મહારાષ્ટ્ર સરકાર અનલોક મામલે સમજી વિચારીને પગલાં લઇ રહી છે : ઉદ્ધવ ઠાકરે

Maharashtra ના  મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray) એ રવિવારે કહ્યું કે રાજ્યમાં કોરોના વાયરસને કારણે લાદવામાં આવેલા પ્રતિબંધોને હળવા કરવાના મામલે સરકાર સભાન પગલાં લઈ રહી છે. તેમણે અગ્રણી ઉદ્યોગપતિઓ સાથે ડિજિટલ મીટિંગ દરમિયાન તેમણે આ વાત કહી હતી. 

મહારાષ્ટ્ર સરકાર અનલોક મામલે સમજી વિચારીને પગલાં લઇ રહી છે : ઉદ્ધવ ઠાકરે
મહારાષ્ટ્ર સરકાર અનલોક મામલે સમજી વિચારીને પગલાં લઇ રહી છે
Follow Us:
| Updated on: Jun 06, 2021 | 8:58 PM

Maharashtra ના  મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે(Uddhav Thackeray)એ રવિવારે કહ્યું કે રાજ્યમાં કોરોના વાયરસને કારણે લાદવામાં આવેલા પ્રતિબંધોને હળવા કરવાના મામલે સરકાર વિચારીને પગલાં લઈ રહી છે. તેમણે અગ્રણી ઉદ્યોગપતિઓ સાથે ડિજિટલ મીટિંગ દરમિયાન તેમણે આ વાત કહી હતી.  રાજ્ય સરકારે નિયંત્રણો હળવા કરવા  સોમવારથી 5- લેવલ યોજના  જાહેર કરી હતી.

જેમાં સાપ્તાહિક ચેપ દર અને ઓક્સિજન બેડ પરના દર્દીઓની સંખ્યાના આધારે અનલોકનો નિર્ણય કર્યો છે. આ અંગે શુક્રવારે રાત્રે એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું.

રાજ્ય સરકાર કાળજીપૂર્વક પગલાં લઈ રહી છે 

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

Maharashtra ના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે(Uddhav Thackeray)એ કહ્યું કે, રાજ્ય સરકાર કાળજીપૂર્વક પગલાં લઈ રહી છે. તેમણે કહ્યું કે લોકોએ પોતાનું ધ્યાન રાખવું જોઈએ. તેમજ કોઈ તાત્કાલિક છૂટ આપવામાં આવશે નહીં. આમા પણ કેટલાક ધારાધોરણો નક્કી કરવામાં આવ્યા છે. જ્યારે સ્થાનિક વહીવટીતંત્ર પ્રતિબંધોને હળવા કરવા કે તેમને વધુ કડક બનાવવાનો નિર્ણય લેશે.

લેવલ-1 માં  બધું ખોલવામાં આવશે

Maharashtra અનલોક સૂચના મુજબ જે વિસ્તારોમાં ચેપ દર પાંચ ટકા કે તેથી ઓછો છે અને ઓક્સિજન બેડ પર દર્દીઓની સંખ્યા 25 ટકાથી ઓછી છે. તેને લેવલ-1 કેટેગરીમાં રાખવામાં આવશે અને ત્યાં બધું ખોલવામાં આવશે. જ્યારે 20 ટકાથી વધુ ચેપ દર ધરાવતા વિસ્તારોને લેવલ-5 માં રાખવામાં આવશે. જેમાં આવશ્યક દુકાનો ખુલશે અને કચેરીઓમાં 15 ટકાથી વધુ કર્મચારીઓના પ્રવેશ પર પ્રતિબંધ રહેશે.

ઉદ્યોગપતિઓએ પ્રતિબંધ હળવા કરવાના ધોરણોને આવકાર્યા

આ બેઠકમાં ભાગ લેનારા પ્રમુખ ઉદ્યોગપતિઓમાં ઉદય કોટક, સંજીવ બજાજ, બી  ત્યાગરાજન, નૌશાદ ફોર્બ્સ, અમિત કલ્યાણ, અશોક હિન્દુજા, એએન સુબ્રમણ્યમ, અજય પિરામલ, હર્ષ ગોયેન્કા, નિરંજન હિરાનંદાની શામેલ હતા. મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે બેઠકમાં ઉપસ્થિત ઉદ્યોગપતિઓએ પ્રતિબંધ હળવા કરવાના ધોરણોને આવકાર્યા છે.

જ્યારે કોવિડ -19 ના રોજનાં કેસ ઘટશે  ત્યારે શૂટિંગ કરવાની મંજૂરી આપવામાં આવશે: ઠાકરે

Maharashtra મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે(Uddhav Thackeray)એ રવિવારે કહ્યું હતું કે જો કોરોનાના રોજનાં કેસ ઓછા આવશે તો મુંબઈમાં ફિલ્મ અને ટીવી શૂટિંગ માટે મંજૂરી આપવામાં આવશે. ફિલ્મ અને ટેલિવિઝન ઉદ્યોગના પ્રતિનિધિઓ સાથેની ઓનલાઇન બેઠક દરમિયાન ઠાકરેએ તેમને સરકારને સહયોગ આપવા અપીલ કરી હતી જેથી રોગચાળો કાબૂમાં લઇ શકાય.

મનોરંજન જગત અનલોક પ્રક્રિયા દરમિયાન સરકારને સહયોગ આપે 

મુખ્યમંત્રીએ કહ્યું, “કોરોનાની બીજી લહેર બાદ રાજ્યમાં શૂટિંગ પર પ્રતિબંધ મૂક્યો હતો. જો કે, હવે ચેપના કેસોમાં થોડોક ઘટાડો નોંધવામાં આવી રહ્યો છે અને અનલોક પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવી છે. તેમણે કહ્યું હતું કે ફિલ્મ અને ટીવી નિર્માતાઓએ શૂટિંગ દરમિયાન કોરોનાને રોકવા સંબંધિત નિયમોનું પાલન સુનિશ્ચિત કરવાની જરૂર છે. તેમણે મનોરંજન જગતને અનલોક પ્રક્રિયા દરમિયાન સરકારને સહયોગ આપવા જણાવ્યું હતું.

મીટિંગ દરમિયાન આદેશ બાંડેકર, નીતિન વૈદ્ય, પ્રશાંત દામલે,ભા રત જાધવ, સુબોધ ભાવે, અમોલ કોલ્હે, અમિત બહલ, પુનીત ગોયેન્કા, અજય ભાલવંકર, સંગમન શિર્કે અને સિદ્ધાર્થ રાય કપૂર ઉપરાંત અનેક કલાકારો એન્કર અને મનોરંજન જગતની હસ્તીઓ હાજર રહી હતી.

Latest News Updates

રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
g clip-path="url(#clip0_868_265)">