Karnataka: બજરંગ દળના કાર્યકરની હત્યા કેસમાં ચારની ધરપકડ, 12ની અટકાયત

અધિક પોલીસ મહાનિર્દેશક પ્રતાપ રેડ્ડીએ કહ્યું કે તમામ આરોપીઓની ઓળખ કરી લેવામાં આવી છે. પોલીસની ટીમ બહાર તેમજ શિમોગા જિલ્લામાં સર્ચ કરી રહી છે. આરોપીની શોધખોળ ચાલુ છે.

Karnataka: બજરંગ દળના કાર્યકરની હત્યા કેસમાં ચારની ધરપકડ, 12ની અટકાયત
Bajrang Dal worker brutally murdered in Shimoga
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 22, 2022 | 5:27 PM

કર્ણાટકના (Karnataka) શિમોગા જિલ્લામાં બજરંગ દળના (Bajrang Dal) કાર્યકરની હત્યાની ઘટના બાદ રાજ્યમાં ભયનો માહોલ ફેલાયો છે. જો કે આ કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે જણાવ્યું કે ઘટનાના તમામ આરોપીઓની ઓળખ થઈ ગઈ છે. અધિક પોલીસ મહાનિર્દેશક પ્રતાપ રેડ્ડીએ કહ્યું કે તમામ આરોપીઓની ઓળખ કરી લેવામાં આવી છે. પોલીસની ટીમ બહાર તેમજ શિમોગા જિલ્લામાં સર્ચ કરી રહી છે. આરોપીની શોધખોળ ચાલુ છે. અમે આરોપીઓને ઓળખવા અને તેમની ધરપકડ કરવાના તબક્કા પર છીએ. કેટલાક લોકોની ધરપકડ કરવામાં આવી છે. બાકીના લોકોની પણ ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે. તેમણે કહ્યું કે કલમ 144 લાગુ હોવા છતાં, મંગળવારે સવારે તુંગનગર વિસ્તારમાં કેટલાક વાહનોને સળગાવી દેવામાં આવ્યા હતા.

રેડ્ડીએ જણાવ્યું હતું કે, કાર્યકરની હત્યા પછી, શિમોગામાં વધારાના દળો તૈનાત કરવામાં આવ્યા છે અને ડેપ્યુટી કમિશનર અને પોલીસ અધિક્ષક દ્વારા પણ પરિસ્થિતિ વણસે નહીં તેની ખાતરી કરવા માટે વ્યવસ્થા કરવામાં આવી છે, રેડ્ડીએ જણાવ્યું હતું.

સમગ્ર શિમોગામાં તણાવનો માહોલ

બજરંગ દળના કાર્યકરના મોતથી સમગ્ર શિમોગામાં તણાવનો માહોલ છે. આ ઘટનાથી રોષે ભરાયેલા લોકોએ આજે ​​સમગ્ર વિસ્તારમાં આગચંપી શરૂ કરી દીધી હતી. જોકે, પોલીસે હત્યાના મામલે 12 લોકોની અટકાયત કરી છે. કર્ણાટકના ગૃહમંત્રી અર્ગા જ્ઞાનેન્દ્રએ મંગળવારે કહ્યું, 12થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી છે અને પૂછપરછ ચાલુ છે. કાર્યકરની હત્યાના સંબંધમાં, પોલીસે અત્યાર સુધીમાં ચાર લોકોની ધરપકડ કરી છે અને પૂછપરછ માટે 12ની અટકાયત કરી છે.

સરફરાઝ ખાન બન્યો પિતા, જુઓ ફોટો
રોજ સવારે 1 કાચું આમળું ખાવાથી જાણો શું થાય છે?
માત્ર 20 રૂપિયામાં તમને મળશે સોના જેવો નિખાર, સ્કીન માટે વરદાન છે આ વસ્તુ
ગુલાબના છોડમાં નાખી દો આ વસ્તુ, ફુલોનો થશે ઢગલો
Lawrence : લેટિન ભાષાનો શબ્દ છે લોરેન્સ, આ નામનો અર્થ શું થાય?
દિવાળી પર ગૃહિણીઓ આ કાર્યો દ્વારા કમાઈ શકો છો હજારો રુપિયા

પોલીસે જણાવ્યું હતું કે, મંગળવારે સવારે અહીંના તુંગનગર વિસ્તારમાં હિંસા અને આગચંપીના છૂટાછવાયા બનાવો બન્યા હતા. પોલીસ સૂત્રોએ જણાવ્યું કે ધરપકડ કરાયેલા આરોપીઓની ઓળખ કાશિફ, નદીમ, આસિફ અને રિહાન તરીકે થઈ છે, જેઓની ઉંમર 20 વર્ષની આસપાસ છે. સૂત્રોએ કહ્યું, આ આરોપીઓની પૃષ્ઠભૂમિની તપાસ કરવામાં આવી રહી છે. આ ઘટના રવિવારની છે. શિમોગામાં રવિવારે રાત્રે કારમાં આવેલા કેટલાક અજાણ્યા લોકોએ બજરંગ દળના કાર્યકરની હત્યા કરી હતી.

શાળા-કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી

ઘટના બાદ તંગદિલીભર્યા વાતાવરણને જોતા જિલ્લા પ્રશાસને શાળા-કોલેજોમાં રજા જાહેર કરી હતી. આ સિવાય અહીં કલમ 144 પણ લાગુ કરવામાં આવી છે. અધિકારીએ જણાવ્યું કે શહેરમાં હિંસા અને આગચંપીની 14 અલગ-અલગ ઘટનાઓ બની જેના માટે એફઆઈઆર દાખલ કરવામાં આવશે. રેડ્ડીએ કહ્યું કે ત્રણ કેસમાં એફઆઈઆર નોંધવામાં આવી છે અને પોલીસ એવા લોકોની શોધ કરી રહી છે જેમણે આગ અને હિંસામાં પોતાના વાહનો અને સંપત્તિ ગુમાવી છે.

આ પણ વાંચો : Hijab Row: કર્ણાટક હાઈકોર્ટમાં સુનાવણીનો 8મો દિવસ, AGએ કહ્યું- કેમ્પસમાં હિજાબ પહેરવા પર કોઈ પ્રતિબંધ નથી, તે માત્ર ક્લાસરૂમ સુધી મર્યાદિત છે

આ પણ વાંચો : અફઘાનિસ્તાનની મદદે આગળ આવ્યુ ભારત, પાકિસ્તાન મારફતે 50 હજાર મેટ્રિક ટન મોકલશે ઘઉં

ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
ગુજરાતમાં નક્લીની એક બાદ એક નક્લીની ભરમાર, હવે નક્લી જજનો થયો પર્દાફાશ
ગુજરાતમાં નક્લીની એક બાદ એક નક્લીની ભરમાર, હવે નક્લી જજનો થયો પર્દાફાશ
મેઘરાજાએ વેર્યો વિનાશ, ધોવાયો તૈયાર પાક, ખેડૂતો થયા બરબાદ- Vidoe
મેઘરાજાએ વેર્યો વિનાશ, ધોવાયો તૈયાર પાક, ખેડૂતો થયા બરબાદ- Vidoe
g clip-path="url(#clip0_868_265)">