AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Karnataka Election 2023 : કર્ણાટક વિધાનસભા ચૂંટણીની આજે જાહેર થશે તારીખ, સવારે 11.30 વાગ્યે ECની પ્રેસ કોન્ફરન્સ

ભારતીય ચૂંટણી પંચ (ECI) કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટેના કાર્યક્રમની આજે જાહેરાત કરશે. આ અંગે વિજ્ઞાન ભવનના પ્લેનરી હોલમાં સવારે 11.30 કલાકે, ચૂંટણી પંચે પત્રકાર પરિષદ બોલાવી છે.

Karnataka Election 2023 : કર્ણાટક વિધાનસભા ચૂંટણીની આજે જાહેર થશે તારીખ, સવારે 11.30 વાગ્યે ECની પ્રેસ કોન્ફરન્સ
Rajiv Kumar, Election CommissionerImage Credit source: PTI
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 29, 2023 | 12:14 PM
Share

ભારતીય ચૂંટણી પંચ (ECI) કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટેના કાર્યક્રમની જાહેરાત કરશે. આ અંગે વિજ્ઞાન ભવનના પ્લેનરી હોલમાં સવારે 11.30 કલાકે ચૂંટણી પંચે પત્રકાર પરિષદ બોલાવી છે.અત્રે ઉલ્લેખનીય છે કે કર્ણાટક વિધાનસભાનો કાર્યકાળ આગામી 24 મે 2023 સુધી છે. આ પહેલા મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે બેંગલુરુમાં આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, 2011ની વસ્તી ગણતરી મુજબ કર્ણાટકની વસ્તી લગભગ 6 કરોડ 10 લાખ છે.

ગત વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી હતી અને જનતા દળ સેક્યુલર સાથે ગઠબંધન કરીને સરકાર બનાવી હતી, પરંતુ લગભગ દોઢ વર્ષ પછી તત્કાલિન મુખ્ય પ્રધાન બીએસ યેદિયુરપ્પાના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીએ સત્તા સંભાળી હતી.

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીની લોકસભાના સાંસદ તરીકેની સદસ્યતા છીનવી લેવાયા બાદ હવે આ ચૂંટણી કોંગ્રેસ માટે પ્રતિષ્ઠાની લડાઈ બની ગઈ છે. તાજેતરમાં જ કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ કહ્યું હતું કે કર્ણાટક ચૂંટણીમાં જનતા મોદી સરકારની ખામીઓનો જવાબ આપશે.

વર્તમાન વિધાનસભાનો કાર્યકાળ 24 મેના રોજ પૂર્ણ થશે

કુલ 224 બેઠક ધરાવતી કર્ણાટક વિધાનસભાનો કાર્યકાળ આગામી 24 મેના રોજ સમાપ્ત થશે. થોડા દિવસો પહેલા મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કર્ણાટક રાજ્યની મુલાકાત લીધી હતી અને ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા કરી હતી. રાજ્યમાં અનુસૂચિત જાતિ માટે 36 બેઠકો અને અનુસૂચિત જનજાતિ માટે 15 બેઠકો અનામત છે.

2018માં કોને કેટલી મળી હતી બેઠક ?

કુલ બેઠકોઃ 224, બહુમતી- 123

  • ભાજપ – 104
  • કોંગ્રેસ – 80
  • જેડીએસ – 37

દેશ અને દુનિયાના તાજા સમાચાર ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર 

દેશ સાથે જોડાયેલા તમામ ન્યૂઝ માટે જોડાયેલા રહો…

Follow Us
અમદાવાદમાં CG રોડ પર અકસ્માત અને મારપીટ, બુટલેગરનો પૌત્ર ઝડપાયો
અમદાવાદમાં CG રોડ પર અકસ્માત અને મારપીટ, બુટલેગરનો પૌત્ર ઝડપાયો
નેતાઓની હાજરીમાં ભાવનગરના લઠ્ઠકાંડ મામલે રાજભા ગઢવીએ કરી આ ટિપ્પણી
નેતાઓની હાજરીમાં ભાવનગરના લઠ્ઠકાંડ મામલે રાજભા ગઢવીએ કરી આ ટિપ્પણી
GUના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ અંગે તપાસ
GUના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ અંગે તપાસ
સસ્તા દારૂને બ્રાન્ડેડ દારૂ તરીકે વેચવાના કૌભાંડનો પર્દાફાશ
સસ્તા દારૂને બ્રાન્ડેડ દારૂ તરીકે વેચવાના કૌભાંડનો પર્દાફાશ
વરસાદ ખેંચાતા ખેડૂતો પર સંકટના વાદળો, સિંચાઈ માટે પાણી આપવા માગ
વરસાદ ખેંચાતા ખેડૂતો પર સંકટના વાદળો, સિંચાઈ માટે પાણી આપવા માગ
ખેડૂતોનું દુંખ દૂર કરવાને બદલે સરકાર વાહવાહી કરવામાં પડી છેઃઅમિત ચાવડા
ખેડૂતોનું દુંખ દૂર કરવાને બદલે સરકાર વાહવાહી કરવામાં પડી છેઃઅમિત ચાવડા
હેલિપેડને લઈને સરકારના કડક આદેશ, સતત ઑપરેશનલ કન્ડીશનમાં રાખવામાં આવશે
હેલિપેડને લઈને સરકારના કડક આદેશ, સતત ઑપરેશનલ કન્ડીશનમાં રાખવામાં આવશે
PM મોદીના જન્મદિવસે ગુજરાત ભાજપ ઉજવશે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ
PM મોદીના જન્મદિવસે ગુજરાત ભાજપ ઉજવશે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ
મહેસાણામાં વિકાસ કામોની ગુણવત્તા પર રહેશે મનપાની સીધી નજર
મહેસાણામાં વિકાસ કામોની ગુણવત્તા પર રહેશે મનપાની સીધી નજર
રાજકોટ લોકમેળામાં રાઈડ્સ બંધ થતાં સંચાલકોમાં મૂંઝવણ, માત્ર 8ને મંજૂરી
રાજકોટ લોકમેળામાં રાઈડ્સ બંધ થતાં સંચાલકોમાં મૂંઝવણ, માત્ર 8ને મંજૂરી
g clip-path="url(#clip0_868_265)">