AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મણિપુરમાં સુરક્ષાદળના જવાનો પર હુમલો, આસામ રાયફલ્સના CO સહિત 7ના મોત,રાજનાથ સિંહે કહ્યુ હુમલાખોરોને બક્ષવામાં નહીં આવે

આ હુમલા પાછળ ઉગ્રવાદી સંગઠન પીપલ્સ લિબરેશન આર્મી (પીએલએ)નો હાથ હોવાનું માનવામાં આવે છે.

મણિપુરમાં સુરક્ષાદળના જવાનો પર હુમલો, આસામ રાયફલ્સના CO સહિત 7ના મોત,રાજનાથ સિંહે કહ્યુ હુમલાખોરોને બક્ષવામાં નહીં આવે
Convoy of a Commanding Officer of an Assam Rifles unit ambushed by terrorists in Manipur
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 13, 2021 | 5:29 PM
Share

મણિપુર(Manipur)માં ઉગ્રવાદીઓએ આર્મી યુનિટ પર હુમલો કર્યો હતો. જેમાં કર્નલ અને અનેક જવાનો શહીદ થયા છે. આ હુમલા પાછળ ઉગ્રવાદી સંગઠન પીપલ્સ લિબરેશન આર્મી (PLA)નો હાથ હોવાનું માનવામાં આવે છે.

મણિપુરના સિંગગાટ વિસ્તારમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. અહીં આતંકીઓએ આર્મી યુનિટ પર ઓચિંતો હુમલો કર્યો . જેમાં 46 આસામ રાઈફલ્સના કર્નલ વિપ્લપ ત્રિપાઠી સહિત 5 જવાનો શહીદ થયા છે. આ હુમલામાં કર્નલની પત્ની અને સગીર પુત્રનું પણ મોત થયું હતું. હુમલામાં કુલ 7 લોકોના મોતના સમાચાર છે. મળતી માહિતી મુજબ, આ ઘટના શનિવારે સવારે 10.30 વાગ્યે ચુરાચંદપુર જિલ્લાના સિંગગાટના સેહકેન ગામમાં બની હતી. આ હુમલા પાછળ મણિપુરના ઉગ્રવાદી સંગઠન પીપલ્સ લિબરેશન આર્મી (PLA)નો હાથ હોવાનું માનવામાં આવે છે.

સેહકેન એ બેહિયાંગ વિસ્તારનું એક સરહદી ગામ છે, જે જિલ્લાના મુખ્ય મથક ચુરાચંદપુરથી લગભગ 65 કિમી દૂર છે. સેનાએ આતંકવાદીઓ (મણિપુર એક્સ્ટ્રીમિસ્ટ આઉટફિટ) પર કાર્યવાહી કરવા માટે ઓપરેશન શરૂ કર્યું છે. જ્યારે આસામ રાઈફલ્સ યુનિટના કમાન્ડિંગ ઓફિસરના કાફલા પર હુમલો કરવામાં આવ્યો, ત્યારે કાફલામાં રેપિડ રિસ્પોન્સ ટીમના સભ્યો અને અધિકારીના પરિવારના સભ્યોનો સમાવેશ થતો હતો. મણિપુરના મુખ્ય પ્રધાન એન બિરેન સિંહે સમાચાર એજન્સી પીટીઆઈને પુષ્ટિ આપી છે કે કમાન્ડન્ટ અને સૈનિકો, તેમના પરિવારના સભ્યો સહિત ઓચિંતા હુમલામાં માર્યા ગયા હતા.

આ તરફ રક્ષામંત્રી રાજનાથ સિંહે ઘટનાની નિંદા કરી છે અને કહ્યુ છે કે હુમલાખોરોને બક્ષવામાં નહીં આવે.

સોના અને ચાંદીના ભાવમાં પાછો આવ્યો ઉછાળો, જાણો કેટલા છે દામ
સોના અને ચાંદીના ભાવમાં પાછો આવ્યો ઉછાળો, જાણો કેટલા છે દામ
ડુંગળીના ભાવ તળિયે બેસાડી કોણ કરી રહ્યું છે કરોડોની કમાણી?
ડુંગળીના ભાવ તળિયે બેસાડી કોણ કરી રહ્યું છે કરોડોની કમાણી?
એક વર્ષના બાળકની શ્વાસનળીમાં ફસાયો LED બલ્બ
એક વર્ષના બાળકની શ્વાસનળીમાં ફસાયો LED બલ્બ
પ્રાંતિજમાંથી ઝડપાઈ ડિટર્જન્ટ પાવડર- યુરિયા ખાતરથી દૂધ બનાવતી ફેક્ટરી
પ્રાંતિજમાંથી ઝડપાઈ ડિટર્જન્ટ પાવડર- યુરિયા ખાતરથી દૂધ બનાવતી ફેક્ટરી
વડોદરાના હત્યાના દોષી વિદ્યાર્થીને કોર્ટે પુખ્ત ગણી ફટકારી આજીવન કેદ
વડોદરાના હત્યાના દોષી વિદ્યાર્થીને કોર્ટે પુખ્ત ગણી ફટકારી આજીવન કેદ
ગુજરાત હાઈકોર્ટે કહ્યું- દેવાયત ખવડ પ્રખ્યાત નહીં પરંતુ કુખ્યાત છે
ગુજરાત હાઈકોર્ટે કહ્યું- દેવાયત ખવડ પ્રખ્યાત નહીં પરંતુ કુખ્યાત છે
જૂની જાહેરાતોના કામ થતા નથી ને બજેટમાં નવી નવી જાહેરાતો કરાય છે
જૂની જાહેરાતોના કામ થતા નથી ને બજેટમાં નવી નવી જાહેરાતો કરાય છે
'જીવનનો કલંક દૂર થયો, હવે ભગવાન લઈ લે તો સારુ', કહ્યાના કલાકોમા મોત
'જીવનનો કલંક દૂર થયો, હવે ભગવાન લઈ લે તો સારુ', કહ્યાના કલાકોમા મોત
Breaking News : રાજકોટ ભાજપમાં આંતરિક જુથવાદ
Breaking News : રાજકોટ ભાજપમાં આંતરિક જુથવાદ
જામનગરમાં સિક્કા જેટી પાસે દરિયામાં ફસાયો યુવક
જામનગરમાં સિક્કા જેટી પાસે દરિયામાં ફસાયો યુવક
g clip-path="url(#clip0_868_265)">