જાવેદ અખ્તર બોલ્યા મુસ્લિમોના 4 પત્નીઓ રાખવાના હક્કથી જલે છે હિંદુઓ, આથી લાવવા માગે છે યુનિફોર્મ સિવિલ કોડ

જાવેદ અખ્તરે કહ્યુ કે તે ખુદ યુનિફોર્મ તેની જિંદગીમાં યુનિફોર્મ સિવિલ કોડને અનુસરે છે, પરંતુ કેટલાક લોકો માત્ર મુસ્લિમોને કોસવા માટે તેને લાવવા માગે છે. એક પોડકાસ્ટમાં યુનિફોર્મ સિવિલ કોડ મુદ્દે જાવેદ અખ્તર ખુલીને બોલ્યા અને જાહેરમાં નમાઝ પઢવાને પણ અયોગ્ય ગણાવ્યુ.

જાવેદ અખ્તર બોલ્યા મુસ્લિમોના 4 પત્નીઓ રાખવાના હક્કથી જલે છે હિંદુઓ, આથી લાવવા માગે છે યુનિફોર્મ સિવિલ કોડ
Follow Us:
| Updated on: Mar 19, 2024 | 11:07 PM

જાવેદ અખ્તરનું કહેવુ છે કે તેઓ યુનિફોર્મ સિવિલ કોડના પક્ષધર છે. સાથે જ તેઓ તેને અનુસરે પણ છે. જાવેદ અખ્તરે કહ્યુ અનેક લોકો મુસ્લિમો સાથે દ્વેષ ભાવના કારણે UCC લાવવા માગે છે. આ બરાબર નથી. આ વાતો તેમણે એક પોડકાસ્ટ દરમિયાન કહી છે. આ દરમિયાન તેઓ રસ્તા વચ્ચે નમાઝ પઢનારા લોકો વિશે પણ બોલ્યા.

જાવેદ અખ્તર સામાજિક મુદ્દાઓ પર હંમેશા તેમની વાત ખુલીને રાખે છે. આજ કારણે તેમના નિવેદનો ચર્ચામાં પણ રહે છે. એક પોડકાસ્ટમાં જાવેદ અખ્તરે અનેક મુદ્દાઓ પર વાત કરી. તેમને જ્યારે પૂછવામાં આવ્યુ કે શું તેઓ જન્મ્યા ત્યારે તેમને કાનમાં કોમ્યુનિસ્ટ મેનિફેસ્ટો સંભળાવાયો હતો. આના પર તેમણે એક રસપ્રદ કિસ્સો સંભળાવ્યો.

સ્ટાલિનને સમજતા હતા દાદાજી

જાવેદ અખ્તરે જણાવ્યુ કે તેમનો જન્મ ગ્વાલિયરમાં થયો હતો. તેમના પિતાના કેટલાક મિત્રો તેમને હોસ્પિટલમાં મળવા આવ્યા. તેમાંથી એક કોમ્યુનિસ્ટ હતા. તેમણે સાંભળ્યુ હતુ કે મુસ્લિમોના બાળકોના કાનમાં કલમા, આયત કે દુઆ પઢવામાં આવે છે, જ્યારે તેમણે કોમ્યુનિસ્ટ મેનિફેસ્ટો જાવેદ અખ્તરના કાનમાં સંભળાવ્યો હતો. જાવેદ અખ્તરે જણાવ્યુ કે તેમના ઘર પર સ્ટાલિનની એક બહુ મોટી તસવીર રહેતી હતી. કોઈકે કહી દીધુ કે સ્ટાલિન તેમના દાદાજી છે અને બહુ વર્ષો સુધી તેઓ સાચે જ તેમને દાદાજી માનતા રહ્યા હતા. સમય રહેતા જ્યારે તેમને સાચી હકીકતની જાણ થઈ તો તેઓ ઘણા દુ:ખી થયા હતા.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

બાળપણથી જેલ જવાની હતી તૈયારી

જાવેદ બાળપણથી જ ક્રાંતિકારી હતા. તેમણે જણાવ્યુ કે જ્યારે હું નાનો હતો ત્યારે કંઈ ખાતો નહીં કે સબ્જી ખાવાની ના પાડતો તો મા કહેતી કે ક્રાંતિમાં જ્યારે જેલ જઈશ તો બધુ જ ખાવુ પડશે. તેમણે કહ્યુ આ સાંભળ્યા બાદ હું બધુ જ ખાઈ લેતો હતો કારણ કે મને ખબર હતી કે એક દિવસ હું જેલ જઈશે. જાવેદ અખ્તરે કહ્યુ મે માત્ર 6 – 7 વર્ષની ઉમરથી જ મરચા ખાવાનુ શરૂ કરી દીધુ હતુ કારણ કે લોકો કહેતા હતા કે જેલનુ જમવાનુ ઘણુ તીખુ હોય છે.

સડક નમાઝ માટે નથી

થોડા દિવસો પહેલા સડક પર નમાઝ પઢનારાઓને પોલીસે લાત મારીને હટાવ્યા હતા. આ વીડિયો ઘણો વાયરલ થયો અને આ મુદ્દે સોશિયલ મીડિયા પર પણ ઘણો ચગ્યો હતો. જ્યારે જાવેદ અખ્તર પાસે આના પર રિએક્શન માગવામાં આવ્યુ તો તેમણે કહ્યુ સડક પર નમાઝ પઢવી ઠીક નથી. જો જગ્યા નથી તો સરકાર પાસે માગો પરંતુ સડક નમાઝ પઢવા માટે નથી. હિંદુ કરે કે મુસ્લિમ પરંતુ આ ન થવુ જોઈએ. જો કે પોલીસે જે તરીકો અપનાવ્યો તે પણ બરાબર ન હતો.

મુસ્લિમોથી જલે છે લોકો

યુનિફોર્મ સિવિલ કોડ પર જાવેદ અખ્તરે કહ્યુ કે એ માત્ર મુસ્લિમોની ટીકા માટે ન થવુ જોઈએ. તેમને યુનિફોર્મ સિવિલ કોડમાં કંઈ ખોટુ જણાતુ નથી. કેન્દ્ર દ્વારા ચર્ચા કરી તેને સમાન રૂપે લાગુ કરવી જોઈએ. જાવેદ અખ્તરે કહ્યુ કે તેઓ ખુદ તેનુ પાલન કરે છે. જોકે કોઈ માત્ર એટલે યુનિફોર્મ સિવિલ કોડ લાવવા માગે છે કે મુસ્લિમો એક કરતા વધુ લગ્ન ન કરી શકે તો તે ખોટુ છે. જાવેદ અખ્તરે મજાકમાં કહ્યુ કે લોક જલે છે કે મુસ્લિમોને ચાર પત્નીઓ રાખવાનો હક્ક છે. તેમને બીજુ કંઈ ખોટુ નથી લાગતુ, શું આજ કારણ છે યુનિફોર્મ સિવિલ કોડ લાવવાનું? જો તમને પણ આ હક્ક આપી દેવામાં આવે તો તકલિફ નહીં થાય.

બે લગ્ન કરનારા હિંદુઓ વધારે

જાવેદ અખ્તરે કહ્યુ કે ગેરકાયદે રીતે હિંદુઓ બે લગ્નો કરી રહ્યા છે. આંકડા જણાવે છે કે હિંદુઓમાં બે લગ્નો વધારે છે. જાવેદ જણાવ્યુ કે તેઓ બધા માટે સમાન કાનુન અને સમાન હક્કના પક્ષધર છે. તેઓ તેમના જીવનમાં તેને અનુસરે પણ છે. જાવેદે જણાવ્યુ કે તેઓ તેમની પુત્રીને પણ તેમના પુત્રની જેટલો જ સમાન હિસ્સો આપશે. તેમણે લોકોને સવાલ કર્યો કે શું તમે તમારી દીકરીને મિલ્કતમાં હિસ્સો આપ્યો ? જો નહીં તો પછી ચુપ રહો.

આ પણ વાંચો: અમરેલીમાં કદાવર આખલાને જોઈ ડરી ગયા સાવજો, શિકાર કરવાનું માંડી વાળી વીલા મોં એ જ થયા રવાના- જુઓ વીડિયો

દેશભરના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું
ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું
પોરબંદર જળસીમા નજીકથી 86 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ધરપકડ, VIDEO
પોરબંદર જળસીમા નજીકથી 86 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ધરપકડ, VIDEO
PM મોદી અને ભાજપને સમર્થન આપવા ક્ષત્રિય સમાજને કરી અપીલ - પ્રદીપસિંહ
PM મોદી અને ભાજપને સમર્થન આપવા ક્ષત્રિય સમાજને કરી અપીલ - પ્રદીપસિંહ
ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ કરશે મતદાન !
ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ કરશે મતદાન !
g clip-path="url(#clip0_868_265)">