AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર જેપી નડ્ડાનો મોટો પ્રહાર, કહ્યું ‘રાષ્ટ્રવિરોધી ટૂલકિટના સ્થાયી સભ્ય બની ગયા રાહુલ ગાંધી’

જેપી નડ્ડાએ કોંગ્રેસ નેતા રાહુલ પર હુમલો કરતા કહ્યું કે 'દુર્ભાગ્યની વાત એ છે કે દેશ વિરોધી ગતિવિધિઓમાં કોંગ્રેસ પાર્ટી સામેલ થઈ ગઈ છે. જનતા દ્વારા નકારી દીધા બાદ પણ રાહુલ ગાંધી પણ આ દેશ વિરોધી ટૂલકિટના એક સ્થાયી હિસ્સો બની ગયા છે.'

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર જેપી નડ્ડાનો મોટો પ્રહાર, કહ્યું 'રાષ્ટ્રવિરોધી ટૂલકિટના સ્થાયી સભ્ય બની ગયા રાહુલ ગાંધી'
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 17, 2023 | 11:21 AM
Share

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી તરફથી થોડા દિવસ પહેલા લંડનમાં આપેલા નિવેદનને લઈ હંગામો ચાલી રહ્યો છે અને ભારતીય જનતા પાર્ટી તરફથી સતત શાબ્દિક હુમલા કરવામાં આવી રહ્યા છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ મોર્ચો સંભાળ્યો અને કહ્યું કે રાહુલ ગાંધી વિદેશી ધરતી પર દેશનું અપમાન કરી રહ્યા છે. અમે દેશ-વિરોધી શક્તિઓને સફળ નહીં થવા દઈએ.

જેપી નડ્ડાએ કોંગ્રેસ નેતા રાહુલ પર હુમલો કરતા કહ્યું કે ‘દુર્ભાગ્યની વાત એ છે કે દેશ વિરોધી ગતિવિધિઓમાં કોંગ્રેસ પાર્ટી સામેલ થઈ ગઈ છે. જનતા દ્વારા નકારી દીધા બાદ પણ રાહુલ ગાંધી પણ આ દેશ વિરોધી ટૂલકિટના એક સ્થાયી હિસ્સો બની ગયા છે.’

આ પણ વાંચો: Zojila Pass Tunnel: BROએ 68 દિવસ બાદ ખોલ્યો ઝોજિલા પાસ, ગુરેઝ અને કાશ્મીર ઘાટી વચ્ચે સંપર્ક પુનઃસ્થાપિત

શું છે રાહુલ ગાંધીનો ઈરાદોઃ જેપી નડ્ડા

વિદેશી ધરતી પર દેશનું અપમાન કરવાનો આરોપ લગાવતા જેપી નડ્ડાએ કહ્યું ‘એક તરફ આજે ભારત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દુનિયાની 5મી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની રહ્યું છે અને દેશમાં જી-20ની બેઠકો થઈ રહી છે, જ્યારે રાહુલ ગાંધી વિદેશી ધરતી પર દેશ અને સંસદનું અપમાન કરી રહ્યા છે. હું રાહુલ ગાંધી પાસેથી જાણવા માંગુ છુ કે તેની પાછળ તેમનો શું ઈરાદો છે.’

રાહુલ ગાંધી પર પ્રહાર કરતા જેપી નડ્ડાએ કહ્યું કે “કોઈપણ દેશ દ્વારા ભારતની આંતરિક બાબતોમાં દખલગીરી કરવી એ ભારતની સાર્વભૌમત્વ પર હુમલો છે. હું કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી પાસેથી જાણવા માંગુ છું કે યુરોપ અને અમેરિકાને ભારતના મામલામાં હસ્તક્ષેપ કરવા માટે ઉશ્કેરવા પાછળ તેમનો શું ઈરાદો છે? તમારે આ માટે માફી માંગવી પડશે.”

કોંગ્રેસ પાર્ટીનું કોઈ સાંભળતુ નથી

કેન્દ્રીય મંત્રીઓ સ્મૃતિ ઈરાની, અનુરાગ ઠાકુર અને કિરણ રિજિજૂ તરફથી છેલ્લા 3 દિવસથી રાહુલ ગાંધીના નિવેદન પર હુમલો કર્યા બાદ આજે ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ કોંગ્રેસ નેતાને પોતાનું નિશાન બનાવ્યા. તેમને રાહુલ ગાંધીને સલાહ આપતા કહ્યું કે રાહુલ ગાંધી, ભારત લોકતંત્રની જનની છે. દુનિયાની કોઈ તાકાત ભારતની લોકશાહી પરંપરાને નુકસાન ના પહોંચાડી શકે. આજની તારીખમાં દેશમાં તમારી પાર્ટીનું કોઈ સાંભળતુ નથી, જનતા પણ તમારો વિશ્વાસ કરતી નથી.

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">