AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mohali Blast: શીખ ફોર જસ્ટિસે મોહાલી હુમલાની જવાબદારી સ્વીકારી, હિમાચલમાં પણ બ્લાસ્ટની ધમકી

ભગવંત માને મંગળવારે મીડિયાને કહ્યું કે જે લોકો પંજાબનું વાતાવરણ બગાડવા માંગે છે તેમને બક્ષવામાં આવશે નહીં. ગઈકાલે રાત્રે મોહાલીમાં થયેલા વિસ્ફોટ (Mohali Blast) અંગે મેં ડીજીપી પાસેથી રિપોર્ટ મંગાવ્યો છે. ગુનેગારોને કડકમાં કડક સજા કરવામાં આવશે.

Mohali Blast: શીખ ફોર જસ્ટિસે મોહાલી હુમલાની જવાબદારી સ્વીકારી, હિમાચલમાં પણ બ્લાસ્ટની ધમકી
Mohali Blast - File Photo
TV9 Gujarati
| Edited By: | Updated on: May 10, 2022 | 12:51 PM
Share

પંજાબના (Punjab) મોહાલીમાં થયેલા ગ્રેનેડ હુમલા (Mohali Blast) પાછળ ખાલિસ્તાન સમર્થકોનું નામ સામે આવી રહ્યું છે. ખાલિસ્તાનની માગણી કરતી સંસ્થા શીખ ફોર જસ્ટિસે આ હુમલાની જવાબદારી લીધી છે. પંજાબમાં હુમલા બાદ શીખ ફોર જસ્ટિસના વડા ગુરપતવંત સિંહ પન્નુએ હિમાચલ પ્રદેશમાં પણ આવા જ હુમલાની ધમકી આપી હોવાનું પણ સામે આવ્યું છે. પન્નુએ હુમલાની જવાબદારી સ્વીકાર્યા બાદ પંજાબ અને હિમાચલ પ્રદેશમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી જયરામ ઠાકુરને પન્નુ દ્વારા ધમકી આપવામાં આવી છે કે આવો હુમલો શિમલામાં પણ થઈ શકે છે. તેણે કહ્યું છે કે શીખ સમુદાયને ઉશ્કેરવામાં ન આવે.

સીએમ ભગવંત માને બેઠક યોજી હતી

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને મંગળવારે કહ્યું કે મોહાલીમાં પંજાબ પોલીસના ઈન્ટેલિજન્સ યુનિટના હેડક્વાર્ટરમાં થયેલા વિસ્ફોટની તપાસ કરવામાં આવી રહી છે. તેમણે એ વાત પર પણ ભાર મૂક્યો હતો કે રાજ્યમાં શાંતિ ભંગ કરવાનો પ્રયાસ કરનારાઓને બક્ષવામાં આવશે નહીં. માને તેમના નિવાસસ્થાને પોલીસ મહાનિર્દેશક સહિત વરિષ્ઠ પોલીસ અધિકારીઓની બેઠક બોલાવી છે અને ઘટના અંગે રિપોર્ટ માંગ્યો છે.

ભગવંત માન બોલ્યા – ગુનેગારોને કડકમાં કડક સજા કરવામાં આવશે

ભગવંત માને મંગળવારે મીડિયાને કહ્યું કે જે લોકો પંજાબનું વાતાવરણ બગાડવા માંગે છે તેમને બક્ષવામાં આવશે નહીં. ગઈકાલે રાત્રે મોહાલીમાં થયેલા વિસ્ફોટ અંગે મેં ડીજીપી અને અન્ય ગુપ્તચર અધિકારીઓ પાસેથી રિપોર્ટ મંગાવ્યો છે. ગુનેગારોને કડકમાં કડક સજા કરવામાં આવશે. સાંજ સુધીમાં સ્થિતિ વધુ સ્પષ્ટ થશે. આ મામલે તપાસ ચાલી રહી છે.

કેટલાક લોકોની અટકાયત કરવામાં આવી

આ ઘટના સંદર્ભે કેટલાક લોકોની અટકાયત પણ કરવામાં આવી હોવાનું ધ્યાને આવ્યું છે. દિલ્હીના મુખ્યમંત્રી અને AAP કન્વીનર અરવિંદ કેજરીવાલે ટ્વીટ કર્યું કે, મોહાલી બ્લાસ્ટ એ લોકોનું કાયરતાપૂર્ણ કૃત્ય છે જેઓ પંજાબની શાંતિને ખલેલ પહોંચાડવા માંગે છે. પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર તે લોકોની ઈચ્છાઓ પૂરી થવા દેશે નહીં.

કેજરીવાલે પ્રતિક્રિયા આપી

દિલ્હીના મુખ્યમંત્રીએ કહ્યું કે તમામ લોકોની મદદથી પંજાબમાં દરેક સંજોગોમાં શાંતિ જાળવવામાં આવશે અને ગુનેગારોને કડકમાં કડક સજા આપવામાં આવશે. પંજાબના મોહાલીમાં સેક્ટર 77, મોહાલીમાં સ્થિત પોલીસ ઇન્ટેલિજન્સ યુનિટના મુખ્યાલયના પરિસરમાં સોમવારે રાત્રે લગભગ 8:45 વાગ્યે રોકેટથી ચાલતા ગ્રેનેડથી હુમલો કરવામાં આવ્યો હતો, જેનાથી ઇમારતની બારીઓના કાચ તૂટી ગયા હતા. જો કે આ બ્લાસ્ટમાં કોઈ જાનહાનિ થઈ ન હતી.

સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
ગુજરાતમાં પડશે ગાત્રો થીજવતી ઠંડી
ગુજરાતમાં પડશે ગાત્રો થીજવતી ઠંડી
g clip-path="url(#clip0_868_265)">