કપિલ સિબ્બલે કોંગ્રેસમાંથી આપ્યું રાજીનામું, અખિલેશ યાદવની હાજરીમાં સપામાંથી રાજ્યસભા માટે ભર્યું ઉમેદીવારી પત્ર

રાજ્યસભામાં અત્યાર સુધી સમાજવાદી પાર્ટીના (Samajvadi party)પાંચ સભ્યો છે. જેમાં કુંવર રેવતી રમણ સિંહ, વિશંભર પ્રસાદ નિષાદ અને ચૌધરી સુખરામ સિંહ યાદવનો કાર્યકાળ 4 જુલાઈએ પૂરો થઈ રહ્યો છે.

કપિલ સિબ્બલે કોંગ્રેસમાંથી આપ્યું રાજીનામું, અખિલેશ યાદવની હાજરીમાં સપામાંથી રાજ્યસભા માટે ભર્યું ઉમેદીવારી પત્ર
Kapil Sibal
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 25, 2022 | 2:05 PM

કપિલ સિબ્બલે (Kapil Sibbal)ઉમેદવારી પત્ર ભરીને કહ્યું હતું કે મે અપક્ષ તરીકે રાજ્યસભા (Rajyasabha)માટે ઉમેદવારી પત્ર ભર્યું છે. અને 16 મેના રોજ મે પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું. કપિલ સિબ્બલે  સમાજવાદી પાર્ટીના અખિલેશ યાદવનો (Akhilesh yadav)આભાર વ્યક્ત કરતા કહ્યું હતું કે તેમણે મારું સમર્થન કર્યું તે માટે હું અખિલેશ યાદવને ધન્યવાદ પાઠવું છું. સાથે જ તેમણે આઝમ ખાનનો પણ આભાર માન્યો હતો.

સાથે જ કપિલ સિબ્બલે જણાવ્યું હતું કે બધા જ એક થાય અને એક મજબૂત વિપક્ષ તરીકે મોદી સરકારનો વિરોધ કરી શકે. તેમણે એમ પણ કહ્યું કે વર્ષ 2024માં એવું વાતાવરણ બને કે મોદી સરકારની જે ખામી છે તેને જનતા સુધી પહોંચાડવામાં આવે. હું સમજું છું કે એક નિર્દળીય અવાજ ઉઠશે તો લોકોને એમ લાગશે કે તે વ્યક્તિ કોઈ પક્ષ સાથે જોડાયેલી નથી.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024

કોંગ્રેસના નેતા કપિલ સિબ્બલે લખનૌમાં સમાજવાદી પાર્ટી (SP)ના વડા અખિલેશ યાદવની હાજરીમાં રાજ્યસભાની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવી હતી. આ દરમિયાન કપિલ સિબ્બલે કહ્યું કે 16 મેના રોજ મેં પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. હું ઈચ્છું છું કે દરેક વ્યક્તિ એક થાય અને મજબૂત વિપક્ષ બનીને મોદી સરકારનો વિરોધ કરી શકે. બીજી તરફ, સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે કહ્યું કે સપા વતી કોંગ્રેસના વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલે રાજ્યસભાના સભ્યપદ માટે ઉમેદવારી પત્ર ભર્યું છે. તેઓ સમાજવાદી પાર્ટીના સમર્થનથી રાજ્યસભામાં જઈ રહ્યા છે.  રાજયસભા માટે પ્રથમ ઉમેદવારી સપા તરફથી કરવામાં આવી છે.

સમાજવાદી પાર્ટીના અખિલેશ યાદવે કહ્યું  હતું કે રાજ્યસભા માટે અન્ય બે લોકોના નામની જાહેરાત બહુ જલ્દી કરવામાં આવશે. જણાવી દઈએ કે રાજ્યસભામાં અત્યાર સુધી સમાજવાદી પાર્ટીના પાંચ સભ્યો છે. જેમાં કુંવર રેવતી રમણ સિંહ, વિશંભર પ્રસાદ નિષાદ અને ચૌધરી સુખરામ સિંહ યાદવનો કાર્યકાળ 4 જુલાઈએ પૂરો થઈ રહ્યો છે.

Latest News Updates

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
g clip-path="url(#clip0_868_265)">