NDAના ઘટકદળોની બેઠકમાં પીએમ મોદીનો વિપક્ષ પર કટાક્ષ, EVM જીવે છે કે મરી ગયુ!- વાંચો

NDAની સંસદીય દળની બેઠકમાં પીએમ મોદીને સર્વાનુમતીથી સંસદીય દળના નેતા ચૂંટવામાં આવ્યા છે. આ દરમિયાન પીએમ મોદીએ ચૂંટણી પરિણામો અંગે વિપક્ષ પર કટાક્ષ કર્યો. પીએમએ કહ્યુ પરિણામો બાદ મારો પહેલો સવાલ એ હતો કે EVM જીવે છે કે મરી ગયુ?

NDAના ઘટકદળોની બેઠકમાં પીએમ મોદીનો વિપક્ષ પર કટાક્ષ, EVM જીવે છે કે મરી ગયુ!- વાંચો
Follow Us:
| Updated on: Jun 07, 2024 | 3:54 PM

દેશમાં ફરી એકવાર નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં NDAની સરકાર બનવા જઈ રહી છે. આજે સંસદના સેન્ટ્રલ હોલમાં NDAના સાથી દળોની બેઠક મળી હતી. જેમા તમામ સાથી પક્ષોએ સર્વ સંમતિથી પીએમ મોદીને તેમના સંસદીય દળના નેતા ચૂંટી કાઢ્યા છે. રાજનાથસિંહે તેમના નામનો પ્રસ્તાવ રાખ્યો હતો. જેના પર તમામ દળોના નેતાઓએ તેમની સંમત્તિ દર્શાવી હતી. ત્યારબાદ પીએમ મોદીએ સેન્ટ્રલ હોલમાં હાજર ભાજપ અને NDAના નેતાઓ અને નવનિર્વાચીત સાંસદોને સંબોધિત કર્યા હતા.

EVMએ વિપક્ષની બોલતી બંધ કરી દીધી

NDAની સંસદીય દળની બેઠકમાં નરેન્દ્ર મોદીએ ચૂંટણીના પરિણામોને લઈને વિપક્ષ પર કટાક્ષ કર્યો. તેમણે કહ્યુ પરિણામો બાદ મારો પહેલો સવાલ એ જ હતો કે EVM જીવે છે કે મરી ગયુ. EVMએ વિપક્ષની બોલતી બંધ કરી દીધી. વિપક્ષે 4 જૂને લોકતંત્રને ઘેરવાની તૈયારી કરી હતી. હવે 5 વર્ષ સુધી EVM સાંભળવા નહીં મળે. વિપક્ષ નિરાશા લઈને મેદાનમાં આવ્યો હતો.

કોંગ્રેસને ત્રણ ચૂંટણીમાં જેટલી બેઠકો મળી એટલી અમને આ ચૂંટણીમાં મળી-મોદી

PM મોદીએ કહ્યુ કે કોંગ્રેસને છેલ્લી ત્રણ ચૂંટણીની કુલ મળીને જેટલી સીટો મળી એટલી અમને આ વખતે મળી છે. 10 વર્ષ બાદ પણ કોંગ્રેસ 100નો આંકડો પાર નથી કરી શકી. અમને વિજયને પચાવતા આવડે છે. ન વિજયનો ઉન્માદ કે ન પરાજયનો ઉપહાસ, ન તો અમે હાર્યા હતા અને ના તો અમે હાર્યા છીએ.

Emirates કંપનીએ ફ્લાઇટમાં પોતાના પોડકાસ્ટમાં પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામીજીને કર્યા સામેલ, જુઓ Video
મીઠો લીમડો કઇ બીમારીમાં ઉપયોગી છે?
હાર્દિક સાથે છૂટાછેડાની ચર્ચા વચ્ચે નતાશા ભાભી થયા ગુસ્સે ! વીડિયો થયો વાયરલ
વરસાદમાં ભીના થયા પછી આંખોમાં થાય છે બળતરા, જાણો ઘરેલુ ઉપચાર
Travel Tips : કોઈ ફરવા માટે તૈયાર નથી તો એકલા આ સ્થળોની મુલાકાત લઈ આવો
ડાન્સ ફ્લોર પર મુકેશ અંબાણીનો અલગ અંદાજ, જમાઈ આનંદને ગળે લગાવ્યા...સાથે કર્યો ડાન્સ

કોંગ્રેસને ત્રણ ચૂંટણીમાં જેટલી બેઠકો મળી એટલી અમને આ ચૂંટણીમાં મળી-મોદી

દેશને માત્રને માત્ર NDA પર વિશ્વાસ- મોદી

PM મોદીએ કહ્યુ કે દેશને માત્રને માત્ર NDA પર વિશ્વાસ છે. વિપક્ષે ભ્રમ અને જૂઠાણા ફેલાવ્યા. લોકોને ગૂમરાહ કર્યા. વિપક્ષે ભારતને બદનામ કરવાનુ ષડયંત્ર રચ્યુ. તેમણે રોડા નાખવાની કોશિષ કરી.

10 વર્ષના કામો તો માત્ર ટ્રેલર, હવે વધુ તેજીથી કામ થશે- મોદી

PM મોદીએ કહ્યુ કેઆજે જ્યારે દેશને NDA પર જેટલો અતૂટ વિશ્વાસ અને ભરોસો છે તો સ્વાભાવિક છે કે દેશની અપેક્ષાઓ વધશે અને હું તેને સારુ માનુ છુ. મે પહેલા પણ કહ્યુ હતુ કે છેલ્લા 10 વર્ષના કામો તો માત્ર ટ્રેલર હતા અને આ મારુ કમિટમેન્ટ છે. અમે હજુ વધુ તેજ ગતિથી અને વિશ્વાસથી અને વિસ્તારથી દેશની આકાંક્ષાઓને પૂર્ણ કરવામાં લેશમાત્ર પણ વિલંબ નહીં કરીએ.

આ પણ વાંચો : PM મોદીને પગે લાગ્યા નીતિશ કુમાર, NDA સંસદીય દળની બેઠકમાં કહ્યુ હંમેશા સાથ સાથ રહેશુ

Latest News Updates

અમિત શાહ કેમ નથી રાખતા ક્લીન શેવ ? જણાવ્યું દાઢી રાખવાનું કારણ
અમિત શાહ કેમ નથી રાખતા ક્લીન શેવ ? જણાવ્યું દાઢી રાખવાનું કારણ
ઈડરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા યોજાઈ, મોટી સંખ્યામાં ભક્તોની ભીડ
ઈડરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા યોજાઈ, મોટી સંખ્યામાં ભક્તોની ભીડ
મોસાળ સરસપુરમાં ભગવાન જગન્નાથજીનું ભવ્ય સ્વાગત
મોસાળ સરસપુરમાં ભગવાન જગન્નાથજીનું ભવ્ય સ્વાગત
બિલ્ડરની પત્નિ, પુત્ર અને ભાડુ વસુલનાર સામે પોલીસ ફરિયાદ
બિલ્ડરની પત્નિ, પુત્ર અને ભાડુ વસુલનાર સામે પોલીસ ફરિયાદ
શામળાજીમાં ચાંદીના રથમાં ભગવાનની રથયાત્રા નીકળી, ભક્તોની ઉમટી ભીડ, જુઓ
શામળાજીમાં ચાંદીના રથમાં ભગવાનની રથયાત્રા નીકળી, ભક્તોની ઉમટી ભીડ, જુઓ
મોડાસા શહેરમાં ભવ્ય રથયાત્રા નીકળી, મોટી સંખ્યામાં ભક્તોની ભીડ ઉમટી
મોડાસા શહેરમાં ભવ્ય રથયાત્રા નીકળી, મોટી સંખ્યામાં ભક્તોની ભીડ ઉમટી
ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
ઉદયપુર-અમદાવાદ નેશનલ હાઈવેને હરિયાળો બનાવવા MPનું સૂચન
ઉદયપુર-અમદાવાદ નેશનલ હાઈવેને હરિયાળો બનાવવા MPનું સૂચન
રથયાત્રા,દિલીપદાસજી તથા ટ્રસ્ટીઓનું AMCના પદાઅધિકારીઓએ કર્યું સ્વાગત
રથયાત્રા,દિલીપદાસજી તથા ટ્રસ્ટીઓનું AMCના પદાઅધિકારીઓએ કર્યું સ્વાગત
રથયાત્રા પગલે લોખંડી સુરક્ષા બંદોબસ્ત, IPS અજય ચૌધરીએ આપી માહિતી
રથયાત્રા પગલે લોખંડી સુરક્ષા બંદોબસ્ત, IPS અજય ચૌધરીએ આપી માહિતી
g clip-path="url(#clip0_868_265)">