AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jammu-Kashmir: આતંકવાદી હુમલાના એક દિવસ બાદ રાજનાથ સિંહ પહોંચ્યા રાજૌરી, સૈનિકોની વધારી હિંમત

આ પહેલા રાજનાથ સિંહ જમ્મુ પહોંચ્યા હતા. આ દરમિયાન જમ્મુ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હા અને આર્મી ચીફ જનરલ મનોજ પાંડે પણ ત્યાં હાજર હતા. આ પછી રાજનાથ સિંહ રાજૌરી પહોંચ્યા અને શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી.

Jammu-Kashmir: આતંકવાદી હુમલાના એક દિવસ બાદ રાજનાથ સિંહ પહોંચ્યા રાજૌરી, સૈનિકોની વધારી હિંમત
Rajnath singh Jammu Kashmir Visit
TV9 Gujarati
| Edited By: | Updated on: May 06, 2023 | 5:01 PM
Share

જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં સેના સતત આતંકીઓની શોધમાં લાગેલી છે. શુક્રવારે એન્કાઉન્ટર દરમિયાન અહીં 5 જવાન શહીદ થયા હતા. આ દરમિયાન રક્ષા મંત્રી રાજનાથી સિંહ શનિવાર રાજૌરી પહોંચ્યા હતા જ્યાં તેમણે શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી. આ દરમિયાન રાજનાથ સિંહ સૈન્યના જવાનોને પણ મળ્યા હતા અને તેમની હિંમત વધારતા તેમને હોંસલા બુલંદ રાખવા કહ્યું હતું.

આ પણ વાંચો: Gujarati Video: ગીર સોમનાથના તાલાલા અને વેરાવળમાં મસાલાના વેપારીઓને ત્યાં આરોગ્ય વિભાગનો સપાટો, 10 નમૂના લઈ લેબ ટેસ્ટ માટે મોકલાયા

આ પહેલા રાજનાથ સિંહ જમ્મુ પહોંચ્યા હતા. આ દરમિયાન જમ્મુ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હા અને આર્મી ચીફ જનરલ મનોજ પાંડે પણ ત્યાં હાજર હતા. આ પછી રાજનાથ સિંહ રાજૌરી પહોંચ્યા અને શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપી. આ સિવાય જવાનોને મળ્યા અને તેમની સાથે વાત કરી અને પરિસ્થિતિનો પણ તાગ મેળવ્યો.

અગાઉ, COAS જનરલ મનોજ પાંડે અને ભારતીય સેનાના તમામ રેન્કોએ જમ્મુ અને કાશ્મીરના રાજૌરી ખાતે શહીદ સૈનિકોને શ્રદ્ધાંજલિ આપી હતી અને શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી હતી. હવાલદાર નીલમ સિંહ, એનકે અરવિંદ કુમાર, એલ/એનકે આરએસ રાવત, પં. પ્રમોદ નેગી અને પં. એસ. છેત્રીનો સમાવેશ થાય છે.

IED બ્લાસ્ટમાં 5 સૈનિક શહીદ

આપને જણાવી દઈએ કે, આતંકીઓ સાથેના અથડામણ દરમિયાન IED બ્લાસ્ટના કારણે 5 જવાન શહીદ થયા હતા અને એક ઘાયલ હોવાનું કહેવાય છે. ઘાયલ જવાન હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. સુરક્ષા દળોને રાજૌરીના કાંડી વિસ્તારમાં આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી મળી હતી, ત્યારબાદ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. સુરક્ષા દળો જેવા આતંકીઓ પાસે પહોંચ્યા કે આતંકીઓએ ફાયરિંગ શરૂ કરી દીધું. જેના પર સુરક્ષા દળોએ જવાબી કાર્યવાહી કરી અને એન્કાઉન્ટર શરૂ થયું. આ દરમિયાન એક આતંકીના મોતના પણ સમાચાર છે.

રાજૌરીમાં મે મહિનાથી ઓપરેશન ચાલુ છે

આપને જણાવી દઈએ કે, આતંકીઓની શોધમાં સેના રાજૌરીમાં 3 મેથી સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. 5 મેના રોજ પણ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન ગુફામાં છુપાયેલા આતંકીઓએ IED બ્લાસ્ટ કર્યો હતો જેમાં 5 જવાન શહીદ થયા હતા. આ સિવાય બારામુલ્લામાં પણ સેનાનું ઓપરેશન ચાલી રહ્યું છે. અહીં શનિવારે થયેલા એન્કાઉન્ટરમાં એક આતંકવાદી માર્યો ગયો છે. આ સાથે છેલ્લા 48 કલાકમાં અહીં લશ્કરના ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

દેશના તમામ સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

ગેસની અછત હોવા છતા અંબાજીમાં યાત્રિકો માટે નિ:શુલ્ક ભોજનની વ્યવસ્થા
ગેસની અછત હોવા છતા અંબાજીમાં યાત્રિકો માટે નિ:શુલ્ક ભોજનની વ્યવસ્થા
ચૂંટણી પહેલા ગૌમાતાને “રાજમાતા”નો દરજ્જો આપવા કોંગ્રેસે રજૂ કર્યું બિલ
ચૂંટણી પહેલા ગૌમાતાને “રાજમાતા”નો દરજ્જો આપવા કોંગ્રેસે રજૂ કર્યું બિલ
અમેરિકામાં વિઝા ફ્રોડ મામલે 11 ગુજરાતીઓ સામે કાયદાકીય કાર્યવાહી
અમેરિકામાં વિઝા ફ્રોડ મામલે 11 ગુજરાતીઓ સામે કાયદાકીય કાર્યવાહી
પ્રેમલગ્ન સામે ભારે વિવાદ બાદ સિંગર કિંજલ રબારી ઘરે પરત ફરી
પ્રેમલગ્ન સામે ભારે વિવાદ બાદ સિંગર કિંજલ રબારી ઘરે પરત ફરી
તમે આખો દિવસ ઉર્જાવાન અનુભવશો, મિત્રોની મદદથી નાણાકીય મુશ્કેલી દૂર થશે
તમે આખો દિવસ ઉર્જાવાન અનુભવશો, મિત્રોની મદદથી નાણાકીય મુશ્કેલી દૂર થશે
પ્રેમ લગ્નનો વિરોધ કરનારાઓ સામે લડી લેવાના મૂડમાં ગાયિકા કિંજલ રબારી
પ્રેમ લગ્નનો વિરોધ કરનારાઓ સામે લડી લેવાના મૂડમાં ગાયિકા કિંજલ રબારી
જૂનાગઢના અંબાજી મંદિરમાંથી ચોરી કરતા ઝડપાયા પૂજારી, CCTVએ ખોલી પોલ
જૂનાગઢના અંબાજી મંદિરમાંથી ચોરી કરતા ઝડપાયા પૂજારી, CCTVએ ખોલી પોલ
સુરતમાં ફરી શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો
સુરતમાં ફરી શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો
હવે ગામડાઓમાં 45 દિવસ બાદ જ મળશે બીજો LPG સિલિન્ડર
હવે ગામડાઓમાં 45 દિવસ બાદ જ મળશે બીજો LPG સિલિન્ડર
કાર્યક્ષેત્રમા નવી ઊંચાઈઓ સર કરશો, વ્યાપારીઓ માટે નફાકારક દિવસ સંભાવના
કાર્યક્ષેત્રમા નવી ઊંચાઈઓ સર કરશો, વ્યાપારીઓ માટે નફાકારક દિવસ સંભાવના
g clip-path="url(#clip0_868_265)">