Jammu Kashmir : પુલવામામાં લશ્કરના આતંકવાદી મોડ્યુલનો પર્દાફાશ, પોલીસે 6 આતંકવાદીઓની કરી ધરપકડ
પોલીસની પ્રારંભિક તપાસ દરમિયાન એવું જાણવા મળ્યું છે કે આ આતંકવાદીઓ ટેરર ફાઇનાન્સનું સંચાલન કરવા ઉપરાંત યુવાનોને આતંકવાદી બનવા માટે પ્રેરિત કરવા જેવી પ્રવૃત્તિઓમાં સામેલ હતા.
જમ્મુ-કાશ્મીરના (Jammu Kashmir) પુલવામામાં (Pulwama) એક આતંકી મોડ્યુલનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. પોલીસે જણાવ્યું કે આતંકવાદી સંગઠન લશ્કર (Lashkar-e-Taiba) સાથે જોડાયેલા 6 આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી છે. જમ્મુ અને કાશ્મીર પોલીસે (Jammu Kashmir Police) માહિતી આપી હતી કે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે તમામ આતંકવાદીઓ લોજિસ્ટિક્સ, આશ્રય આપવા અને યુવાનોને આતંકવાદીઓ તરીકે કામ કરવા પ્રેરિત કરવામાં સામેલ હતા.
આતંકવાદીઓની ઓળખ રઉફ અહેમદ લોન અમજદ, આકિબ મકબૂલ ભટ, જાવેદ અહેમદ ડાર, અરશીદ અહેમદ મીર, રમીઝ રાજા, સજાદ અહમદ ડાર તરીકે કરવામાં આવી છે. પોલીસની પ્રારંભિક તપાસ દરમિયાન એવું જાણવા મળ્યું છે કે આ આતંકવાદીઓ ટેરર ફાઇનાન્સનું સંચાલન કરવા ઉપરાંત યુવાનોને આતંકવાદી બનવા માટે પ્રેરિત કરવા જેવી પ્રવૃત્તિઓમાં સામેલ હતા. તપાસ ટીમને એ પણ જાણવા મળ્યું છે કે આ તમામ આતંકવાદી કમાન્ડર રિયાઝ અહેમદ ડાર, ખાલિદ આતંકવાદી સંગઠન લશ્કરના શિરાઝ માટે કામ કરતો હતો અને સતત તેમના સંપર્કમાં હતો.
Police busted a terror module by arresting six terrorist associates linked with proscribed terror outfit LeT in Pulwama. Preliminary probe revealed that they were involved in providing logistics, shelter and motivating youth to act as hybrid terrorists: Jammu and Kashmir Police
— ANI (@ANI) March 18, 2022
આ વર્ષે 150 આતંકવાદીઓની ધરપકડ કરાઈ
પોલીસ મહાનિરીક્ષક (IGP) કાશ્મીર વિજય કુમારે ગુરુવારે કહ્યું કે જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષા દળો માટે આતંકવાદી સંગઠનોના કાર્યકર્તાઓને શોધી કાઢવો એક મોટો પડકાર છે. આમ છતાં આ વર્ષે અત્યાર સુધીમાં 150ની ધરપકડ કરવામાં આવી છે. આઈજીપીએ બડગામમાં પત્રકારોને જણાવ્યું હતું કે, “ઓવરગ્રાઉન્ડ વર્કર્સ કાયમી ધોરણે એક જગ્યાએ રહેતા નથી. OGW કેટલીક પ્રવૃત્તિઓ કરે છે અને પછી સામાન્ય જીવનમાં પાછા ફરે છે. તેથી જ અમે તેમને આતંકવાદી અથવા આતંકવાદી સહયોગી કહીએ છીએ.
સુરક્ષા દળો પર પથ્થરમારો કરવા બદલ 15 લોકોની ધરપકડ
તેમણે કહ્યું, ગુરુવારે, જમ્મુ અને કાશ્મીરમાં એન્કાઉન્ટરમાં ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા બાદ સુરક્ષા દળો પર પથ્થરમારો કરવા બદલ 15 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે ચેતવણીઓ છતાં, ગુસ્સે ભરાયેલા ટોળાએ એન્કાઉન્ટર સ્થળ સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો હતો અને સુરક્ષા દળો પર પથ્થરમારો કર્યો હતો. સુરક્ષા દળોએ 16 માર્ચે શ્રીનગરના શંકરપુરા નોઉગામમાં ત્રણ આતંકવાદીઓને ઠાર કર્યા હતા.
આ પણ વાંચોઃ
Jammu and Kashmir : અમિત શાહ આજથી બે દિવસ કાશ્મીરમાં, ઉચ્ચસ્તરીય બેઠક યોજી સ્થિતિની કરશે સમીક્ષા
આ પણ વાંચોઃ