કેજરીવાલનું હિન્દુ કાર્ડ ! કહ્યું- ચલણી નોટ પર ગાંધીજી સાથે લક્ષ્મીજી-ગણેશની પણ હોવી જોઈએ તસવીર

દિલ્લીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે કહ્યું કે ઈન્ડોનેશિયા મુસ્લિમ દેશ છે. ત્યાંની 85 % વસ્તી મુસ્લિમ છે, 2 % હિંદુ છે, તેમ છતાં તેઓએ ચલણ પર ગણેશજીની તસવીર લગાવી છે.

કેજરીવાલનું હિન્દુ કાર્ડ ! કહ્યું- ચલણી નોટ પર ગાંધીજી સાથે લક્ષ્મીજી-ગણેશની પણ હોવી જોઈએ તસવીર
Arvind Kejriwal
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 26, 2022 | 2:09 PM

આમ આદમી પાર્ટીના કન્વીનર અને દિલ્લીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે (Arvind Kejriwal) ભારતીય ચલણી નોટો પર દેવી લક્ષ્મી અને ભગવાન ગણેશની તસવીરો લગાવવાની માંગ કરી છે. તેમણે કહ્યું કે હું કેન્દ્ર સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વિનંતી કરું છું કે ભારતીય ચલણી નોટો પર એક તરફ ગાંધીજી અને બીજી તરફ લક્ષ્મીજી અને ગણેશજીની તસવીર લગાવવામાં આવે. તેમણે કહ્યું કે અમે એવું નથી કહી રહ્યા કે તમામ નોટો બદલવી જોઈએ, પરંતુ હવે પછી જે નવી નોટો છાપવામાં આવે તેમાં લક્ષ્મીજી અને ગણેશજીની તસવીર હોવી જોઈએ.

અરવિંદ કેજરીવાલે આ પગલું એવા સમયે ઉઠાવ્યું છે જ્યારે પૂર્વ મંત્રી રાજેન્દ્ર પાલ ગૌતમના હિંદુ દેવતા વિરુદ્ધ નિવેદન અને દિવાળી પર ફટાકડા ફોડવાના નિર્ણય બાદ વિપક્ષ સતત અરવિંદ કેજરીવાલ પર હિંદુ વિરોધી હોવાનો આરોપ લગાવી રહ્યો હતો. કેજરીવાલે કહ્યું, “અમે ઈચ્છીએ છીએ કે દરેક પરિવાર અમીર બને, આ માટે ઘણા પગલાં ભરવા પડશે. સારી શાળાઓ, હોસ્પિટલો, પાયાની સુવિધાઓ હોવી જોઈએ. આ ત્યારે જ શક્ય બને છે જ્યારે દેવી-દેવતાઓની કૃપા હોય.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024

જ્યારે ઈન્ડોનેશિયા કરી શકે તો આપણે કેમ નહીં? – કેજરીવાલ

અરવિંદ કેજરીવાલે કહ્યું કે ઈન્ડોનેશિયા મુસ્લિમ દેશ છે. ત્યાંની 85 % વસ્તી મુસ્લિમ છે, 2 % હિંદુ છે, તેમ છતાં તેઓએ ચલણ પર ગણેશજીની તસવીર લગાવી છે. અરવિંદ કેજરીવાલે કહ્યું કે આજે હું કેન્દ્ર સરકાર અને મોદીજીને વિનંતી કરું છું કે ભારતીય ચલણ પર એક તરફ ગાંધીજી અને બીજી બાજુ લક્ષ્મી અને ગણેશજીની તસવીર લગાવી જોઈએ. અમે એવું નથી કહી રહ્યા કે તમામ નોટો બદલવી જોઈએ, પરંતુ હવે પછી જે નવી નોટો છપાય છે તેના પર લક્ષ્મીજી અને ગણેશજીની તસવીર છપાયેલી હોવી જોઈએ.

‘ભગવાનની પૂજા કરતી વખતે આ વિચાર આવ્યો’

કેજરીવાલે કહ્યું કે દિવાળીના દિવસે લક્ષ્મી-ગણેશ પૂજા કરતી વખતે આ વિચાર આવ્યો. તેમણે કહ્યું કે હું એમ નથી કહેતો કે તેનાથી અર્થવ્યવસ્થા સારી થશે. પરંતુ, તમને ભગવાનના આશીર્વાદ ચોક્કસ મળશે. અમે કોઈને દૂર કરવાની વાત નથી કરી રહ્યા. જો ઇન્ડોનેશિયા તે કરી શકે છે, તો આપણે કેમ નહીં? લક્ષ્મીજી ઐશ્વર્ય અને સમૃદ્ધિની દેવી છે. હું પણ કાલે કે પરમ દિવસે આ અંગેનો પત્ર લખીશ.

‘MCDમાં 15 વર્ષનું કુશાસન’

દિલ્લી મ્યુનિસિપલ કોર્પોરેશન અને ગુજરાતની ચૂંટણી એકસાથે યોજાવા પર અરવિંદ કેજરીવાલે કહ્યું કે દિલ્લીની જનતા અહીં ચૂંટણી લડશે. તો ત્યાં ગુજરાતની જનતા ગુજરાતમાં ચૂંટણી લડશે. અહીં MCDમાં 15 વર્ષનું કુશાસન છે. ત્યાં 27 વર્ષનું સારું કામ ગણાવી શકાય નહીં. કેન્દ્ર સરકાર પર નિશાન સાધતા સીએમએ કહ્યું કે તેઓએ (ભાજપ) ખૂબ પ્રયાસ કર્યા, ખોટું સીમાંકન કર્યું. પણ જનતાનો મિજાજ છે, જનતાએ મન બનાવી લીધું છે.

Latest News Updates

Loksabha Election 2024 : પ્રિયંકા ગાંધી વલસાડના ધરમપુરમાં સંબોધશે સભા
Loksabha Election 2024 : પ્રિયંકા ગાંધી વલસાડના ધરમપુરમાં સંબોધશે સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
g clip-path="url(#clip0_868_265)">