ શહેરમાં વિશ્વનું સૌથી મોટું જૈન તીર્થ મંદિર બનશે, 216 ફૂટ ઊંચું અને 324 મૂર્તિઓ સ્થાપિત કરાશે!

આવનારા 5 વર્ષમાં, ભારતના આ શહેરમાં વિશ્વનું સૌથી મોટું જૈન તીર્થ મંદિર બનાવવામાં આવશે. મંદિર નિર્માણ સમિતિનો દાવો છે કે, આટલું મોટું અને ભવ્ય મંદિર અત્યાર સુધી વિશ્વમાં ક્યાંય બનાવવામાં આવ્યું નથી.

ભારતના આ શહેરમાં વિશ્વનું સૌથી મોટું જૈન તીર્થ મંદિર બનશે, 216 ફૂટ ઊંચું અને 324 મૂર્તિઓ સ્થાપિત કરાશે!
| Updated on: Jun 02, 2025 | 5:02 PM
Share

આગામી 5 વર્ષમાં, ભારતના આ શહેરમાં વિશ્વનું સૌથી મોટું જૈન તીર્થ મંદિર બનાવવામાં આવશે. મંદિર નિર્માણ સમિતિનો દાવો છે કે, આટલું મોટું મંદિર અત્યાર સુધી વિશ્વમાં ક્યાંય બનાવવામાં આવ્યું નથી.

મધ્યપ્રદેશને ભારતનું હૃદય કહેવામાં આવે છે. મધ્યપ્રદેશની સંસ્કૃતિ, વારસો, ઇતિહાસ, કપડાં, પરંપરા અને ત્યાંનો ખોરાક તેને બીજા રાજ્યોથી અલગ બનાવે છે. અહીં ધાર્મિક સ્થળોથી લઈને હિલ સ્ટેશનો સુધીના ઘણા સ્થળો એવા છે કે જોવાલાયક છે. એકવાર જો પ્રવાસીઓ અહીંયા પગ મૂકી દે તો પછી પાછું જવાનું નામ નથી લેતા.

હવે આનાથી પણ અદભૂત વાત તો એ કે મધ્યપ્રદેશ ફરી એકવાર ચર્ચામાં આવશે. વાત એમ છે કે, આગામી 5 વર્ષમાં મધ્યપ્રદેશના સાગર જિલ્લામાં વિશ્વનું સૌથી મોટું જૈન તીર્થ મંદિર બનાવવામાં આવશે. મંદિર નિર્માણ સમિતિનો દાવો છે કે, આટલું મોટું મંદિર અત્યાર સુધી દુનિયામાં ક્યાંય બન્યું નથી.

આગામી 5 વર્ષમાં તૈયાર

આ મંદિરનું નિર્માણ કાર્ય 9 વર્ષથી ચાલી રહ્યું છે. જણાવી દઈએ કે, મંદિરનું નિર્માણ જૈન મુનિ આચાર્ય વિદ્યાસાગરના આશીર્વાદથી વર્ષ 2016માં શરૂ કરવામાં આવ્યું હતું. મંદિર નિર્માણ સમિતિના જણાવ્યા અનુસાર, આગામી 5 વર્ષમાં આ મંદિર તૈયાર થઈ જશે. આ મંદિરના નિર્માણ માટે રાજસ્થાન અને ગુજરાતના લાલ અને પીળા પથ્થરોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

મંદિર સમિતિના સભ્યની માહિતી અનુસાર, મંદિરમાં 11 લાખ ઘન ફૂટ પથ્થરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જણાવી દઈએ કે, આ પથ્થરનો ઉપયોગ અયોધ્યા મંદિર અને કુંડલપુરના જૈન મંદિરમાં પણ કરવામાં આવ્યો હતો.

324 મૂર્તિઓ અને ટોચ 216 ફૂટ ઊંચી

આ મંદિરમાં લગભગ 324 મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવશે અને આની ટોચ 216 ફૂટ ઊંચી હશે. આ મંદિર અંગે આચાર્ય વિદ્યાસાગરે કહ્યું હતું કે, આ મંદિરથી જ્યાં સુધી શિખર દેખાશે ત્યાં સુધીના વાસ્તુ દોષો આપમેળે દૂર થઈ જશે.

મંદિરની વિશેષતા વિશે વાત કરીએ તો, અહીં 12 મૂળ નાયક અને 12 વિધિ નાયક દેવતાઓ બિરાજમાન થશે. આના દરેક ખંડની ઊંચાઈ લગભગ 40 ફૂટ જેટલી હશે. મંદિરની સામે પૂર્વ દિશામાં સહસ્ત્ર જિનાલયનું પણ નિર્માણ કરવામાં આવશે.

દેશ અને દુનિયાના તમામ સમાચારો વાંચવા માટે અહીં ક્લિક કરો

સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
ગુજરાતમાં પડશે ગાત્રો થીજવતી ઠંડી
ગુજરાતમાં પડશે ગાત્રો થીજવતી ઠંડી
g clip-path="url(#clip0_868_265)">