AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મણિપુરમાં સુરક્ષાદળના જવાનો પર હુમલો, આસામ રાયફલ્સના CO સહિત 7ના મોત,રાજનાથ સિંહે કહ્યુ હુમલાખોરોને બક્ષવામાં નહીં આવે

આ હુમલા પાછળ ઉગ્રવાદી સંગઠન પીપલ્સ લિબરેશન આર્મી (પીએલએ)નો હાથ હોવાનું માનવામાં આવે છે.

મણિપુરમાં સુરક્ષાદળના જવાનો પર હુમલો, આસામ રાયફલ્સના CO સહિત 7ના મોત,રાજનાથ સિંહે કહ્યુ હુમલાખોરોને બક્ષવામાં નહીં આવે
Convoy of a Commanding Officer of an Assam Rifles unit ambushed by terrorists in Manipur
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 13, 2021 | 5:29 PM
Share

મણિપુર(Manipur)માં ઉગ્રવાદીઓએ આર્મી યુનિટ પર હુમલો કર્યો હતો. જેમાં કર્નલ અને અનેક જવાનો શહીદ થયા છે. આ હુમલા પાછળ ઉગ્રવાદી સંગઠન પીપલ્સ લિબરેશન આર્મી (PLA)નો હાથ હોવાનું માનવામાં આવે છે.

મણિપુરના સિંગગાટ વિસ્તારમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. અહીં આતંકીઓએ આર્મી યુનિટ પર ઓચિંતો હુમલો કર્યો . જેમાં 46 આસામ રાઈફલ્સના કર્નલ વિપ્લપ ત્રિપાઠી સહિત 5 જવાનો શહીદ થયા છે. આ હુમલામાં કર્નલની પત્ની અને સગીર પુત્રનું પણ મોત થયું હતું. હુમલામાં કુલ 7 લોકોના મોતના સમાચાર છે. મળતી માહિતી મુજબ, આ ઘટના શનિવારે સવારે 10.30 વાગ્યે ચુરાચંદપુર જિલ્લાના સિંગગાટના સેહકેન ગામમાં બની હતી. આ હુમલા પાછળ મણિપુરના ઉગ્રવાદી સંગઠન પીપલ્સ લિબરેશન આર્મી (PLA)નો હાથ હોવાનું માનવામાં આવે છે.

સેહકેન એ બેહિયાંગ વિસ્તારનું એક સરહદી ગામ છે, જે જિલ્લાના મુખ્ય મથક ચુરાચંદપુરથી લગભગ 65 કિમી દૂર છે. સેનાએ આતંકવાદીઓ (મણિપુર એક્સ્ટ્રીમિસ્ટ આઉટફિટ) પર કાર્યવાહી કરવા માટે ઓપરેશન શરૂ કર્યું છે. જ્યારે આસામ રાઈફલ્સ યુનિટના કમાન્ડિંગ ઓફિસરના કાફલા પર હુમલો કરવામાં આવ્યો, ત્યારે કાફલામાં રેપિડ રિસ્પોન્સ ટીમના સભ્યો અને અધિકારીના પરિવારના સભ્યોનો સમાવેશ થતો હતો. મણિપુરના મુખ્ય પ્રધાન એન બિરેન સિંહે સમાચાર એજન્સી પીટીઆઈને પુષ્ટિ આપી છે કે કમાન્ડન્ટ અને સૈનિકો, તેમના પરિવારના સભ્યો સહિત ઓચિંતા હુમલામાં માર્યા ગયા હતા.

આ તરફ રક્ષામંત્રી રાજનાથ સિંહે ઘટનાની નિંદા કરી છે અને કહ્યુ છે કે હુમલાખોરોને બક્ષવામાં નહીં આવે.

ઉત્તરાયણે મુસ્લિમોએ પતંગ ન ઉડાડવાનો મસ્જિદથી એલાનનો Video વાયરલ
ઉત્તરાયણે મુસ્લિમોએ પતંગ ન ઉડાડવાનો મસ્જિદથી એલાનનો Video વાયરલ
જૂનાગઢમાં જુત્તાનો વિવાદ! ઈટાલિયાના આરોપ સામે સંજય કોરડીયાની તીખી ટીકા
જૂનાગઢમાં જુત્તાનો વિવાદ! ઈટાલિયાના આરોપ સામે સંજય કોરડીયાની તીખી ટીકા
ફોરેસ્ટ વિભાગનાં અધિકારીઓ "વિચિત્ર પ્રાણી"- મનસુખ વસાવા
ફોરેસ્ટ વિભાગનાં અધિકારીઓ
કડવા પાટીદાર સમાજે પણ પણ એક મજબૂત બંધારણ બનાવવાની જરૂર- રૂપાલા
કડવા પાટીદાર સમાજે પણ પણ એક મજબૂત બંધારણ બનાવવાની જરૂર- રૂપાલા
MLA કેતન ઈનામદારનો વધુ એક ધડાકો, સંકલન બેઠકનો કર્યો બહિષ્કાર
MLA કેતન ઈનામદારનો વધુ એક ધડાકો, સંકલન બેઠકનો કર્યો બહિષ્કાર
સારંગપુરની જર્જરિત પાણીની ટાંકી પર આ રીતે ચડાવાયું JCB, જુઓ વીડિયો
સારંગપુરની જર્જરિત પાણીની ટાંકી પર આ રીતે ચડાવાયું JCB, જુઓ વીડિયો
દિશાએ લગ્ને પછી પોતાની હિમ્મત અને સાહસથી સપનું સાકાર કર્યું
દિશાએ લગ્ને પછી પોતાની હિમ્મત અને સાહસથી સપનું સાકાર કર્યું
ધુમ્મસને કારણે પંજાબમાં ગુજરાતીઓની કારને નડ્યો અકસ્માત
ધુમ્મસને કારણે પંજાબમાં ગુજરાતીઓની કારને નડ્યો અકસ્માત
નોર્થ ઈસ્ટની હસ્તકલાથી સજ્જ પ્રજાસત્તાક દિવસની આમંત્રણ પત્રિકા
નોર્થ ઈસ્ટની હસ્તકલાથી સજ્જ પ્રજાસત્તાક દિવસની આમંત્રણ પત્રિકા
આટકોટ દુષ્કર્મ કેસમાં આરોપીને ફાંસીની સજા, 39 દિવસમાં મળ્યો ન્યાય
આટકોટ દુષ્કર્મ કેસમાં આરોપીને ફાંસીની સજા, 39 દિવસમાં મળ્યો ન્યાય
g clip-path="url(#clip0_868_265)">