તો આ વ્યક્તિએ ઘડી હતી પાકિસ્તાનમાં એર-સ્ટ્રાઈક કરવાની રણનીતિ, 10 દિવસ સુધી ચાલી હતી તૈયારી
પુલવામા હુમલાના 12 દિવસ પછી ભારતીય વાયુસેનાએ વળતો જવાબ આપતા પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં બોમ્બ દ્વારા ઘણાં આતંકી ઠેકાણાઓને નષ્ટ કરી દીધા છે. ભારતના 12 મિરાજ વિમાનોએ 1000 કિલો બોમ્બ દ્વારા પુલવામાના દોષિત જૈશ એ મોહમ્મદ સહિત ઘણાં સંગઠનોના ઠેકાણાઓને તબાહ કરી દીધા છે. તેમાં લગભગ 200 થી 300 જેટલા આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે. TV9 […]
પુલવામા હુમલાના 12 દિવસ પછી ભારતીય વાયુસેનાએ વળતો જવાબ આપતા પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં બોમ્બ દ્વારા ઘણાં આતંકી ઠેકાણાઓને નષ્ટ કરી દીધા છે.
ભારતના 12 મિરાજ વિમાનોએ 1000 કિલો બોમ્બ દ્વારા પુલવામાના દોષિત જૈશ એ મોહમ્મદ સહિત ઘણાં સંગઠનોના ઠેકાણાઓને તબાહ કરી દીધા છે. તેમાં લગભગ 200 થી 300 જેટલા આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે.
કેવી રીતે બન્યો હુમલાનો પ્લાન?
આ હુમલો અચાનક કરવામાં નથી આવ્યો. પુલવામા હુમલા પછી વાયુસેનાએ કહ્યું હતું કે તે જવાબ આપવા માટે પૂરી રીતે તૈયાર છે.
15 ફેબ્રુઆરી– ભારતીય વાયુ સેના અધ્યક્ષ બી.એસ.ધનાહે પુલવામાના જવાબમાં હવાઈ હુમલાનો વિકલ્પ સામે રાખ્યો હતો. જેને સરકારે સ્વીકાર્યો હતો.
16 થી 20 ફેબ્રુઆરી- ભારતીય વાયુસેના અને થળસેનાએ મળીને હેરોન ડ્રોન દ્વારા Loc પર હવાઈ સર્વક્ષણ કરવામાં આવ્યું હતું.
20 થી 22 ફેબ્રુઆરી- વાયુસેના અને ગુપ્તચર એજન્સિઓએ હુમલાના સંભવિત ઠેકાણાનો નકશો તૈયાર કરવામાં આવ્યો. વાયુસેનાના એક સ્ક્વોડ્રોન ટાઇગર્સ અને સાત સ્ક્વોડ્રોન યુદ્ધ પ્રવેશને સક્રિય કરવામાં આવ્યા. બે મિરાજ સ્ક્વોડ્રોનને 12 વિમાનોને મિશન માટે પસંદ કર્યા.
24 ફેબ્રઆરી- મધ્ય ભારતમાં પરિક્ષણ કરવામાં આવ્યું.
26 ફેબ્રુઆરી- રાત્રે 3.30 વાગે ભારતીય વાયુસેનાના મિરાજ વિમાનોએ પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં ઘુસીને 12 આતંકીઓના ઠેકાણાઓને તબાહ કરી દીધા હતા.
[yop_poll id=1834]
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]