AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Covid 19: દેશમાં છેલ્લા 24 કલાકમાં ફરી 1000થી વધુ લોકો સંક્રમિત, એક્ટિવ કેસની સંખ્યા 11,000ને પાર પહોંચી

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર હાલમાં સક્રિય દર્દીઓની સંખ્યા ચેપના કુલ કેસના 0.03 ટકા છે, જ્યારે કોરોનામાંથી સાજા થનારા દર્દીઓનો રાષ્ટ્રીય દર 98.76 ટકા છે.

Covid 19: દેશમાં છેલ્લા 24 કલાકમાં ફરી 1000થી વધુ લોકો સંક્રમિત, એક્ટિવ કેસની સંખ્યા 11,000ને પાર પહોંચી
File Image
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 14, 2022 | 10:13 AM
Share

દેશમાં કોરોના સંક્રમણ (Corona virus)નું જોખમ ઘટી રહ્યું છે. જો કે હજુ પણ સતત સાવચેતી રાખવામાં આવી રહી છે. દરમિયાન ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1,007 નવા કેસ નોંધાયા છે, જે બાદ અત્યાર સુધીમાં સંક્રમિત લોકોની સંખ્યા વધીને 4,30,39,0836 થઈ ગઈ છે. તે જ સમયે વધુ 818 દર્દીઓ કોવિડ -19થી (Covid-19) મુક્ત થયા છે. આ પછી સારવાર હેઠળ દર્દીઓની સંખ્યા ઘટીને 11,058 થઈ ગઈ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય (Health Ministry) દ્વારા ગુરુવારે આ માહિતી આપવામાં આવી છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચએ કહ્યું છે કે ગઈકાલે દેશમાં કોરોના માટે 4,34,877 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં કુલ 83,08,10,157 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર હાલમાં સક્રિય દર્દીઓની સંખ્યા ચેપના કુલ કેસના 0.03 ટકા છે, જ્યારે કોરોનામાંથી સાજા થનારા દર્દીઓનો રાષ્ટ્રીય દર 98.76 ટકા છે. આ સિવાય દૈનિક પોઝિટિવીટી રેટ 0.23 ટકા અને સાપ્તાહિક પોઝિટિવીટી રેટ 0.25 ટકા છે. અત્યાર સુધીમાં રસીના 186.22 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે.

જો આપણે સ્વાસ્થ્ય મંત્રાલયના ડેટા પર નજર કરીએ તો ખબર પડે છે કે 7 ઓગસ્ટ 2020ના રોજ દેશમાં કોવિડ-19થી સંક્રમિત દર્દીઓની સંખ્યા 20 લાખને પાર કરી ગઈ હતી, 23 ઓગસ્ટ 2020ના રોજ 30 લાખ અને 5 સપ્ટેમ્બર 2020ના રોજ 40 લાખને પાર કરી ગયો. આ પછી 16 સપ્ટેમ્બર 2020ના રોજ 50 લાખ, 28 સપ્ટેમ્બર 2020ના રોજ 60 લાખ, 11 ઓક્ટોબર 2020ના રોજ 70 લાખ, 29 ઓક્ટોબર 2020ના રોજ 80 લાખ અને 20 નવેમ્બરના રોજ 90 લાખથી વધુ કોરોના કેસ હતા. 19 ડિસેમ્બર 2020ના રોજ આ કેસ એક કરોડને વટાવી ગયા હતા. ગયા વર્ષે 4 મેના રોજ કોરોના સંક્રમિતોની સંખ્યા બે કરોડને વટાવી ગઈ હતી અને 23 જૂન, 2021ના રોજ તે ત્રણ કરોડને પાર કરી ગઈ હતી. આ વર્ષે 26 જાન્યુઆરીએ કેસ ચાર કરોડને વટાવી ગયો હતો.

અહીં ફરી એક વખત કોરોનાના નવા વેરિઅન્ટ XEને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવી છે, જેના પર કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ અધિકારીઓને આ નવા વેરિઅન્ટને લઈને દેખરેખ અને તકેદારી વધારવા સૂચના આપી છે. તેમણે હાલમાં જ વેરિયન્ટ્સના જોખમ અંગે દેશના અગ્રણી નિષ્ણાતો સાથે બેઠક કરી હતી. બેઠક પછી આરોગ્ય મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું હતું કે કેન્દ્રીય મંત્રીએ અધિકારીઓને કોવિડ -19 દર્દીઓની સારવાર માટે આવશ્યક દવાઓ અને દવાઓની ઉપલબ્ધતાની સતત સમીક્ષા કરવા કહ્યું છે. આ ઉપરાંત તેમણે રસીકરણ અભિયાનને પૂરેપૂરી ઝડપે ચલાવવા અને તમામ પાત્રતા ધરાવતા લોકોને રસીકરણ કરવા પર ભાર મૂક્યો હતો.

આ પણ વાંચો: આગામી વિધાનસભાની ચૂંટણી માટે પક્ષને મજબુત કરવા AIMIMના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસી અમદાવાદની મુલાકાતે

આ પણ વાંચો: પાકિસ્તાન : સતા પરિવર્તન બાદ અકળાયા ઈમરાન મિંયા, પાર્ટીના નેતાને રાજીનામુ આપવા કરી રહ્યા છે દબાણ

Follow Us
અમેરિકામાં એક દાંત કઢાવવાનું બિલ કેટલું? જુઓ Viral Video
અમેરિકામાં એક દાંત કઢાવવાનું બિલ કેટલું? જુઓ Viral Video
Trending Video: શું તમે ક્યારેય 6 ફૂટ કરતાં પણ ઊંચું ટૂથબ્રશ જોયું છે?
Trending Video: શું તમે ક્યારેય 6 ફૂટ કરતાં પણ ઊંચું ટૂથબ્રશ જોયું છે?
સુરત VNSGU ગર્લ્સ હોસ્ટેલમાં વિરોધ ! ભોજન, પાણી, સ્વચ્છતાની માંગ
સુરત VNSGU ગર્લ્સ હોસ્ટેલમાં વિરોધ ! ભોજન, પાણી, સ્વચ્છતાની માંગ
ગેરકાયદે ધરપકડ, પરેડ સહિતના મુદ્દે પાયલ ગોટીને 7.5 લાખ ચૂકવવા આદેશ
ગેરકાયદે ધરપકડ, પરેડ સહિતના મુદ્દે પાયલ ગોટીને 7.5 લાખ ચૂકવવા આદેશ
આજથી રાજકોટના લોકમેળાનો પ્રારંભ, હજુ સુધી રાઇડ્સને મંજૂરી નહીં
આજથી રાજકોટના લોકમેળાનો પ્રારંભ, હજુ સુધી રાઇડ્સને મંજૂરી નહીં
સાઇકલ ફેરવો અને કપડાં ધોવો, સોશિયલ મીડિયા પર વાયરલ થયો 'દેશી જુગાડ'
સાઇકલ ફેરવો અને કપડાં ધોવો, સોશિયલ મીડિયા પર વાયરલ થયો 'દેશી જુગાડ'
સુપ્રીમ કોર્ટ તરફથી OBC ક્રીમીલેયર કેસમાં કેન્દ્ર સરકારને કોઈ રાહત નહી
સુપ્રીમ કોર્ટ તરફથી OBC ક્રીમીલેયર કેસમાં કેન્દ્ર સરકારને કોઈ રાહત નહી
જૂનાગઢમાં આખલાએ રૌદ્ર રૂપ ધારણ કરતાં સિંહનો દાવ પાડ્યો ઊંધો ! Video
જૂનાગઢમાં આખલાએ રૌદ્ર રૂપ ધારણ કરતાં સિંહનો દાવ પાડ્યો ઊંધો ! Video
વડોદરામાં બિનઆરોગ્યપ્રદ પાણીપુરી સામે મનપાની લાલ આંખ
વડોદરામાં બિનઆરોગ્યપ્રદ પાણીપુરી સામે મનપાની લાલ આંખ
ભરૂચમાં મુખ્ય સરકારી વકીલ અને એપીપીના રાજીનામા પડ્યાં
ભરૂચમાં મુખ્ય સરકારી વકીલ અને એપીપીના રાજીનામા પડ્યાં
g clip-path="url(#clip0_868_265)">