AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Narendra Modi in Parliament: વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સંસદમાં નિવેદન, વિપક્ષનો અવિશ્વાસ પ્રસ્તાવ અમારા માટે શુભ, વિપક્ષેે જનતાના ભરોસાનો વિશ્વાસઘાત કર્યો

આજે છેલ્લા દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાષણમાં જણાવ્યું કે વિપક્ષને સત્તાની ભૂખ છે. દેશના યુવાનોની પરવા નથી પોતાની રાજનીતિની ચિંતા છે. તેમણે જણાવ્યું કે વિપક્ષનો અવિશ્વાસનો પ્રસ્તાવ તેમના માટે શુભ રહ્યો છે.

Narendra Modi in Parliament: વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સંસદમાં નિવેદન, વિપક્ષનો અવિશ્વાસ પ્રસ્તાવ અમારા માટે શુભ, વિપક્ષેે જનતાના ભરોસાનો વિશ્વાસઘાત કર્યો
Narendra Modi in Parliament: Prime Minister Narendra Modi's statement in Parliament, Opposition's no-confidence motion has been good for us
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 10, 2023 | 5:29 PM
Share

વિપક્ષ મોદી સરકાર વિરૂદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવ્યો છે. મંગળવારે લોકસભામાં આ અંગે ચર્ચા શરૂ થઈ હતી. શાસક પક્ષ અને વિપક્ષના ઘણા સાંસદોએ ચર્ચામાં પોતપોતાની વાત રાખી છે.

મંગળવારે લોકસભામાં કોંગ્રેસના ગૌરવ ગોગોઈ દ્વારા અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. ચર્ચાની શરૂઆત કરતાં તેમણે કહ્યું કે, વિપક્ષી ગઠબંધન ભારતે મણિપુર મુદ્દે સરકાર સામે અવિશ્વાસ પ્રસ્તાવ લાવ્યો છે કારણ કે રાજ્ય ન્યાયની માંગ કરી રહ્યું છે. કોંગ્રેસ સાંસદે સવાલ ઉઠાવ્યો હતો કે પીએમ મોદીએ અત્યાર સુધી મણિપુરની મુલાકાત કેમ નથી લીધી?

આજે છેલ્લા દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાષણમાં જણાવ્યું કે વિપક્ષને સત્તાની ભૂખ છે. દેશના યુવાનોની પરવા નથી પોતાની રાજનીતિની ચિંતા છે. તેમણે જણાવ્યું કે વિપક્ષનો અવિશ્વાસનો પ્રસ્તાવ તેમના માટે શુભ રહ્યો

વિપક્ષ પર વાક પ્રહાર કરતા મોદીએ કહ્યું કે, ગરીબની ભૂખ નહી પરંતુ સત્તાની ભૂખ છે. તેમને દેશના ભવિષ્યની નહી પરંતુ પોતાના ભવિષ્યની ચિંતા છે. અવિશ્વાસના પ્રસ્તાવ પર વિપક્ષે કેવી ચર્ચા કરી છે. ફિલ્ડીગ વિપક્ષે ગોઠવી પરંતુ ચોક્કા છગ્ગા લાગ્યા.

દેશની યુવા શક્તિ માટે આશા આકાંક્ષાને દિશા આપવા માટે સરકાર કાર્યરત હોવાનું કહીને વડાપ્રધાને કહ્યું કે, ડેટા પ્રોસેસીગ બિલ યુવા શક્તિ સાથે જોડાયેલ છે. આવનારો સમય ટેકનોલોજી આધારિત જીવનનો છે. પરંતુ વિપક્ષને આવા મહત્વના બિલ કરતા રાજનિતીમાં રસ છે. તેમણે જનતા સાથે વિશ્વાસઘાત કર્યો છે.

2018માં અમે કહ્યું હતું કે 2023માં આવજો. શુ તમારી હાલત છે તેમ કહીને વડાપ્રધાન મોદીએ વિપક્ષને આડે હાથે લેતા કહ્યું કે, દેશ તમારા એક એક શબ્દને સાંભળી રહ્યાં છે. તમે દેશને નિરાશા સિવાય કાઈ નથી આપ્યું. જેમને કાઈ નથી આપ્યું તેઓ અમારો હિસાબ લઈ રહ્યાં છે તેમ કહીને કટાક્ષ કર્યો હતો.

સૌથી મોટી પાર્ટીના નેતાનુ નામ આ અવિશ્વાસના પ્રસ્તાવ પરની ચર્ચામાં બોલવાની યાદીમાં નામ નહોતું. ભૂતકાળમાં શરદ પવારે. સોનિયા ગાંધીએ અને ખરગે એ અવિશ્વાસના પ્રસ્તાવ પર આગેવાની કરી હતી. કરવાને બદલે બોલવાની તક જ ના આપી. મોદીએ અધિર રંજન ઉપર શાબ્દિક હુમલો કરતા કહ્યું કે કોંગ્રેસ વારંવાર તેમનુ અપમાન કરી રહ્યાં છે.

અધીર રંજન પર બોલતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે તેમમે ગુડનું ગોબર કઈ રીતે કરવું તે સારી રીતે આવડે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, કાળખંડ ભારત માટે દરેક સ્વપ્ન પુરા કરવાનો અવસર પુરો પાડી રહ્યું છે. આપણે સૌ એવા કાર્યકાળમાં છીએ કે આનો પ્રભાવ આ દેશ પર એક હજાર વર્ષ સુધી રહેશે. 1000 વર્ષ માટે મજબૂત પાયો નાખશે. આ સમયની માંગ છે. 140 કરોડ દેશવાસીઓ ભારતીય સમુદાયની સામુહિક તાકાત એ ઉચાઈ પર પહોચાડી શકે છે. આપણી યુવા પેઢી જે સ્વપ્ન જોઈ રહી છે તે સાકાર કરવા સિધ્ધ થઈ શકે છે.

મુંબઈમાં પહેલીવાર બનશે ભાજપના મેયર, શિદે જૂથને મળ્યુ ડેપ્યુટી મેયર પદ
મુંબઈમાં પહેલીવાર બનશે ભાજપના મેયર, શિદે જૂથને મળ્યુ ડેપ્યુટી મેયર પદ
પાકિસ્તાનને ઝટકો, ભારત સાથે ટ્રેડ ડીલમાં PoKને ભારતનો ભાગ દર્શાવતુ USA
પાકિસ્તાનને ઝટકો, ભારત સાથે ટ્રેડ ડીલમાં PoKને ભારતનો ભાગ દર્શાવતુ USA
શિક્ષણના ધામમાં થઈ અખાડા વાળી, સેવન્થ ડે સ્કૂલને તાળાબંધી
શિક્ષણના ધામમાં થઈ અખાડા વાળી, સેવન્થ ડે સ્કૂલને તાળાબંધી
USAમાં ભારતની કઈ ચીજવસ્તુ પર કેટલા ટકા લદાશે ટેરિફ ?
USAમાં ભારતની કઈ ચીજવસ્તુ પર કેટલા ટકા લદાશે ટેરિફ ?
સોના અને ચાંદીના ભાવમાં પાછો આવ્યો ઉછાળો, જાણો કેટલા છે દામ
સોના અને ચાંદીના ભાવમાં પાછો આવ્યો ઉછાળો, જાણો કેટલા છે દામ
ડુંગળીના ભાવ તળિયે બેસાડી કોણ કરી રહ્યું છે કરોડોની કમાણી?
ડુંગળીના ભાવ તળિયે બેસાડી કોણ કરી રહ્યું છે કરોડોની કમાણી?
એક વર્ષના બાળકની શ્વાસનળીમાં ફસાયો LED બલ્બ
એક વર્ષના બાળકની શ્વાસનળીમાં ફસાયો LED બલ્બ
પ્રાંતિજમાંથી ઝડપાઈ ડિટર્જન્ટ પાવડર- યુરિયા ખાતરથી દૂધ બનાવતી ફેક્ટરી
પ્રાંતિજમાંથી ઝડપાઈ ડિટર્જન્ટ પાવડર- યુરિયા ખાતરથી દૂધ બનાવતી ફેક્ટરી
વડોદરાના હત્યાના દોષી વિદ્યાર્થીને કોર્ટે પુખ્ત ગણી ફટકારી આજીવન કેદ
વડોદરાના હત્યાના દોષી વિદ્યાર્થીને કોર્ટે પુખ્ત ગણી ફટકારી આજીવન કેદ
ગુજરાત હાઈકોર્ટે કહ્યું- દેવાયત ખવડ પ્રખ્યાત નહીં પરંતુ કુખ્યાત છે
ગુજરાત હાઈકોર્ટે કહ્યું- દેવાયત ખવડ પ્રખ્યાત નહીં પરંતુ કુખ્યાત છે
g clip-path="url(#clip0_868_265)">