Monkeypox: દેશમાં મંકીપોક્સથી સંક્રમિત પ્રથમ દર્દી સાજો થયો, હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી

મંકીપોક્સથી (Monkeypox) સંક્રમિત પ્રથમ વ્યક્તિ ભારતમાં 13 જુલાઈના રોજ કેરળમાંથી મળી આવ્યો હતો. જેમને 14 જુલાઈના રોજ સંક્રમિત હોવાની પુષ્ટિ થઈ હતી. પરંતુ, આ દરમિયાન, સારા સમાચાર આવ્યા છે કે મંકીપોક્સથી સંક્રમિત પ્રથમ વ્યક્તિ હવે સ્વસ્થ થયો છે.

Monkeypox: દેશમાં મંકીપોક્સથી સંક્રમિત પ્રથમ દર્દી સાજો થયો, હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી
Monkeypox In India (Symbolic Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 30, 2022 | 7:47 PM

કોરોનાની વચ્ચે સમગ્ર વિશ્વમાં મંકીપોક્સનો (Monkeypox) કહેર વધી રહ્યો છે. મંકીપોક્સનો ચેપ છેલ્લા કેટલાક દિવસોમાં 75થી વધુ દેશોમાં પહોંચી ગયો છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ પુષ્ટિ કરી છે કે 20 હજારથી વધુ લોકો મંકીપોક્સથી સંક્રમિત થયા છે. જેમાં ભારતમાં પણ ચાર લોકો સંક્રમિત હતા. મંકીપોક્સથી સંક્રમિત પ્રથમ વ્યક્તિ ભારતમાં 13 જુલાઈના રોજ કેરળમાંથી મળી આવ્યો હતો. જેમને 14 જુલાઈના રોજ સંક્રમિત હોવાની પુષ્ટિ થઈ હતી. ત્યારથી ભારત સરકાર મંકીપોક્સનો સામનો કરવા માટે એક્શન મોડમાં આવી હતી. પરંતુ, આ દરમિયાન, સારા સમાચાર આવ્યા છે કે મંકીપોક્સથી સંક્રમિત પ્રથમ વ્યક્તિ હવે સ્વસ્થ થયો છે. જેમને હવે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

રિપોર્ટ નેગેટિવ આવતા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી

કેરળના આરોગ્ય પ્રધાન વીણા જ્યોર્જે જણાવ્યું હતું કે ભારતની પ્રથમ મંકીપોક્સ દર્દીનો ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ શનિવારે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. કેરળના કોલ્લમ શહેરનો રહેવાસી 35 વર્ષીય દર્દી યુએઈથી પરત ફર્યા બાદ 14 જુલાઈના રોજ મંકીપોક્સથી સંક્રમિત જોવા મળ્યો હતો. તેને તરત જ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યોર્જે કહ્યું કે દર્દીના તમામ સેમ્પલની બે વખત તપાસ કરવામાં આવી હતી. બંને સેમ્પલનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. સાથે જ દર્દી શારીરિક અને માનસિક રીતે પણ સ્વસ્થ હોય છે. ત્વચાના ફોલ્લીઓ સંપૂર્ણપણે સાજા થઈ ગયા છે. તેમને આજે રજા આપવામાં આવશે.

પરિવારજનોનો રિપોર્ટ પણ નેગેટિવ આવ્યો

માહિતી અનુસાર, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજીના નિર્દેશો અનુસાર ભારતના મંકીપોક્સથી સંક્રમિત પ્રથમ વ્યક્તિની 72 કલાકના અંતરાલમાં બે વખત તપાસ કરવામાં આવી હતી. આ સાથે, દર્દીના પરિવારના સભ્યોની પણ મંકીપોક્સ ચેપ માટે તપાસ કરવામાં આવી હતી. દરેકના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. દરમિયાન, કેરળના અન્ય બે મંકીપોક્સ દર્દીઓ પણ નિરીક્ષણ હેઠળ છે અને તેમની તબિયત સંતોષજનક હોવાનું કહેવાય છે. કેરળના આરોગ્ય મંત્રીએ કહ્યું કે નિવારણ અને દેખરેખ માટેના પગલાં ચાલુ રહેશે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

WHOએ મંકીપોક્સને મેડિકલ ઈમરજન્સી જાહેર કરી

WHOની નવીનતમ માહિતી અનુસાર, અત્યાર સુધીમાં લગભગ 75 દેશોમાં મંકીપોક્સના 20,800 થી વધુ પુષ્ટિ થયેલા કેસ નોંધાયા છે. જો કે, આ પહેલા પણ WHOએ મંકીપોક્સના વધતા ખતરાને ધ્યાનમાં રાખીને તેને મેડિકલ ઈમરજન્સી જાહેર કરી છે. આ રોગના સામાન્ય લક્ષણોમાં તાવ, માથાનો દુખાવો, સ્નાયુઓમાં દુખાવો અને સુસ્તી સાથે ચહેરા, હથેળીઓ અથવા પગના તળિયા, મોં, આંખો અથવા ગુપ્તાંગ પર ફોલ્લીઓનો સમાવેશ થાય છે.

Latest News Updates

રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
g clip-path="url(#clip0_868_265)">