Mohali Blast: શીખ ફોર જસ્ટિસે મોહાલી હુમલાની જવાબદારી સ્વીકારી, હિમાચલમાં પણ બ્લાસ્ટની ધમકી

ભગવંત માને મંગળવારે મીડિયાને કહ્યું કે જે લોકો પંજાબનું વાતાવરણ બગાડવા માંગે છે તેમને બક્ષવામાં આવશે નહીં. ગઈકાલે રાત્રે મોહાલીમાં થયેલા વિસ્ફોટ (Mohali Blast) અંગે મેં ડીજીપી પાસેથી રિપોર્ટ મંગાવ્યો છે. ગુનેગારોને કડકમાં કડક સજા કરવામાં આવશે.

Mohali Blast: શીખ ફોર જસ્ટિસે મોહાલી હુમલાની જવાબદારી સ્વીકારી, હિમાચલમાં પણ બ્લાસ્ટની ધમકી
Mohali Blast - File Photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 10, 2022 | 12:51 PM

પંજાબના (Punjab) મોહાલીમાં થયેલા ગ્રેનેડ હુમલા (Mohali Blast) પાછળ ખાલિસ્તાન સમર્થકોનું નામ સામે આવી રહ્યું છે. ખાલિસ્તાનની માગણી કરતી સંસ્થા શીખ ફોર જસ્ટિસે આ હુમલાની જવાબદારી લીધી છે. પંજાબમાં હુમલા બાદ શીખ ફોર જસ્ટિસના વડા ગુરપતવંત સિંહ પન્નુએ હિમાચલ પ્રદેશમાં પણ આવા જ હુમલાની ધમકી આપી હોવાનું પણ સામે આવ્યું છે. પન્નુએ હુમલાની જવાબદારી સ્વીકાર્યા બાદ પંજાબ અને હિમાચલ પ્રદેશમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી જયરામ ઠાકુરને પન્નુ દ્વારા ધમકી આપવામાં આવી છે કે આવો હુમલો શિમલામાં પણ થઈ શકે છે. તેણે કહ્યું છે કે શીખ સમુદાયને ઉશ્કેરવામાં ન આવે.

સીએમ ભગવંત માને બેઠક યોજી હતી

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને મંગળવારે કહ્યું કે મોહાલીમાં પંજાબ પોલીસના ઈન્ટેલિજન્સ યુનિટના હેડક્વાર્ટરમાં થયેલા વિસ્ફોટની તપાસ કરવામાં આવી રહી છે. તેમણે એ વાત પર પણ ભાર મૂક્યો હતો કે રાજ્યમાં શાંતિ ભંગ કરવાનો પ્રયાસ કરનારાઓને બક્ષવામાં આવશે નહીં. માને તેમના નિવાસસ્થાને પોલીસ મહાનિર્દેશક સહિત વરિષ્ઠ પોલીસ અધિકારીઓની બેઠક બોલાવી છે અને ઘટના અંગે રિપોર્ટ માંગ્યો છે.

ભગવંત માન બોલ્યા – ગુનેગારોને કડકમાં કડક સજા કરવામાં આવશે

ભગવંત માને મંગળવારે મીડિયાને કહ્યું કે જે લોકો પંજાબનું વાતાવરણ બગાડવા માંગે છે તેમને બક્ષવામાં આવશે નહીં. ગઈકાલે રાત્રે મોહાલીમાં થયેલા વિસ્ફોટ અંગે મેં ડીજીપી અને અન્ય ગુપ્તચર અધિકારીઓ પાસેથી રિપોર્ટ મંગાવ્યો છે. ગુનેગારોને કડકમાં કડક સજા કરવામાં આવશે. સાંજ સુધીમાં સ્થિતિ વધુ સ્પષ્ટ થશે. આ મામલે તપાસ ચાલી રહી છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

કેટલાક લોકોની અટકાયત કરવામાં આવી

આ ઘટના સંદર્ભે કેટલાક લોકોની અટકાયત પણ કરવામાં આવી હોવાનું ધ્યાને આવ્યું છે. દિલ્હીના મુખ્યમંત્રી અને AAP કન્વીનર અરવિંદ કેજરીવાલે ટ્વીટ કર્યું કે, મોહાલી બ્લાસ્ટ એ લોકોનું કાયરતાપૂર્ણ કૃત્ય છે જેઓ પંજાબની શાંતિને ખલેલ પહોંચાડવા માંગે છે. પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર તે લોકોની ઈચ્છાઓ પૂરી થવા દેશે નહીં.

કેજરીવાલે પ્રતિક્રિયા આપી

દિલ્હીના મુખ્યમંત્રીએ કહ્યું કે તમામ લોકોની મદદથી પંજાબમાં દરેક સંજોગોમાં શાંતિ જાળવવામાં આવશે અને ગુનેગારોને કડકમાં કડક સજા આપવામાં આવશે. પંજાબના મોહાલીમાં સેક્ટર 77, મોહાલીમાં સ્થિત પોલીસ ઇન્ટેલિજન્સ યુનિટના મુખ્યાલયના પરિસરમાં સોમવારે રાત્રે લગભગ 8:45 વાગ્યે રોકેટથી ચાલતા ગ્રેનેડથી હુમલો કરવામાં આવ્યો હતો, જેનાથી ઇમારતની બારીઓના કાચ તૂટી ગયા હતા. જો કે આ બ્લાસ્ટમાં કોઈ જાનહાનિ થઈ ન હતી.

Latest News Updates

રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સંકલન સમિતિની આજે બેઠક
રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સંકલન સમિતિની આજે બેઠક
g clip-path="url(#clip0_868_265)">