AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

યુવકે અપનાવ્યો હિંદુ ધર્મ, રીતિ રિવાજો બાદ રહમત અલી બન્યો ઋત્વિક, કહ્યું- બાળપણનું સપનું પુરૂ થયું

મુસ્લિમ સમુદાયના એક યુવકે હિન્દુ ધર્મથી પ્રભાવિત થઈને ધર્મ પરિવર્તન કર્યું છે. બજરંગ દળના કાર્યકર્તા પંકજ યાદવે જણાવ્યું કે યુવકની ઈચ્છા જોઈને તેને ઘરે પરત ફરવા માટે તૈયાર કરવામાં આવી હતી. વકીલને યુવકના કાગળો આપવામાં આવ્યા છે, જેથી તેનું નામ સત્તાવાર રીતે બદલી શકાય.

યુવકે અપનાવ્યો હિંદુ ધર્મ, રીતિ રિવાજો બાદ રહમત અલી બન્યો ઋત્વિક, કહ્યું- બાળપણનું સપનું પુરૂ થયું
યુવકે અપનાવ્યો હિન્દુ ધર્મ Image Credit source: Google
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 11, 2023 | 9:08 PM
Share

કાનપુરના બાબુપુરવામાં રહેતા મુસ્લિમ સમુદાયના એક મજૂરે રવિવારે હિન્દુ ધર્મથી પ્રભાવિત થઈને હિન્દુ ધર્મ અપનાવ્યો છે. યુવકે જણાવ્યું કે તેને બાળપણથી જ હિંદુ ધર્મમાં વિશ્વાસ હતો, જ્યારે તેને તક મળી ત્યારે તે કાયદો અને વ્યવસ્થા દ્વારા હિંદુ ધર્મ અપનાવીને રહેમત અલીમાંથી ઋત્વિક શર્મા બન્યો છે. યુવકે કહ્યું કે હવે તેનું બાળપણનું સપનું પૂરું થયું છે.

આ પણ વાચો: ગુજરાતમાં રહેતા મુસ્લિમ યુવકની હિન્દુ ધર્મ પ્રત્યે અનોખી ભક્તિ, મોદીજીને માને છે પોતાના આદર્શ

રહેમત અલી (23) મૂળ હરદોઈના બાલામઈનો રહેવાસી છે અને બાબુપુરવામાં મામાનું ઘર છે. તે ત્રણ મહિના પહેલા નોકરીના હેતુથી અહીં આવ્યો હતો. રહેમત ઉર્ફે ઋત્વિકના કહેવા પ્રમાણે, તેને બાળપણથી જ હિંદુ ધર્મમાં વિશ્વાસ છે. મિત્રો સાથે ગણેશ પૂજન, રામલીલામાં ભાગ લેતો હતો. કાવડ લઈને પણ તે જઈ ચુક્યો છે. ઘણા દિવસોથી તે ધર્મ પરિવર્તન વિશે વિચારતો હતો.

યુવકની ઈચ્છા જોઈને તેને ઘરે પરત ફરવા માટે તૈયાર કરવામાં આવ્યો

લગભગ એક મહિનાથી બકરગંજ સ્થિત શ્રી દુર્ગા મંદિરમાં દર્શન કરવા જઈ રહ્યો હતો. તે દરમિયાન તેણે બજરંગ દળના કાર્યકરને પોતાની ઈચ્છા જણાવી હતી. આ પછી રવિવારે રાત્રે, તેણે સંપૂર્ણ ધાર્મિક વિધિઓ સાથે હિંદુ ધર્મ અંગીકાર કર્યો અને નામ ઋત્વિક રાખ્યું છે. બજરંગ દળના કાર્યકર્તા પંકજ યાદવે જણાવ્યું કે યુવકની ઈચ્છા જોઈને તેને ઘરે પરત ફરવા માટે તૈયાર કરવામાં આવ્યો છે. વકીલને યુવકના કાગળો આપવામાં આવ્યા છે, જેથી તેનું નામ સત્તાવાર રીતે બદલી શકાય. સ્વજનોને પણ પત્રો મોકલીને બોલાવવામાં આવ્યા છે.

ગુજરાતમાં રહેતા મુસ્લિમ યુવકની હિન્દુ ધર્મ પ્રત્યે અનોખી ભક્તિ

ગીર સોમનાથના વેરાવળના ફીરોઝ બ્લોચ નામના મુસ્લિમ યુવકની હિન્દુ ધર્મ પ્રત્યેની અનોખી ભક્તિ સામે આવી છે. ફીરોઝ પોતે નાનપણથી હિન્દુ એરીયામાં રહેતા ત્યારે સ્કૂલમાં પોતે ભગવાન શ્રી કૃષ્ણનું પાત્ર ભજવતા હતા, સાથે તેઓ હિન્દુ ધર્મ, કથાકારો અને મોદીજીને પોતાના આદર્શ માને છે. પોતે હિન્દુ ધર્મના ઘણા પુસ્તકોનું વાંચન અને લેખન પણ કરેલ છે.

                                         દેશ અને દુનિયાના તાજા સમાચાર ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર 

                                                      દેશ સાથે જોડાયેલા તમામ ન્યૂઝ માટે જોડાયેલા રહો…

Breaking News : આકાશમાંથી પેરાશુટ લઇને યુવક વીજ વાયર પર પડ્યો
Breaking News : આકાશમાંથી પેરાશુટ લઇને યુવક વીજ વાયર પર પડ્યો
જીવનસાથી સાથે શોપિંગ કરવાની મજા આવશે, કિંમતી વસ્તુઓનું ધ્યાન રાખો
જીવનસાથી સાથે શોપિંગ કરવાની મજા આવશે, કિંમતી વસ્તુઓનું ધ્યાન રાખો
BMC અને વસઈ-વિરાર કોર્પોરેશનમા રાજકીય પક્ષોને યુવા ઉમેદવારો પર વિશ્વાસ
BMC અને વસઈ-વિરાર કોર્પોરેશનમા રાજકીય પક્ષોને યુવા ઉમેદવારો પર વિશ્વાસ
ગુજરાતમાં ફરીથી પાટીદાર કાર્ડ રમવાની હાર્દિક પટેલની મંછા ! જુઓ વીડિયો
ગુજરાતમાં ફરીથી પાટીદાર કાર્ડ રમવાની હાર્દિક પટેલની મંછા ! જુઓ વીડિયો
દૂષિત પાણીનો કહેર, ઉધનાના અમૃતનગરમાં રોગચાળાના ભયથી સ્થાનિકોમાં ફફડાટ
દૂષિત પાણીનો કહેર, ઉધનાના અમૃતનગરમાં રોગચાળાના ભયથી સ્થાનિકોમાં ફફડાટ
AAP ધારાસભ્ય ચૈતર વસાવાનો આકરો અંદાજ, અમારી સરકાર બનશે એવો દાવો કર્યો
AAP ધારાસભ્ય ચૈતર વસાવાનો આકરો અંદાજ, અમારી સરકાર બનશે એવો દાવો કર્યો
ત્યજી દેવાયેલી દીકરીને સુરત પોલીસે અપનાવી, કર્યું નામકરણ
ત્યજી દેવાયેલી દીકરીને સુરત પોલીસે અપનાવી, કર્યું નામકરણ
ઉત્તરાયણમાં પતંગ રસિયાઓ માટે સારા સમાચાર - જુઓ Video
ઉત્તરાયણમાં પતંગ રસિયાઓ માટે સારા સમાચાર - જુઓ Video
નીતિન પટેલે ગઝનીની સરખામણી કુતરા સાથે કરી- જુઓ Video
નીતિન પટેલે ગઝનીની સરખામણી કુતરા સાથે કરી- જુઓ Video
સ્વર્ગસ્થ ફિલ્મ અભિનેત્રી પરવીન બાબીનો જૂનાગઢમાં આવેલ મહેલ તોડી પડાયો!
સ્વર્ગસ્થ ફિલ્મ અભિનેત્રી પરવીન બાબીનો જૂનાગઢમાં આવેલ મહેલ તોડી પડાયો!
g clip-path="url(#clip0_868_265)">