RTIમાં સંશોધનને લઈ સંસદમાં વિરોધ, UPA ચેરપર્સન સોનિયા ગાંધીના મોદી સરકાર પર આકરા પ્રહારો
દેશમાં ફરી એકવાર રાઇટ ટુ ઇન્ફોર્મેશન એટલે કે, RTIને લઇ વિવાદ શરૂ થયો છે. RTI કાયદામાં સંશોધન બિલ લોકસાભામાં પસાર થઇ ગયો છે. ત્યારે હવે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીએ મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યાં. તેમણે કહ્યું કે, મોદી સરકાર RTIને ખતમ કરવા માગે છે. એટલું જ નહિં તેમણે કહ્યું કે, કેન્દ્ર સરકાર RTI […]
દેશમાં ફરી એકવાર રાઇટ ટુ ઇન્ફોર્મેશન એટલે કે, RTIને લઇ વિવાદ શરૂ થયો છે. RTI કાયદામાં સંશોધન બિલ લોકસાભામાં પસાર થઇ ગયો છે. ત્યારે હવે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીએ મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યાં. તેમણે કહ્યું કે, મોદી સરકાર RTIને ખતમ કરવા માગે છે. એટલું જ નહિં તેમણે કહ્યું કે, કેન્દ્ર સરકાર RTI ખતમ કરવા માટે બહુમતનો ઉપયોગ કરી શકે છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
પરંતુ તેને દેશની જનતા પસંદ નહીં કરે. પોતાના નિવેદનમાં સોનિયા ગાંધીએ ઉલ્લેખ કર્યો કે, આ કાયદો સલાહ લીધા બાદ તૈયાર કરવામાં આવ્યો હતો. અને સંસદમાં સર્વસમ્મતિથી પસાર પણ કરવામાં આવ્યો હતો. અને હવે આ કાયદો સમાપ્ત કરવાની કગાર પર છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચોઃ VIDEO: અમદાવાદમાં આ શું થઈ રહ્યું છે, શું આપણે મોતની વ્યવસ્થા ખુદ જ કરી રહ્યા છીએ?
10 વર્ષથી વધુ સમયમાં આપણા દેશે આ કાયદાનો ઉપયોગ કર્યો છે. અને તંત્રના અલગ-અલગ વિભાગોમાં પારદર્શિતા લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. વધુમાં સોનિયા ગાંધીએ કહ્યુ કે, આ કાયદાથી ગરીબ લોકોને ઘણો ફાયદો થયો છે. તેથી આ પ્રયાસોના કારણે લોકતંત્ર વધુ મજબૂત થયું છે. તેથી હાલની સરકાર RTIને અડચણરૂપ સમજતી હોવાનો દાવો પણ સોનિયા ગાંધીએ કર્યો છે.
[yop_poll id=”1″]