West Bengal : મમતા બેનર્જીએ કહ્યું- પીએમએ યુક્રેનથી પરત આવેલા વિદ્યાર્થીઓ માટે યોજના જાહેર કરવી જોઈએ
મમતા બેનર્જી એ જાણવા માંગે છે કે યુદ્ધગ્રસ્ત દેશ યુક્રેનમાંથી જે વિદ્યાર્થીઓ પોતાના દેશમાં પરત આવ્યા છે તેમના માટે સરકાર દ્વારા કેવા પ્રકારના શૈક્ષણિક પગલાં લેવામાં આવશે. બંગાળ સરકાર યુક્રેનથી પરત આવેલા વિદ્યાર્થીઓને તેમના શિક્ષણમાં મદદ કરવા તૈયાર છે.
પશ્ચિમ બંગાળના (West Bengal) મુખ્યમંત્રી મમતા બેનર્જીએ (Mamata Banerjee) બુધવારે કેન્દ્ર સરકારને કેટલાક પ્રશ્નોના જવાબ આપવા કહ્યું છે. મમતા એ જાણવા માંગે છે કે યુદ્ધગ્રસ્ત દેશ યુક્રેનમાંથી (Ukraine) જે વિદ્યાર્થીઓ પોતાના દેશમાં પરત આવ્યા છે તેમના માટે સરકાર દ્વારા કેવા પ્રકારના શૈક્ષણિક પગલાં (Educational Measures) લેવામાં આવશે. તેમણે કહ્યું કે યુક્રેનથી પરત ફરેલા વિદ્યાર્થીઓની સંપૂર્ણ માહિતી લેવી કેન્દ્ર સરકારની ફરજ છે.
પત્રકારો સાથે વાત કરતા, તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના પ્રમુખે વડાપ્રધાનને વિનંતી કરી છે કે તેઓ યુક્રેનથી તેમના દેશમાં પાછા ફરેલા બાળકો માટે સરકાર દ્વારા બનાવવામાં આવેલી યોજનાઓ જાહેર કરે. મમતા બેનર્જીએ કહ્યું કે હું વડાપ્રધાનને વિનંતી કરીશ કે યુક્રેનથી પરત આવેલા 17 હજાર ભારતીય વિદ્યાર્થીઓ માટે કેન્દ્ર સરકાર દ્વારા શું પગલાં લેવામાં આવી રહ્યા છે તે જણાવે. યુક્રેનથી પરત આવેલા વિદ્યાર્થીઓના અભ્યાસનું શું થશે ? શું સરકારની ફરજ નથી કે આ વિદ્યાર્થીઓ પર ધ્યાન આપે ?
Unimaginable !!!
Hon’ble CM @MamataOfficial exceeded her limit yesterday & accused the Centre of stoking war between Russia and Ukraine.
Isn’t she aware that these words could be used against India diplomatically? Our Foreign Policy & International Relations might get impacted.
— Suvendu Adhikari • শুভেন্দু অধিকারী (@SuvenduWB) March 30, 2022
મુખ્યમંત્રીએ પોતાની મર્યાદા વટાવી દીધી છેઃ સુવેન્દુ
સુવેન્દુએ પોતાના ટ્વીટમાં કહ્યું કે તે અકલ્પનીય છે કે ગઈકાલે અમારા મુખ્યમંત્રીએ પોતાની મર્યાદા ઓળંગી અને કેન્દ્ર સરકાર પર રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ભડકાવવાનો આરોપ પણ લગાવ્યો. શું તેઓ જાણતા નથી કે આ શબ્દોનો ઉપયોગ રાજદ્વારી રીતે ભારત વિરુદ્ધ થઈ શકે છે ? જેના કારણે આપણી વિદેશ નીતિ અને આંતરરાષ્ટ્રીય સંબંધોને અસર થઈ શકે છે.
યુક્રેનથી પરત આવેલા વિદ્યાર્થીઓને મફત શિક્ષણ સંબંધિત મદદઃ મમતા
મુખ્યમંત્રી હાલ પશ્ચિમ બંગાળ રાજ્યના ઉત્તરભાગના જિલ્લાઓના સત્તાવાર પ્રવાસે છે. બેનર્જીએ કહ્યું કે બંગાળ સરકાર યુક્રેનથી પરત આવેલા વિદ્યાર્થીઓને તેમના શિક્ષણમાં મદદ કરવા તૈયાર છે. તેઓ યુક્રેનથી બંગાળ પરત ફરેલા 400 વિદ્યાર્થીઓને મળ્યા છે. બંગાળ સરકાર પણ તે બાળકોના શિક્ષણને લગતી મફત મદદ આપવા તૈયાર છે.
આ પણ વાંચોઃ
હિમંતા બિસ્વા સરમાએ આસામના અશાંત વિસ્તારને ઘટાડવાના નિર્ણયને આવકાર્યો, કહ્યું કે, રાજ્યનો 60% ભાગ AFSPAમાંથી થયો મુક્ત
આ પણ વાંચોઃ