મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન બનવાને લઈને શિવરાજ સિંહે ચૌહાણે જાતે જ કર્યો આ મોટો ખુલાસો, જાણો શું કહ્યું

મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 230 સીટમાંથી 163 સીટ પર જીત મેળવી છે. ત્યારે કોંગ્રેસે માત્ર 66 સીટ પર જીત મેળવી છે. સમાચાર એજન્સી એએનઆઈને આપેલા ઈન્ટરવ્યુ મુજબ સીએમ શિવરાજસિંહે કહ્યું કે મોદીજી અમારા નેતા છે, તેમની સાથે કામ કરવુ સૌભાગ્યની વાત છે. ખુબ જ સારી વાત છે કે હું ભાજપનો કાર્યકર્તા છુ,

મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન બનવાને લઈને શિવરાજ સિંહે ચૌહાણે જાતે જ કર્યો આ મોટો ખુલાસો, જાણો શું કહ્યું
Shivraj Singh ChouhanImage Credit source: File Image
Follow Us:
| Updated on: Dec 05, 2023 | 4:26 PM

મધ્યપ્રદેશની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે મોટી જીત મેળવી છે. હવે રાજ્યમાં મુખ્યપ્રધાનના ચહેરાને લઈને મંથન ચાલી રહ્યું છે. તેની વચ્ચે મુખ્યપ્રધાન શિવરાજસિંહનું ચોંકાવનારૂ નિવેદન સામે આવ્યુ છે. તેમને કહ્યું કે હું મુખ્યપ્રધાન પદનો દાવેદાર નહતો અને ના છું. મુખ્યપ્રધાન શિવરાજ સિંહે કહ્યું કે હું એક કાર્યકર્તા છુ, તે મુજબ ભાજપ મને જે પણ કામ આપશે, તે કામ ખુબ જ ઈમાનદારીથઈ કરીશ.

મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 230 સીટમાંથી 163 સીટ પર જીત મેળવી છે. ત્યારે કોંગ્રેસે માત્ર 66 સીટ પર જીત મેળવી છે. સમાચાર એજન્સી એએનઆઈને આપેલા ઈન્ટરવ્યુ મુજબ સીએમ શિવરાજસિંહે કહ્યું કે મોદીજી અમારા નેતા છે, તેમની સાથે કામ કરવુ સૌભાગ્યની વાત છે. ખુબ જ સારી વાત છે કે હું ભાજપનો કાર્યકર્તા છુ, હું જનતાનો દિલથી આભાર માનુ છુ, મારામાં જેટલુ સામર્થ હતુ, તેટલુ મેં કામ કર્યુ.

ભાજપની જીતના હિરો રહ્યા શિવરાજસિંહ

જણાવી દઈએ કે આ ચૂંટણીમાં સીએમ શિવરાજસિંહ ભાજપની જીતના હિરો રહ્યા છે. 64 વર્ષીય શિવરાજ સિંહે રાજ્યમાં સત્તા વિરોધી લહેરને માત આપીને ફરી એકવાર શાનદાર જીત મેળવી છે. ભાજપની આ જીતની પાછળ સૌથી વધારે ચર્ચા ‘લાડલી બહેના’ જેવી યોજનાની છે. જે ગેમ ચેન્જર માનવામાં આવે છે. જો કે પાર્ટીએ ચૂંટણી પહેલા જ તેમને મુખ્યપ્રધાનના ચહેરા તરીકે રજૂ કર્યા નથી.

આજનું રાશિફળ તારીખ : 27-07-2024
રેલવેએ 5 વંદે ભારત ટ્રેન આપી ભેટ, ટૂંક સમયમાં પાટા પર દોડશે
પાકિસ્તાની મહિલાએ મનાવ્યો તલાકનો જશ્ન, ખુલ્લેઆમ કર્યું આ કામ, જુઓ
સરકારી કંપનીનો શેર એક મહિનામાં 120% વધ્યો... હવે BSE-NSE એ જવાબો માંગ્યા
સવારે ખાલી પેટે 1 ચમચી ઘી પીવાથી થાય છે ગજબનો ફાયદો
શું તમને પણ કરોડરજ્જુમાં દુખાવો થાય છે ? તો અજમાવો આ ઉપાય

શિવરાજસિંહે રચ્યો ઈતિહાસ

ખેડૂત પરિવારમાં જન્મેલા શિવરાજસિંહ ચૌહાણે સૌથી લાંબા સમય એટલે કે 16 વર્ષ 9 મહિના સુધી સતત મધ્યપ્રદેશમાં મુખ્યપ્રધાન પદ પર રહેવાનો ઈતિહાસ રચ્યો છે. તે 4 વખત રાજ્યના મુખ્યપ્રધાન બન્યા છે અને હવે ફરી એકવાર તે રાજ્યની કમાન સંભાળી શકે છે. મુખ્યપ્રધાનના દાવેદારોના લિસ્ટમાં શિવરાજનું નામ ટોપ પર છે.

2005માં પ્રથમ વખત મુખ્યપ્રધાન બન્યા હતા

શિવરાજ સિંહ ચૌહાણ 29 નવેમ્બર 2005માં પ્રથમ વખત મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન બન્યા હતા. શિવરાજસિંહના નેતૃત્વમાં ભાજપે વર્ષ 2008 અને 2013ની વિધાનસભા ચૂંટણીમાં ભારે બહુમત સાથે સરકાર બનાવી હતી. ત્યારબાદ વર્ષ 2018ની ચૂંટણીમાં પાર્ટીએ તેમને મુખ્યપ્રધાન પદ માટે પસંદ કર્યા પણ આ વખતની ચૂંટણીમાં પાર્ટીએ આ થિયરી અપનાવી નથી.

Latest News Updates

વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
g clip-path="url(#clip0_868_265)">