AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આગ્રા-મથુરામાં પણ મસ્જિદોની તપાસ થવી જોઈએ, દેવકીનંદને કહ્યું- સર્વેથી જ્ઞાનવાપીનું સત્ય બહાર આવશે

ગુરુવારે હાઈકોર્ટના આદેશ બાદ, ફરી જ્ઞાનવાપી મસ્જિદમાં ASI સર્વે આજથી શરૂ કરવામાં આવ્યો છે, હિન્દુ સંગઠનોએ તેને સત્યની જીત ગણાવી છે અને હાઈકોર્ટના નિર્ણયને આવકાર્યો છે.

આગ્રા-મથુરામાં પણ મસ્જિદોની તપાસ થવી જોઈએ, દેવકીનંદને કહ્યું- સર્વેથી જ્ઞાનવાપીનું સત્ય બહાર આવશે
Devkinandan Maharaj (file photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 04, 2023 | 11:24 AM
Share

ગુરુવારે અલ્હાબાદ હાઈકોર્ટે વારાણસીમાં કાશી વિશ્વનાથ મંદિર પાસે આવેલ જ્ઞાનવાપી મસ્જિદ કેસમાં ASIને સર્વે કરવાની મંજૂરી આપી છે. ચુકાદાને લઈને હિંદુઓમાં ભારે આનંદ અને ખુશીનો માહોલ છે. હાઈકોર્ટે ASI સર્વે માટે આદેશ આપ્યા છે, જે બાદ સંત-મહંત વિદ્વાનોમાં ચૂકાદાના ભારે વખાણ થઈ રહ્યા છે. બધા એકબીજાને અભિનંદન પણ આપી રહ્યા છે. આ સમગ્ર મામલે જાણીતા ભાગવત કથાકાર ઠાકુર દેવકીનંદન મહારાજે પણ પોતાનું નિવેદન આપ્યું છે.

આંતરરાષ્ટ્રીય ભાગવતના પ્રવક્તા ઠાકુર દેવકીનંદન મહારાજે જ્ઞાનવાપી મસ્જિદ પર ASI સર્વેના આદેશનું સ્વાગત કર્યું છે. તેમણે કહ્યું છે કે ASIના સર્વેના આદેશથી સત્યની જીત થઈ છે. તેમણે વધુમાં કહ્યું કે મુસ્લિમ આક્રમણકારો દ્વારા જે રીતે હિંદુ મંદિરોમાં તોડફોડ કરવામાં આવી છે તેના પર આ ચૂકાદો આવકાર્ય છે. વળી, આપણા મંદિરનું જે અપમાન કરાયું હતું તેનો આ જવાબ છે. જ્ઞાનવાપી મસ્જિદની જેમ, મથુરાની શ્રી કૃષ્ણ જન્મભૂમિમાં પણ હિંદુ સ્થાપત્યના પુરાવા હાજર છે. જેના પર ASI સર્વેને ટૂંક સમયમાં આદેશ આપવામાં આવશે અને તે પણ બધાની સામે આવશે.

હિન્દુ સંગઠનોએ આ નિર્ણયને આવકાર્યો છે

જણાવી દઈએ કે ઠાકુર દેવકીનંદન મહારાજ હાલમાં એક કરોડ 25 લાખ શિવલિંગ બનાવવાની વિધિ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે હાલમાં અધિક શ્રાવણ માસ ચાલી રહ્યો છે, આવી સ્થિતિમાં ભગવાન શિવ પણ ઈચ્છી રહ્યા છે કે હવે તે પણ જલદી આવે, જેને લઈને આ નિર્ણય આવ્યો છે. હિન્દુવાદી સંગઠન અખિલ ભારત હિન્દુ મહાસભા અને શ્રી કૃષ્ણ જન્મભૂમિ સંઘર્ષ ન્યાસ સમિતિના પ્રમુખ દિનેશ શર્માએ જણાવ્યું કે અમે હાઈકોર્ટના નિર્ણયનું સ્વાગત કરીએ છીએ.

સર્વેમાંથી સત્ય બહાર આવશે

હાઈકોર્ટ દ્વારા આપવામાં આવેલા નિર્ણયને હિન્દુ સંગઠનોએ ખૂબ જ મહત્વપૂર્ણ ગણાવ્યો છે. તેમણે કહ્યું કે આ સનાતન હિન્દુઓની જીતનો બીજો ક્રમ છે. હવે ટૂંક સમયમાં જ જ્ઞાનવાપી મસ્જિદનું સત્ય બધાની સામે આવશે અને અમને આશા છે કે ભગવાન શિવનું મંદિર ફરી એકવાર ભવ્ય રીતે બનાવવામાં આવશે. જ્ઞાનવાપી મસ્જિદમાં ASI સર્વેના આદેશ બાદ વૃંદાવનના સંતોએ પણ એકબીજાને અભિનંદન પાઠવ્યા અને કહ્યું કે આ સત્યની જીત છે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

રાજકોટ શહેરમાં આગની ઘટનામાં બે લોકોના મોત થયા
રાજકોટ શહેરમાં આગની ઘટનામાં બે લોકોના મોત થયા
સુરતમાં મીરીખ અને ઓપેરા ગ્રુપ પર ITના દરોડા
સુરતમાં મીરીખ અને ઓપેરા ગ્રુપ પર ITના દરોડા
ફૂલડોલ ઉત્સવ નિમિત્તે દ્વારકાધીશ મંદિરે ભક્તોનું ઘોડાપૂર
ફૂલડોલ ઉત્સવ નિમિત્તે દ્વારકાધીશ મંદિરે ભક્તોનું ઘોડાપૂર
વિવિધ અખાડા, ભજન મંડળીઓ સાથે નીકળી નગરદેવી ભદ્રકાળી માતાની ભવ્ય યાત્રા
વિવિધ અખાડા, ભજન મંડળીઓ સાથે નીકળી નગરદેવી ભદ્રકાળી માતાની ભવ્ય યાત્રા
રાજ્યમાં બોર્ડ પરીક્ષાનો પ્રારંભ, પોલીસ બંદોબસ્ત સાથે ચુસ્ત વ્યવસ્થા
રાજ્યમાં બોર્ડ પરીક્ષાનો પ્રારંભ, પોલીસ બંદોબસ્ત સાથે ચુસ્ત વ્યવસ્થા
નાણાકીય લાભ થવાની શક્યતા છે, સ્વાસ્થ્ય સંપૂર્ણપણે સારું રહેશે
નાણાકીય લાભ થવાની શક્યતા છે, સ્વાસ્થ્ય સંપૂર્ણપણે સારું રહેશે
પુનમે બિલ્ડર પાસેથી જોલી આર્કેડની બે દુકાનો પોતાના નામે કરાવી લીધી હતી
પુનમે બિલ્ડર પાસેથી જોલી આર્કેડની બે દુકાનો પોતાના નામે કરાવી લીધી હતી
ED Raid: અમદાવાદમાં અનસ ગ્રુપ પર ત્રાટકી ઈડી, કરોડોની મિલકત જપ્ત
ED Raid: અમદાવાદમાં અનસ ગ્રુપ પર ત્રાટકી ઈડી, કરોડોની મિલકત જપ્ત
વિદ્યાસહાયકો અને શિક્ષકોને વધારાના કામના બોજમાંથી મળી રાહત
વિદ્યાસહાયકો અને શિક્ષકોને વધારાના કામના બોજમાંથી મળી રાહત
અમદાવાદીઓ માટે રૂપિયા બચાવવાની AMCએ જાહેર કરી યોજના, એડવાન્સ ટેક્સ ભરો
અમદાવાદીઓ માટે રૂપિયા બચાવવાની AMCએ જાહેર કરી યોજના, એડવાન્સ ટેક્સ ભરો
g clip-path="url(#clip0_868_265)">