AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Parliament Monsoon Session: 20 જુલાઈથી શરૂ થશે સંસદનું ચોમાસુ સત્ર, સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોશીએ આપી માહિતી

સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોશીએ શનિવારે આ જાહેરાત કરી હતી. ચોમાસુ સત્ર 11 ઓગસ્ટના રોજ સમાપ્ત થશે. સત્ર 23 દિવસ ચાલશે અને તેમાં 17 બેઠકો હશે. સરકાર ચોમાસુ સત્રને ફળદાયી બનાવવાનો પ્રયાસ કરશે. કેન્દ્રીય મંત્રીએ તમામ વિપક્ષી પાર્ટીઓને સાર્થક ચર્ચા માટે અપીલ કરી હતી.

Parliament Monsoon Session: 20 જુલાઈથી શરૂ થશે સંસદનું ચોમાસુ સત્ર, સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોશીએ આપી માહિતી
Parliament Monsoon Session
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 01, 2023 | 2:17 PM
Share

Parliament Monsoon Session: સંસદનું ચોમાસુ સત્ર 20 જુલાઈથી શરૂ થશે. સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોશીએ શનિવારે આ જાહેરાત કરી હતી. ચોમાસુ સત્ર 11 ઓગસ્ટના રોજ સમાપ્ત થશે. સત્ર 23 દિવસ ચાલશે અને તેમાં 17 બેઠકો હશે. સરકાર ચોમાસુ સત્રને (Monsoon Session) ફળદાયી બનાવવાનો પ્રયાસ કરશે. કેન્દ્રીય મંત્રીએ તમામ વિપક્ષી પાર્ટીઓને સાર્થક ચર્ચા માટે અપીલ કરી હતી. બીજી તરફ વિપક્ષ મણિપુર (Manipur Violence) પર સરકારને ઘેરવાનો ભરપૂર પ્રયાસ કરી રહ્યો છે. સંસદના નવા બિલ્ડીંગમાં સત્ર યોજાશે. આ ઈમારતનું ઉદ્ઘાટન 28 મેના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું હતું.

નરેન્દ્ર મોદીએ સમાન નાગરિક સંહિતાની હિમાયત કરી

ચોમાસુ સત્ર તોફાની બની શકે છે. આ બેઠકો એવા સમયે થઈ રહી છે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સમાન નાગરિક સંહિતાની હિમાયત કરી છે. 22માં કાયદા પંચે નિષ્ણાતો અને ધાર્મિક સંગઠનો સહિત દેશભરના લોકોને આ અંગે પોતાનો અભિપ્રાય આપવા અપીલ કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં જ અમેરિકાથી આવ્યા છે. અહીં અમેરિકા સાથે 31 MQ-9 રીપર ડ્રોનની ડીલ કરવામાં આવી છે.

કોંગ્રેસ અને વિપક્ષી પાર્ટીઓ કેન્દ્ર સરકારને ઘેરી શકે

વિપક્ષનો આરોપ છે કે સરકારે આ ડીલ અંગે વધુ માહિતી આપી નથી. કોંગ્રેસ અને વિપક્ષી પાર્ટીઓ આ મુદ્દે કેન્દ્ર સરકારને ઘેરી શકે છે. આ સિવાય મણિપુરમાં બે મહિનાથી વધુ સમયથી હિંસા થઈ રહી છે. ગૃહમંત્રીએ રાજ્યની મુલાકાત લીધી હતી પરંતુ પીએમ મોદી ત્યાં ગયા ન હતા. વિપક્ષ આ મુદ્દે વડાપ્રધાનને સવાલ કરવાના મૂડમાં છે.

આ પણ વાંચો : Uniform Civil Code: આલા હઝરત પરિવારની વહુએ UCCને કર્યું સમર્થન, PM મોદીને પત્ર લખી માન્યો આભાર

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">