AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Karnataka Assembly Election: વરસાદના વિઘ્ન વચ્ચે પણ PM મોદીના રોડ શોમાં જન સેૈલાબ યથાવત, જુઓ VIDEO

પીએમ મોદીનો ચૂંટણી કાર્યક્રમ આજે સમાપ્ત થશે. 10 મેના રોજ મતદાન થવાનું છે. PMએ ચૂંટણી પ્રચારની કમાન સંભાળી ત્યારથી ભાજપને ફાયદો થયો છે. આ સિવાય કોંગ્રેસે પણ ચૂંટણી ઢંઢેરામાં બજરંગ દળનો ઉલ્લેખ કરીને પોતાના માથા પર મુસીબત લીધી હતી

Karnataka Assembly Election: વરસાદના વિઘ્ન વચ્ચે પણ PM મોદીના રોડ શોમાં જન સેૈલાબ યથાવત, જુઓ VIDEO
karnataka assembly election Crowd gathered in PM Modi roadshow
TV9 Gujarati
| Edited By: | Updated on: May 07, 2023 | 1:36 PM
Share

કર્ણાટક વિધાનસભા ચૂંટણી પ્રચાર સોમવારે સમાપ્ત થશે. ભાજપ અને કોંગ્રેસ બંને પાસે હવે માત્ર એક જ દિવસનો મોકો બચ્યો છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બીજા દિવસે કર્ણાટકમાં ભવ્ય રોડ શો કરી રહ્યા છે. તેમના રોડ શોમાં રોડની બંને બાજુ હજારોની ભીડ ઉમટી હોવાનું જોવા મળી રહ્યું છે.

લોકોને પીએમને જોઈને ક્યારેક હાથ જોડી રહ્યા હતા તો ક્યારેક તેમના પર ફૂલ વરસાવી રહ્યા છે. આ તેમનો બીજો રોડ શો છે જે સવારે 10 વાગ્યા પછી સ્ટાર્ટ થયો હતો. ત્યારે આ પ્રસંગે PM મોદીએ આદેશ આપ્યો છે કે NEETની પરીક્ષાઓ હોવાથી આજનો કાર્યક્રમ ટૂંકો રાખવામાં આવે.

પીએમ મોદીનો ચૂંટણી કાર્યક્રમ આજે સમાપ્ત થશે. 10 મેના રોજ મતદાન થવાનું છે. PMએ ચૂંટણી પ્રચારની કમાન સંભાળી ત્યારથી ભાજપને ફાયદો થયો છે. આ સિવાય કોંગ્રેસે પણ ચૂંટણી ઢંઢેરામાં બજરંગ દળનો ઉલ્લેખ કરીને પોતાના માથા પર મુસીબત લીધી હતી. હવે ભાજપ પ્રચારમાં આક્રમક જોવા મળી રહ્યું છે જ્યારે કોંગ્રેસ રક્ષણાત્મક દેખાઈ રહી છે.

પીએમ મોદીનો ભવ્ય રોડ શો

પીએમ મોદીના રોડ શોનો સમય આજે ઘટાડી દેવામાં આવ્યો છે. આજે પીએમ મોદીનો માત્ર દોઢ કલાકનો રોડ શો થશે. રાજ્યમાં વરસાદના વિઘ્ન વચ્ચે પીએમએ રોડ શો કર્યો હતો અને તેમને જોવા હજારોની સંખ્યામાં ભીડ ઉમટી પડી હતી. જોકે આજે NEETની પરીક્ષા હોવાથી PMએ પોતાના રોડ શોનો સમય ટૂકાવી દીધો હતો. PMએ આ નિર્ણય એટલા માટે લીધો છે કે પરીક્ષાર્થીઓને આવવા-જવામાં કોઈ મુશ્કેલી ન પડે. આ રોડ શો માત્ર 6.1 કિલોમીટરનો હશે. કેમ્પેગોડા સ્ટેચ્યુ ન્યૂ ટિપ્પાસન્દ્રાથી શરૂ થઈને ટ્રિનિટી સર્કલ, એમજી રોડ સુધી જશે.

પીએમ શિવમોગામાં શિવના દર્શન કરશે

રોડ શો બાદ પીએમ મોદી શિવમોગા ગ્રામીણમાં રેલી પણ કરવાના છે. PM 1.30 સુધીમાં અહીં પહોંચી જશે. અહીંથી પીએમ બપોરે 3.30 વાગ્યે નંજનગુડ પહોંચશે, જ્યાં તેઓ એક રેલીને સંબોધિત કરશે. રવિવારે સાંજે, વડા પ્રધાન નંજનગુડના શ્રીકાંતેશ્વરના પ્રખ્યાત મંદિરમાં દર્શન અને પૂજા સાથે ચાર રેલીઓ સાથે તેમના પ્રચારનો અંત કરશે. પીએમ નરેન્દ્ર મોદી આવતીકાલે શિવના દર્શન કરીને કર્ણાટક ચૂંટણી પ્રચારનું સમાપન કરશે.

પીએમ ચૂંટણી પ્રચારનું સમાપન કરશે

પીએમ મોદીના ચૂંટણી પ્રચારનો આજે છેલ્લો દિવસ છે. કોઈ કસર છોડવા માંગતું નથી. જ્યારથી પીએમ મોદીએ કર્ણાટક ચૂંટણીમાં કાર્યભાર સંભાળ્યો છે ત્યારથી ભાજપની સ્થિતિમાં થોડો સુધારો થયો છે. આજે ચૂંટણી કાર્યક્રમ પૂરો કર્યા બાદ પીએમ સાંજે 5 વાગે મૈસૂરના નંજનગુડુ ખાતે શ્રી કંથેશ્વર મહાદેવ મંદિરની મુલાકાત લેશે. કાઠેશ્વર મહાદેવના દર્શન કર્યા બાદ પીએમ મોદી દિલ્હી પરત ફરશે. પ્રસિદ્ધ શિવ મંદિર મૈસુરના ચામરાજનગર મતવિસ્તારમાં આવેલું છે.

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">