Mohali Blast: મોહાલી હુમલા બાદ પોલીસ એક્શનમાં, હુમલામાં વપરાયેલ ગ્રેનેડ લોન્ચર મળી આવ્યા, 12 શંકાસ્પદ લોકોની અટકાયત

પંજાબના મોહાલીના સેક્ટર 77માં સ્થિત ઈન્ટેલિજન્સ યુનિટના હેડક્વાર્ટર પર સોમવારે રાત્રે રોકેટ પ્રોપેલ્ડ ગ્રેનેડથી હુમલો (Mohali Blast) કરવામાં આવ્યો હતો.

Mohali Blast: મોહાલી હુમલા બાદ પોલીસ એક્શનમાં, હુમલામાં વપરાયેલ ગ્રેનેડ લોન્ચર મળી આવ્યા, 12 શંકાસ્પદ લોકોની અટકાયત
Mohali Blast Image Credit source: Image Credit Source: Pti
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 10, 2022 | 10:09 PM

પંજાબના મોહાલીના સેક્ટર 77માં સ્થિત ઈન્ટેલિજન્સ યુનિટના હેડક્વાર્ટર પર સોમવારે રાત્રે રોકેટ પ્રોપેલ્ડ ગ્રેનેડથી હુમલો (Mohali Blast) કરવામાં આવ્યો હતો. આ હુમલા બાદ પોલીસે આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. સાહિબજાદા અજીત સિંહ નગરના જિલ્લા જનસંપર્ક અધિકારીએ કહ્યું કે, ઘણા શંકાસ્પદોને કસ્ટડીમાં લઈ પૂછપરછ કરવામાં આવી રહી છે. હુમલામાં વપરાયેલ ગ્રેનેડ લોન્ચર પોલીસ દ્વારા રિકવર કરવામાં આવ્યું છે. આ કેસમાં મળેલી તમામ કડીઓની કાળજીપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે. હકીકતમાં, પોલીસે ચંદીગઢ-દિલ્હી નેશનલ હાઈવેને અડીને આવેલા વિસ્તારોમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું અને 11 લોકોની અટકાયત કરી હતી. આ સિવાય પોલીસે મંગળવારે અંબાલાથી હુમલા સાથે સંબંધિત એક શકમંદની ધરપકડ કરી હતી.

જણાવવામાં આવ્યું છે કે, શહેરમાં બ્લાસ્ટ થયા બાદ એક સ્વિફ્ટ કાર મોહાલીથી ડેરાબસ્સી તરફ ગઈ હતી. આ પછી કાર ત્યાંથી અંબાલામાં પ્રવેશી. પોલીસને આ કાર પર શંકા ગઈ અને ત્યારબાદ કારમાં સવાર એક શકમંદને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. પોલીસ હવે શંકાસ્પદને મોહાલી લાવી રહી છે.

તે જ સમયે, પ્રતિબંધિત અલગતાવાદી સંગઠન અને ખાલિસ્તાન તરફી જૂથ શીખ ફોર જસ્ટિસ (SFJ) એ એક ઓડિયો સંદેશ જાહેર કરીને હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી જય રામ ઠાકુરને કહ્યું છે કે, તેઓ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પાસેથી પાઠ લે અને લડાઈ શરૂ ન કરે. રાજ્યના કેટલાક મીડિયા લોકોને મોકલવામાં આવેલા ઓડિયો સંદેશમાં, SFJ સભ્ય ગુરપતવંત સિંહ પન્નુને ઠાકુરને ધમકી આપી છે કે, જો તે ધર્મશાળામાં ખાલિસ્તાની ઝંડા ફરકાવવા સામે પગલાં લેશે તો હિંસા થશે. સોમવારે મોહાલીમાં પંજાબ પોલીસના ઈન્ટેલિજન્સ બ્યુરો હેડક્વાર્ટર પર RPG હુમલાનો ઉલ્લેખ કરતા પન્નુને કહ્યું કે, તે શિમલામાં પણ થઈ શકે છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

પંજાબ પોલીસે ઘટના અંગે શું કહ્યું?

બીજી તરફ, પંજાબના પોલીસ મહાનિર્દેશક (ડીજીપી) વીકે ભાવરાએ વરિષ્ઠ અધિકારીઓ સાથેની બેઠક બાદ જણાવ્યું હતું કે, પોલીસ ઈન્ટેલિજન્સ યુનિટના હેડક્વાર્ટરની ઈમારતમાં વિસ્ફોટક અથડાયું હતું અને તેમાં TNT (ટ્રિનિટ્રોટોલ્યુએન)નો ઉપયોગ થયો હોવાનું જણાય છે. ડીજીપીએ કહ્યું કે, જ્યારે ઘટના બની ત્યારે બિલ્ડિંગના તે રૂમમાં કોઈ નહોતું. બ્લાસ્ટની અસર દિવાલ પર પડી હતી. ગઈકાલની ઘટનાને ધ્યાનમાં રાખીને અમે અહીં એક બેઠક યોજી હતી જેમાં ગુપ્તચર અધિકારીઓ અને જિલ્લા પોલીસ વડા પણ હાજર હતા.

તેમણે કહ્યું કે, તપાસમાં જે પણ બહાર આવશે તે મીડિયા સાથે શેર કરવામાં આવશે. પોલીસ મહાનિર્દેશકે કહ્યું, અમારી પાસે લીડ છે અને અમે ટૂંક સમયમાં મામલો ઉકેલીશું. તે એક પડકાર છે અને અમે આ મામલાને ઉકેલવા માટે અમારા શ્રેષ્ઠ પ્રયાસો કરી રહ્યા છીએ.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">