MP Flood Update: પૂરની ઝપટમાં 1171 ગામ, ભારતીય વાયુસેના પહોચી મદદમાં, મંત્રી સહિત લોકોનું કરાયુ એરલીફ્ટ, જુઓ VIDEO
મધ્યપ્રદેશના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રા પણ દાતીયા જિલ્લાના પૂરગ્રસ્ત ગામમાં અટવાઇ ગયા હતા. તેને વાયુસેનાની મદદથી એરલિફ્ટ પણ કરવામાં આવ્યું હતું અને તેને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા
MP Flood Update: મધ્યપ્રદેશમાં વરસાદ (Rain and Flood) અને પૂરને કારણે સ્થિતિ ખૂબ જ ખરાબ બની ગઈ છે. હાલમાં રાજ્યના 1171 ગામો પૂરની ચપેટમાં છે. લોકોને સલામત સ્થળે લઈ જવાનું કામ સતત ચાલી રહ્યું છે. મધ્યપ્રદેશના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રા પણ દાતીયા જિલ્લાના પૂરગ્રસ્ત ગામમાં અટવાઇ ગયા હતા. તેને વાયુસેનાની મદદથી એરલિફ્ટ પણ કરવામાં આવ્યું હતું અને તેને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા.
જણાવી દઈએ કે, ગૃહમંત્રી નરોત્તમ મિશ્રા (Minister Narottam Mishra) પૂર પીડિતોની મદદ માટે દાતિયા પહોંચ્યા હતા. એરફોર્સ રેસ્ક્યુ ઓપરેશનની મદદથી ફસાયેલા લોકોને બહાર કાઢીને સલામત સ્થળે લઈ જવામાં આવી રહ્યા છે. ભારતીય વાયુસેનાના (Indian Air Force)હેલિકોપ્ટરએ સિંધ નદીના પ્રવાહને કારણે દાતિયા જિલ્લાના સોંધા નજીક એક મંદિરની અગાસી પર ફસાયેલા 7 લોકોને બચાવી લીધા છે.
વાયુસેના અનુસાર, લગભગ 11.30 વાગ્યા સુધી મંદિરની છત પર ફસાયેલા 7 લોકોનો બચાવ મધ્યપ્રદેશ ભારતીય વાયુસેનાના હેલિકોપ્ટરએ આજે દાતિયા જિલ્લાના સીઓંધા નજીક એક મંદિરની છત પર ફસાયેલા 7 લોકોને બચાવ્યા (Relief and Rescue Operation) હતા, જે સિંધ નદીનાં ઓવરફ્લો થવાને કારણે ફસાઈ ગયા હતા.
Madhya Pradesh | An Indian Air Force helicopter today rescued 7 people stranded on the roof of a temple, near Seondha in Datia district, cut off due to overflowing Sind river. By the close of the day, 46 stranded people were evacuated: IAF pic.twitter.com/4YTJ8Nkn4J
— ANI (@ANI) August 4, 2021
મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ (CM Shivrajsinh Chauhan) પોતે રાજ્યમાં પૂરની સ્થિતિનો સામનો કરવા સક્રિય સ્થિતિમાં છે. મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે બુધવારે પૂરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ સર્વેક્ષણ (Areal Survey)કર્યું હતું. આ દરમિયાન તેમણે દતિયા-ગ્વાલિયર રોડ પર ભારે વરસાદ બાદ તૂટી પડેલા બે પુલની પણ મુલાકાત લીધી હતી. CM શિવરાજે ટ્વીટ કરીને પોતે કરેલા હવાઈ સર્વેક્ષણનો વિડિયો જાહેર કર્યો હતો.
#WATCH | Madhya Pradesh CM Shivraj Singh Chouhan also took stock of two collapsed bridges following heavy rains on Datia-Gwalior road, Datia during his aerial survey earlier in the day. pic.twitter.com/SatTecpboc
— ANI (@ANI) August 4, 2021
સેનાના જવાનોએ ભીંડ-મોરેનામાં બોલાવ્યા મુખ્યમંત્રીએ કહ્યું કે ચાર સૌથી વધુ પૂરગ્રસ્ત જિલ્લાઓમાં સેનાના એકમો સતત કામ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે ચંબલ નદીમાં પાણીનું સ્તર સતત વધી રહ્યું છે. ભીંડ અને મોરેના જિલ્લામાં સેનાને મદદ માટે બોલાવવામાં આવી છે. સીએમ શિવરાજે કહ્યું કે અત્યાર સુધીમાં આશરે 5 હજાર લોકોને બચાવી લેવામાં આવ્યા છે અને સલામત સ્થળે લઈ જવામાં આવ્યા છે.