AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jammu Kashmir: જમ્મુ-કાશ્મીરમાં વધુ એક કાશ્મીરી પંડિતની હત્યા, શોપિયાંમાં આતંકીઓએ ગોળીબાર કર્યો

મૃતક અને ઘાયલ બંને ભાઈઓ છે. મૃતકની ઓળખ સુનિલ કુમાર ભટ્ટ તરીકે થઈ છે, જ્યારે તેના ભાઈનું નામ પિન્ટુ કુમાર છે. કાશ્મીર ખીણમાં આતંકવાદીઓ (Terrorists) સતત સુરક્ષા દળો, બહારના મજૂરો અને લઘુમતીઓને નિશાન બનાવી રહ્યા છે.

Jammu Kashmir: જમ્મુ-કાશ્મીરમાં વધુ એક કાશ્મીરી પંડિતની હત્યા, શોપિયાંમાં આતંકીઓએ ગોળીબાર કર્યો
Jammu Kashmir
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 16, 2022 | 1:11 PM
Share

જમ્મુ-કાશ્મીરના (Jammu Kashmir) શોપિયાંના છોટીપુરા વિસ્તારમાં સફરજનના બગીચામાં આતંકવાદીઓએ (Terrorists) નાગરિકો પર ગોળીબાર કર્યો હતો, જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું અને અન્ય એક ઘાયલ થયો હતો. મૃતક અને ઘાયલ બંને હિન્દુ છે. ઘાયલ વ્યક્તિને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. વિસ્તારને કોર્ડન કરી દેવામાં આવ્યો છે. કહેવાય છે કે મૃતક અને ઘાયલ બંને ભાઈઓ છે. મૃતકની ઓળખ સુનિલ કુમાર ભટ્ટ તરીકે થઈ છે, જ્યારે તેના ભાઈનું નામ પિન્ટુ કુમાર છે. કાશ્મીર ખીણમાં આતંકવાદીઓ સતત સુરક્ષા દળો, બહારના મજૂરો અને લઘુમતીઓને નિશાન બનાવી રહ્યા છે. છેલ્લા 2 દિવસમાં બે પોલીસકર્મીઓ શહીદ થયા છે. આ સિવાય અન્ય એક પોલીસકર્મી ઘાયલ થયો છે, જ્યારે અન્ય એક નાગરિક પણ ઘાયલ થયો છે.

15 ઓગસ્ટે 2 ગ્રેનેડ હુમલા

સોમવારે આતંકવાદીઓએ બડગામ જિલ્લાના ચદૂરા વિસ્તારમાં બે ગ્રેનેડ હુમલા કર્યા હતા જેમાં લઘુમતી સમુદાયના એક નાગરિક સહિત બે લોકો ઘાયલ થયા હતા. આતંકવાદીઓએ એક કલાકની અંદર બે ગ્રેનેડ હુમલા કર્યા હતા. પોલીસે જણાવ્યું કે પહેલો હુમલો બડગામ જિલ્લાના ચદૂરામાં લઘુમતી વસાહતમાં કરવામાં આવ્યો હતો, જ્યારે બીજો હુમલો શ્રીનગરમાં પોલીસ કંટ્રોલ રૂમ પર કરવામાં આવ્યો હતો. હુમલામાં નાગરિક કરણ કુમાર સિંહ ઘાયલ થયા હતા અને તેમને સારવાર માટે શ્રીનગરની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. તેમની હાલત સ્થિર હોવાનું જણાવાયું હતું. કાશ્મીર પોલીસ કંટ્રોલ રૂમ પર ફેંકવામાં આવેલા ગ્રેનેડમાં એક પોલીસકર્મી સહેજ ઘાયલ થયો હતો.

પોલીસકર્મી શહીદ

આ ઉપરાંત સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ શ્રીનગરના નૌહટ્ટા વિસ્તારમાં એન્કાઉન્ટરમાં ઘાયલ થયેલા એક પોલીસકર્મીનું સોમવારે મૃત્યુ થયું હતું. રામબન જિલ્લાના રહેવાસી કોન્સ્ટેબલ સરફરાઝ અહેમદનું હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું. રવિવારે નૌહટ્ટાના સજગરી પોરામાં રેડપોરા પાર્ક પાસે ટુ-વ્હીલર પર સવાર આતંકવાદીઓએ પોલીસ પાર્ટી પર ગોળીબાર કર્યો હતો. નાટીપોરા વિસ્તારના રહેવાસી ઉમર મુખ્તાર નકીબની 27 જુલાઈએ મોમીન ગુલઝાર નામના સક્રિય આતંકવાદીને જૂની સ્કૂટી આપવા બદલ ધરપકડ કરવામાં આવી છે.

કાર્યસ્થળ પર તમારી મહેનત રંગ લાવશે, નવી ભાગીદારી ફળદાયી સાબિત થશે
કાર્યસ્થળ પર તમારી મહેનત રંગ લાવશે, નવી ભાગીદારી ફળદાયી સાબિત થશે
શિક્ષણના ધામમાં વિદ્યાર્થીઓના હાથમાં પેન છે કે ચપ્પુ?
શિક્ષણના ધામમાં વિદ્યાર્થીઓના હાથમાં પેન છે કે ચપ્પુ?
ભાજપ MLA ફતેહસિંહ ચૌહાણે DJ મામલે વ્યક્ત કર્યો રોષ
ભાજપ MLA ફતેહસિંહ ચૌહાણે DJ મામલે વ્યક્ત કર્યો રોષ
હોર્મુઝ સ્ટ્રેટથી મુન્દ્રા પોર્ટ પર LPG ભરેલું ‘શિવાલિક’ જહાજ પહોંચ્યુ
હોર્મુઝ સ્ટ્રેટથી મુન્દ્રા પોર્ટ પર LPG ભરેલું ‘શિવાલિક’ જહાજ પહોંચ્યુ
નાના વેપારીઓ મુશ્કેલીમાં, મજબૂરીમાં અપનાવ્યો 'દેશી જુગાડ' - જુઓ Video
નાના વેપારીઓ મુશ્કેલીમાં, મજબૂરીમાં અપનાવ્યો 'દેશી જુગાડ' - જુઓ Video
રાજ્યના વાતાવરણમાં આવશે પલટો, બે દિવસ જામશે વરસાદી માહોલ
રાજ્યના વાતાવરણમાં આવશે પલટો, બે દિવસ જામશે વરસાદી માહોલ
નર્મદા પરિક્રમામાં પરિક્રમાવાસીઓની સલામતીને લઈને તંત્ર સામે ઉઠ્યા સવાલ
નર્મદા પરિક્રમામાં પરિક્રમાવાસીઓની સલામતીને લઈને તંત્ર સામે ઉઠ્યા સવાલ
બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી સંદર્ભે હાઇકોર્ટનો ચુકાદો
બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી સંદર્ભે હાઇકોર્ટનો ચુકાદો
કિંજલ રબારી પ્રેમ લગ્નને ભૂલી ઘરે પરત ફર્યાનો દાવો કર્યો
કિંજલ રબારી પ્રેમ લગ્નને ભૂલી ઘરે પરત ફર્યાનો દાવો કર્યો
રાજ્ય સરકારનો મોટો નિર્ણય,હોટલ-રેસ્ટોરન્ટને તાત્કાલિક મળશે PNG કનેક્શન
રાજ્ય સરકારનો મોટો નિર્ણય,હોટલ-રેસ્ટોરન્ટને તાત્કાલિક મળશે PNG કનેક્શન
g clip-path="url(#clip0_868_265)">