જાન્યુઆરીથી ભારતમાં શરૂ થઇ શકે છે કોરોના વૅક્સિનેશન: સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાનો દાવો
ભારતમાં જાન્યુઆરીથી કોરોના વૅક્સિનેશનની શરૂઆત થઇ શકે છે. અને ઓક્ટોબર-2021 સુધીમાં તમામ દેશવાસીઓને વૅક્સિનનો ડોઝ મળી શકે છે. આ દાવો કર્યો છે સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાના CEO અદાર પૂનાવાલાનું કહેવું છે. તેમણે દાવો કર્યો છે કે તેમની કંપનીને મહિનાના અંત સુધીમાં વૅક્સિનના ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરી મળી શકે છે. અદાર પૂનાવાલાએ કહ્યું કે, અમને આશા […]
ભારતમાં જાન્યુઆરીથી કોરોના વૅક્સિનેશનની શરૂઆત થઇ શકે છે. અને ઓક્ટોબર-2021 સુધીમાં તમામ દેશવાસીઓને વૅક્સિનનો ડોઝ મળી શકે છે. આ દાવો કર્યો છે સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાના CEO અદાર પૂનાવાલાનું કહેવું છે. તેમણે દાવો કર્યો છે કે તેમની કંપનીને મહિનાના અંત સુધીમાં વૅક્સિનના ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરી મળી શકે છે. અદાર પૂનાવાલાએ કહ્યું કે, અમને આશા છે કે ઓક્ટોબર 2021 પછી ભારતમાં સામાન્ય જીવન ફરી શરૂ થઇ શકે છે. મહત્વનું છેકે થોડા દિવસો પહેલા જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાની મુલાકાત લીધી હતી. અને કોરોના વૅક્સિનની તૈયારીની સમીક્ષા કરી હતી. સીરમ ઇન્સ્ટિટ્યૂટ એસ્ટ્રાજેનેકા દવા કંપનીની વૅક્સિનનું ઉત્પાદન ભારતમાં કરી રહી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો