AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કોણ છે ઉદયનિધિ સ્ટાલિન ? જેણે સનાતન ધર્મ પર આપ્યું વિવાદાસ્પદ નિવેદન

તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિનના પુત્ર અને રમતગમત મંત્રી ઉદયનિધિ સ્ટાલિને સનાતન ધર્મને લઈને આવું નિવેદન આપ્યું છે, જેના કારણે ચેન્નાઈથી લઈને દિલ્હી સુધી હંગામો મચી ગયો છે. ગયા શનિવારે સનાતન નિર્મૂલન સંમેલનમાં બોલતા તેમણે કહ્યું હતું કે આ ધર્મ સામાજિક ન્યાય અને સમાનતાની વિરુદ્ધ છે. ઉદયનિધિએ કહ્યું કે સનાતન ધર્મ મચ્છરો દ્વારા ફેલાતા ડેન્ગ્યુ અને મેલેરિયા જેવો છે અને તેને નાબૂદ કરવો પડશે

કોણ છે ઉદયનિધિ સ્ટાલિન ? જેણે સનાતન ધર્મ પર આપ્યું વિવાદાસ્પદ નિવેદન
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 04, 2023 | 12:05 PM
Share

તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિનના પુત્ર અને રમતગમત મંત્રી ઉદયનિધિ સ્ટાલિને સનાતન ધર્મને લઈને આવું નિવેદન આપ્યું છે, જેના કારણે ચેન્નાઈથી લઈને દિલ્હી સુધી હંગામો મચી ગયો છે. ગયા શનિવારે સનાતન નિર્મૂલન સંમેલનમાં બોલતા તેમણે કહ્યું હતું કે આ ધર્મ સામાજિક ન્યાય અને સમાનતાની વિરુદ્ધ છે. ઉદયનિધિએ કહ્યું કે સનાતન ધર્મ મચ્છરો દ્વારા ફેલાતા ડેન્ગ્યુ અને મેલેરિયા જેવો છે અને તેને નાબૂદ કરવો પડશે.

આ પણ વાંચો : ઉદયનિધિ સ્ટાલિનના નિવેદન પર ભાજપે વિરોધ પક્ષોને ઘેર્યા, કહ્યું- રાહુલ, નીતિશ અને તેજસ્વીનું મૌન ચોંકાવનારું છે

તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિનના પુત્ર અને રમતગમત મંત્રી ઉદયનિધિ સ્ટાલિને સનાતન ધર્મને લઈને આવું નિવેદન આપ્યું છે, જેના કારણે ચેન્નાઈથી લઈને દિલ્હી સુધી હંગામો મચી ગયો છે. ગયા શનિવારે સનાતન નિર્મૂલન સંમેલનમાં બોલતા તેમણે કહ્યું હતું કે આ ધર્મ સામાજિક ન્યાય અને સમાનતાની વિરુદ્ધ છે. ઉદયનિધિએ કહ્યું કે સનાતન ધર્મ મચ્છરો દ્વારા ફેલાતા ડેન્ગ્યુ અને મેલેરિયા જેવો છે અને તેને નાબૂદ કરવો પડશે.

ઉદયનિધિ સ્ટાલિન કરુણાનિધિના પૌત્ર છે

ઉદયનિધિ સ્ટાલિનને રાજકારણ વારસામાં મળ્યું છે. તેઓ તામિલનાડુના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને દ્રવિડિયન નેતા સ્વર્ગસ્થ એમ કરુણાનિધિના પૌત્ર છે. ઉદયનિધિના પિતા એમકે સ્ટાલિન ડીએમકેના વડા અને તમિલનાડુના વર્તમાન મુખ્યમંત્રી છે. તેમને ગયા વર્ષે જ સ્ટાલિન સરકારમાં રમતગમત અને યુવા બાબતોના મંત્રી બનાવવામાં આવ્યા હતા. આ સિવાય તેઓ ડીએમકેની યુવા પાંખના રાજ્ય સચિવ પણ છે.

2019માં રાજકીય સફર શરૂ થઈ

ઉદયનિધિની રાજકીય સફર વર્ષ 2019માં શરૂ થઈ હતી. તેમને ડીએમકે યુવા પાંખના સચિવ બનાવવામાં આવ્યા હતા. આ વર્ષે યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં તેમણે ડીએમકે માટે પ્રચાર કર્યો હતો. જીન્સ અને શર્ટ પહેરેલા, 45 વર્ષીય ઉદયનિધિ 2021માં ચેપોક-થિરુવલ્લીકેની બેઠક પરથી પ્રથમ વખત ધારાસભ્ય બન્યા હતા. એમકે સ્ટાલિને તેમને ડિસેમ્બર 2022ના રોજ સરકારમાં સામેલ કર્યા. રાજકારણમાં આવતા પહેલા તે દક્ષિણ સિનેમામાં અભિનેતા અને નિર્માતા હતા. તેમની પ્રથમ ફિલ્મ ‘ઓરુ કાલ ઓરુ કન્નડી’ હતી.

અગાઉ પણ વિવાદાસ્પદ નિવેદનો આપ્યા છે

ઉદયનિધિ અગાઉ પણ વિવાદાસ્પદ નિવેદનો આપી ચૂક્યા છે. વર્ષ 2021માં તેમણે પૂર્વ કેન્દ્રીય મંત્રીઓ સુષ્મા સ્વરાજ અને અરુણ જેટલીના મૃત્યુ પર ટિપ્પણી કરી હતી. તેમણે આરોપ લગાવ્યો કે આ બંને નેતાઓનું મોત પીએમ મોદીના દબાણને કારણે થયું છે. આ સિવાય જુનિયર સ્ટાલિને પીએમ મોદી પર બીજેપીના વરિષ્ઠ નેતાઓને સાઇડલાઇન કરવાનો પણ આરોપ લગાવ્યો હતો. ઉદયનિધિના આ નિવેદનો પર ઘણો વિવાદ થયો હતો.

ઉદયનિધિએ કિરુથિગા સાથે લગ્ન કર્યા

ઉદયનિધિ સ્ટાલિનનો જન્મ 27 નવેમ્બર 1977ના રોજ થયો હતો. ઉદયનિધિના લગ્ન કિરુથિગા સાથે થયા હતા. તે Inbox 1305 નામના મેગેઝિનની એડિટર છે. આ ઉપરાંત, તે એક ફિલ્મ નિર્દેશક પણ છે, જેણે 2013માં વનાક્કમ ચેન્નાઈ, 2018માં કાલી અને 2022માં પેપર રોકેટ નામની વેબ સિરીઝનું નિર્દેશન કર્યું હતું. ઉદયનિધિની માતાનું નામ દુર્ગા સ્ટાલિન છે. ઉદયનિધિને એક પુત્ર અને એક પુત્રી છે.

Follow Us
અદાણી ગ્રુપ: ગ્લોબલ પોર્ટ્સ અને એજ્યુકેશનમાં નવો માઈલસ્ટોન!
અદાણી ગ્રુપ: ગ્લોબલ પોર્ટ્સ અને એજ્યુકેશનમાં નવો માઈલસ્ટોન!
વેધર અપડેટ: અમદાવાદમાં અષાઢી માહોલ!
વેધર અપડેટ: અમદાવાદમાં અષાઢી માહોલ!
ગુજરાતમાં ભર ઉનાળે ત્રાટક્યું મિનિ વાવાઝોડું
ગુજરાતમાં ભર ઉનાળે ત્રાટક્યું મિનિ વાવાઝોડું
દ્વારકા જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ, ભારે પવનમાં ઉડી ગઈ રાઈડ્સ
દ્વારકા જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ, ભારે પવનમાં ઉડી ગઈ રાઈડ્સ
કચ્છમાં તોફાની પવન સાથે કમોસમી વરસાદ, વાગડમાં વિસ્તારમાં પડ્યા કરા
કચ્છમાં તોફાની પવન સાથે કમોસમી વરસાદ, વાગડમાં વિસ્તારમાં પડ્યા કરા
પેટા પ્રશ્નોની અંદર પૂરતી માહિતીના અભાવે મંત્રીઓ ગૂંચવાઈ જતા CM નારાજ
પેટા પ્રશ્નોની અંદર પૂરતી માહિતીના અભાવે મંત્રીઓ ગૂંચવાઈ જતા CM નારાજ
કચ્છમાં મિની વાવાઝોડા સાથે ઝરમર વરસાદ, વીજ પુરવઠો ખોરવાયો
કચ્છમાં મિની વાવાઝોડા સાથે ઝરમર વરસાદ, વીજ પુરવઠો ખોરવાયો
અમદાવાદ-સુરતમાં નકલી નોટ કૌભાંડનો ભાંડાફોડ
અમદાવાદ-સુરતમાં નકલી નોટ કૌભાંડનો ભાંડાફોડ
શાહીબાગ અંડરબ્રિજ 10 દિવસ માટે બંધ, વાહનોની અવરજવર પર લગાવી રોક
શાહીબાગ અંડરબ્રિજ 10 દિવસ માટે બંધ, વાહનોની અવરજવર પર લગાવી રોક
“હક્ક નહીં તો દૂધ નહીં” પશુપાલકોના આક્રોશથી શહેર થંભ્યું
“હક્ક નહીં તો દૂધ નહીં” પશુપાલકોના આક્રોશથી શહેર થંભ્યું
g clip-path="url(#clip0_868_265)">