AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Manipur Violence: મણિપુરમાં તણાવપૂર્ણ પરિસ્થિતિ, બદમાશોએ મંત્રીના ગોડાઉનમાં લગાવી આગ, જુઓ Video

શુક્રવારે રાત્રે પણ આ જ જિલ્લાના ખુરાઈમાં ગ્રાહક અને ખાદ્ય બાબતોના મંત્રીની અન્ય મિલકત અને તેમના નિવાસસ્થાને આગ લગાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. મણિપુરમાં તણાવપૂર્ણ પરિસ્થિતિને જોતા ગૃહમંત્રી અમિત શાહે સર્વપક્ષીય બેઠક બોલાવી છે.

Manipur Violence: મણિપુરમાં તણાવપૂર્ણ પરિસ્થિતિ, બદમાશોએ મંત્રીના ગોડાઉનમાં લગાવી આગ, જુઓ Video
Manipur Violence
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 24, 2023 | 3:20 PM
Share

Manipur Violence: મણિપુરમાં 3 મેના રોજ ફાટી નીકળેલી હિંસા પછી, રાજ્યમાં શાંતિ પુનઃસ્થાપિત કરવાના તમામ પ્રયાસો નિષ્ફળ ગયા હોવાનું જણાય છે. રાજ્યમાં હિંસા અટકવાનું નામ નથી લઈ રહી. ઘણા વિસ્તારોમાંથી ગોળીબાર અને આગચંપીના અહેવાલો છે. દરમિયાન હવે એક મંત્રીના ખાનગી ગોડાઉનમાં આગ લાગી છે. મળતી માહિતી મુજબ, શનિવારે પૂર્વ ઇમ્ફાલ જિલ્લાના ચિંગારેલમાં બદમાશોએ મણિપુરના મંત્રી એલ સુસિન્દ્રોના અંગત ગોડાઉનમાં આગ લગાવી દીધી હતી.

ગૃહમંત્રી અમિત શાહે સર્વપક્ષીય બેઠક બોલાવી

ફાયર ફાઈટર આગ પર કાબુ મેળવે ત્યાં સુધીમાં આખું ગોડાઉન બળીને ખાખ થઈ ગયું હતું. આ ઉપરાંત શુક્રવારે રાત્રે પણ આ જ જિલ્લાના ખુરાઈમાં ગ્રાહક અને ખાદ્ય બાબતોના મંત્રીની અન્ય મિલકત અને તેમના નિવાસસ્થાને આગ લગાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. મણિપુરમાં તણાવપૂર્ણ પરિસ્થિતિને જોતા ગૃહમંત્રી અમિત શાહે સર્વપક્ષીય બેઠક બોલાવી છે. તેમાં TMC અને NCPના પ્રતિનિધિઓ પણ સામેલ થશે.

જંતર-મંતર ખાતે વિરોધ પ્રદર્શન

તમને જણાવી દઈએ કે, મણિપુરમાં હિંસા ફાટી નીકળ્યાને 50 દિવસથી વધુ સમય વીતી ગયો છે, પરંતુ હજુ પણ ઘણા વિસ્તારોમાં સ્થિતિ ગંભીર છે. આવી સ્થિતિમાં દિલ્હીના જંતર-મંતર પર પણ ઉગ્ર દેખાવો થઈ રહ્યા છે.

બે જિલ્લામાં ત્રણ દિવસથી ગોળીબાર

આ સિવાય મણિપુરના બે જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી હિંસા ચાલુ છે. પૂર્વ ઇમ્ફાલ અને કાંગપોકપીમાં સતત ગોળીબારનો અવાજ સંભળાય છે. છેલ્લા ત્રણ દિવસથી અહીં સુરક્ષા દળો અને અજાણ્યા હુમલાખોરો વચ્ચે અથડામણ ચાલી રહી છે. મીડિયા અહેવાલ મુજબ, સુરક્ષા દળોના સૂત્રોનું કહેવું છે કે આ ફાયરિંગ આર્મી અને બીએસએફની સંયુક્ત પેટ્રોલિંગ ટીમ અને હુમલાખોરો વચ્ચે થઈ રહ્યું છે. જો કે હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી. મળતી માહિતી મુજબ પૂર્વ ઇમ્ફાલના બે ગામ ઉરંગપત અને ગ્વાલતાબી અને કાંગપોકપીના યાંગંગપોકપીમાં ગોળીબાર થઈ રહ્યો છે.

આ પણ વાંચો : West Bengal: બંગાળમાં કુસ્તી અને પટનામાં દોસ્તી, શુભેન્દુ અધિકારીનો મમતા બેનર્જી અને કોંગ્રેસ પર કટાક્ષ

ઉરંગપત અને ગ્વાલતાબી ગામોને નિશાન બનાવવામાં આવ્યા હતા

કહેવામાં આવી રહ્યું છે કે સશસ્ત્ર હુમલાખોરો ઉરંગપત અને ગ્વાલતાબી ગામોને નિશાન બનાવવા યેગાંગપોક્સીથી પર્વતીય વિસ્તારોમાં ઘૂસ્યા હતા. આ પછી તેણે ઓટોમેટિક હથિયારોથી ફાયરિંગ શરૂ કર્યું. ઘટનાની માહિતી મળતાની સાથે જ સેના અને બીએસએફના જવાનો તરત જ વિસ્તારમાં તૈનાત થઈ ગયા હતા અને જવાબી કાર્યવાહી શરૂ કરી હતી. બંને ગામોમાં સતત હુમલાને જોતા લોકોએ ગામ છોડી દીધું છે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
ભાવનગર જિલ્લામાં 80% વિસ્તારમાં કપાસ અને મગફળીનું વિક્રમ જનક વાવેતર
ભાવનગર જિલ્લામાં 80% વિસ્તારમાં કપાસ અને મગફળીનું વિક્રમ જનક વાવેતર
વાલીઓનો સરકારી શાળાઓ પ્રત્યેનો વિશ્વાસ હવે દિવસેને દિવસે વધ્યો
વાલીઓનો સરકારી શાળાઓ પ્રત્યેનો વિશ્વાસ હવે દિવસેને દિવસે વધ્યો
₹120 કરોડના ટાઈડલ ડેમે વધારી ખેડૂતોની ચિંતા! 40 ફૂટ સુધી જમીન ધોવાઈ
₹120 કરોડના ટાઈડલ ડેમે વધારી ખેડૂતોની ચિંતા! 40 ફૂટ સુધી જમીન ધોવાઈ
રાજકોટમાં એનાલૉગ પનીર પર પ્રતિબંધ છતાં ઉત્પાદન ચાલુ
રાજકોટમાં એનાલૉગ પનીર પર પ્રતિબંધ છતાં ઉત્પાદન ચાલુ
સ્પેસએક્સનું અનિયંત્રિત રોકેટ ચંદ્ર સાથે અથડાયું, શુ પૃથ્વીને થશે ખતરો
સ્પેસએક્સનું અનિયંત્રિત રોકેટ ચંદ્ર સાથે અથડાયું, શુ પૃથ્વીને થશે ખતરો
બિનજરૂરી ખર્ચ વધી શકે છે, પરિવારના સભ્યોનો પૂર્ણ સહયોગ મળશે
બિનજરૂરી ખર્ચ વધી શકે છે, પરિવારના સભ્યોનો પૂર્ણ સહયોગ મળશે
ગુજરાતમાં એનાલોગ પનીર, ચીઝ અને બટર પર પ્રતિબંધ
ગુજરાતમાં એનાલોગ પનીર, ચીઝ અને બટર પર પ્રતિબંધ
અમદાવાદની શાળાઓમાં રવિવારે સ્વૈચ્છિક વર્ગોને મંજૂરી
અમદાવાદની શાળાઓમાં રવિવારે સ્વૈચ્છિક વર્ગોને મંજૂરી
વાયબ્રન્ટ ગુજરાત માટે CM ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવી જશે વિદેશ
વાયબ્રન્ટ ગુજરાત માટે CM ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવી જશે વિદેશ
કોમનવેલ્થ ગેમ્સમાં ભારતનો ડંકો વાગ્યો : DyCM હર્ષ સંઘવી
કોમનવેલ્થ ગેમ્સમાં ભારતનો ડંકો વાગ્યો : DyCM હર્ષ સંઘવી
g clip-path="url(#clip0_868_265)">