AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પ્રધાનમંત્રી સંગ્રહાલયનું કરશે ઉદ્ઘાટન, જાણો 271 કરોડમાં બનેલા મ્યૂઝિયમની ખાસિયત

તાજેતરમાં કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે નેહરુ મ્યુઝિયમનું નામ બદલવાનો નિર્ણય લીધો હતો. હવે તે પીએમ મ્યુઝિયમ તરીકે ઓળખાશે. અહીં દેશના તમામ 14 પૂર્વ વડાપ્રધાનોની યાદો સાચવવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે આંબેડકર જયંતિનું ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પ્રધાનમંત્રી સંગ્રહાલયનું કરશે ઉદ્ઘાટન, જાણો 271 કરોડમાં બનેલા મ્યૂઝિયમની ખાસિયત
PM Modi (PC- PTI)
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 14, 2022 | 10:50 AM
Share

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) આજે સવારે 11 વાગે વડાપ્રધાન મ્યુઝિયમનું ઉદ્ઘાટન કરશે. આ મ્યુઝિયમનું ઉદ્ઘાટન આઝાદી કા અમૃત મહોત્સવ (Azadi Ka Amrit Mahotsav) દરમિયાન કરવામાં આવશે. PM મોદી રાજધાની દિલ્હીના તીન મૂર્તિ ભવન સંકુલમાં દેશના વડાપ્રધાનોને સમર્પિત નવા બનેલા મ્યુઝિયમ (Pradhanmantri Sangrahalaya)નું ઉદ્ઘાટન કરશે. આ મ્યુઝિયમ ભારતના દરેક વડાપ્રધાનને શ્રદ્ધાંજલિ છે. સ્વતંત્રતા પછીના વડાપ્રધાનોના જીવન અને યોગદાન દ્વારા લખાયેલી ભારતની ગાથાનું વર્ણન કરે છે.

સંસ્કૃતિ મંત્રાલયના અધિકારીઓએ જણાવ્યું હતું કે દેશના 14 ભૂતપૂર્વ વડાપ્રધાનોની ગેલેરીને તેમના કાર્યકાળ અનુસાર યોગ્ય રીતે સ્થાન આપવામાં આવ્યુ છે. મ્યુઝિયમ બિલ્ડિંગની ડિઝાઈન ઉભરતા ભારતની વાર્તાથી પ્રેરિત છે, જે તેના નેતાઓના હાથથી ઘડવામાં આવી છે. ડિઝાઈનમાં ટકાઉ અને ઉર્જા સંરક્ષણ પદ્ધતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. 271 કરોડના ખર્ચે બનેલા આ મ્યુઝિયમને 2018માં મંજૂરી આપવામાં આવી હતી.

પૂર્વ પીએમ સાથે જોડાયેલા ફોટા, ઈન્ટરવ્યુનું થશે પ્રદર્શન

તીન મૂર્તિ ભવનમાં નેહરુ મેમોરિયલ મ્યુઝિયમ અને લાઈબ્રેરીની બાજુમાં 10,000 ચોરસ મીટરના મ્યુઝિયમમાં ભૂતપૂર્વ પીએમને લગતા દુર્લભ ફોટોગ્રાફ્સ, ભાષણો, વીડિયો ક્લિપ્સ, અખબારો, ઈન્ટરવ્યુ અને અસલ લખાણો જેવા પ્રદર્શન થશે. આ મ્યુઝિયમમાં પૂર્વ વડાપ્રધાનોની માહિતી અને સૂચના માટે સરકારી સંસ્થાઓ દૂરદર્શન, ફિલ્મ વિભાગ, સંસદ ટીવી, સંરક્ષણ મંત્રાલય, મીડિયા હાઉસ, પ્રિન્ટ મીડિયા, વિદેશી સમાચાર એજન્સીઓ, વિદેશ મંત્રાલયના સંગ્રહાલયોની પણ મદદ લેવામાં આવી છે.

તાજેતરમાં કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે નેહરુ મ્યુઝિયમનું નામ બદલવાનો નિર્ણય લીધો હતો. હવે તે પીએમ મ્યુઝિયમ તરીકે ઓળખાશે. અહીં દેશના તમામ 14 પૂર્વ વડાપ્રધાનોની યાદો સાચવવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે આંબેડકર જયંતિનું ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છે.

શું છે તેનો ઉદ્દેશ્ય

નિવેદન મુજબ આ મ્યુઝિયમ આઝાદી પછી દેશના દરેક વડાપ્રધાનને શ્રદ્ધાંજલિ છે, તેમના કાર્યકાળને ધ્યાનમાં લીધા વિના અને તેમની વિચારધારા ગમે તે હોય. પીએમઓએ જણાવ્યું હતું કે આનો ઉદ્દેશ યુવા પેઢીને આપણા તમામ વડાપ્રધાનોના નેતૃત્વ, વિઝન અને સિદ્ધિઓ વિશે સંવેદનશીલ અને પ્રેરણા આપવાનો છે. મ્યુઝિયમમાં જૂના અને નવાનું અભેદ મિશ્રણ છે. તત્કાલીન તીન મૂર્તિ ભવનને બ્લોક વન તરીકે અને નવનિર્મિત ઈમારતને બ્લોક ટુ તરીકે વિકસાવવામાં આવી છે. બંને બ્લોકનું કુલ ક્ષેત્રફળ 15,600 ચોરસ મીટર છે. પીએમઓએ કહ્યું કે મ્યુઝિયમનું નિર્માણ ઉભરતા ભારતની વાર્તા અને તેના નેતાઓ દ્વારા તેને આપવામાં આવેલા આકારથી પ્રેરિત છે. તેની ડિઝાઈનમાં ટકાઉ અને ઉર્જા સંરક્ષણ પ્રથાઓને ધ્યાનમાં રાખવામાં આવી છે.

આ પણ વાંચો: Covid 19: દેશમાં છેલ્લા 24 કલાકમાં ફરી 1000થી વધુ લોકો સંક્રમિત, એક્ટિવ કેસની સંખ્યા 11,000ને પાર પહોંચી

આ પણ વાંચો: આંધ્રપ્રદેશ : ગેસ લીક ​​થવાથી ભીષણ આગ, 6 લોકોના મોત, CM મોહન રેડ્ડીએ 25 લાખના વળતરની કરી જાહેરાત

Follow Us
અમેરિકામાં એક દાંત કઢાવવાનું બિલ કેટલું? જુઓ Viral Video
અમેરિકામાં એક દાંત કઢાવવાનું બિલ કેટલું? જુઓ Viral Video
Trending Video: શું તમે ક્યારેય 6 ફૂટ કરતાં પણ ઊંચું ટૂથબ્રશ જોયું છે?
Trending Video: શું તમે ક્યારેય 6 ફૂટ કરતાં પણ ઊંચું ટૂથબ્રશ જોયું છે?
સુરત VNSGU ગર્લ્સ હોસ્ટેલમાં વિરોધ ! ભોજન, પાણી, સ્વચ્છતાની માંગ
સુરત VNSGU ગર્લ્સ હોસ્ટેલમાં વિરોધ ! ભોજન, પાણી, સ્વચ્છતાની માંગ
ગેરકાયદે ધરપકડ, પરેડ સહિતના મુદ્દે પાયલ ગોટીને 7.5 લાખ ચૂકવવા આદેશ
ગેરકાયદે ધરપકડ, પરેડ સહિતના મુદ્દે પાયલ ગોટીને 7.5 લાખ ચૂકવવા આદેશ
આજથી રાજકોટના લોકમેળાનો પ્રારંભ, હજુ સુધી રાઇડ્સને મંજૂરી નહીં
આજથી રાજકોટના લોકમેળાનો પ્રારંભ, હજુ સુધી રાઇડ્સને મંજૂરી નહીં
સાઇકલ ફેરવો અને કપડાં ધોવો, સોશિયલ મીડિયા પર વાયરલ થયો 'દેશી જુગાડ'
સાઇકલ ફેરવો અને કપડાં ધોવો, સોશિયલ મીડિયા પર વાયરલ થયો 'દેશી જુગાડ'
સુપ્રીમ કોર્ટ તરફથી OBC ક્રીમીલેયર કેસમાં કેન્દ્ર સરકારને કોઈ રાહત નહી
સુપ્રીમ કોર્ટ તરફથી OBC ક્રીમીલેયર કેસમાં કેન્દ્ર સરકારને કોઈ રાહત નહી
જૂનાગઢમાં આખલાએ રૌદ્ર રૂપ ધારણ કરતાં સિંહનો દાવ પાડ્યો ઊંધો ! Video
જૂનાગઢમાં આખલાએ રૌદ્ર રૂપ ધારણ કરતાં સિંહનો દાવ પાડ્યો ઊંધો ! Video
વડોદરામાં બિનઆરોગ્યપ્રદ પાણીપુરી સામે મનપાની લાલ આંખ
વડોદરામાં બિનઆરોગ્યપ્રદ પાણીપુરી સામે મનપાની લાલ આંખ
ભરૂચમાં મુખ્ય સરકારી વકીલ અને એપીપીના રાજીનામા પડ્યાં
ભરૂચમાં મુખ્ય સરકારી વકીલ અને એપીપીના રાજીનામા પડ્યાં
g clip-path="url(#clip0_868_265)">