જમ્મુ કાશ્મીરના કુલગામમાં સુરક્ષાદળ અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર, હજુ પણ બેથી ત્રણ આતંકીઓ છુપાયાની આશંકા

દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લામાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર થયું છે. ગુરુવારે બપોરે કુલગામ જિલ્લાના સમનુ ગામમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ થઈ હતી. બંને તરફથી ગોળીબાર થયો હતો. કેટલાક આતંકીઓ હજુ પણ છુપાયા હોવાની આશંકા છે. મહત્વનુ છે કે ઓપરેશન ગોળીબારમાં ફેરવાઈ ગયું કારણ કે આતંકવાદીઓએ સુરક્ષાકર્મીઓ પર ગોળીબાર શરૂ કર્યો.

| Updated on: Nov 16, 2023 | 7:26 PM

દક્ષિણ કાશ્મીરના કુલગામના સામનુ ગામમાં સુરક્ષાદળોના ચેકિંગ ઓપરેશન દરમિયાન આતંકવાદીઓએ ગોળીબાર શરૂ કર્યો હતો. સુરક્ષાદળોની ઘેરાબંધી જોઈને આતંકવાદીઓએ ગોળીબાર કર્યો. આ પછી સુરક્ષાદળોએ આતંકીઓને ચારે બાજુથી ઘેરી લીધા અને એન્કાઉન્ટર શરૂ થયું. આ દરમિયાન બારામુલ્લાના ઉરી સેક્ટરમાં સુરક્ષા દળોએ એન્કાઉન્ટરમાં બે આતંકીઓને ઠાર કર્યા છે.

દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લાના સામનુ ગામમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર શરૂ થયું છે. મળતી માહિતી મુજબ, આ એન્કાઉન્ટર બપોરે શરૂ થયું હતું. આ એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોએ આતંકીઓને ચારે બાજુથી ઘેરી લીધા છે અને બંને તરફથી સતત ભીષણ ગોળીબાર થયો હતો. આ સાથે જ LOC પાસે બારામુલ્લાના ઉરી સેક્ટરમાં એન્કાઉન્ટર થયું હતું, જેમાં સેનાએ બે આતંકીઓને ઠાર કર્યા છે.

અધિકારીઓએ જણાવ્યું કે ગુરુવારે જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લામાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ થઈ હતી. આ વિસ્તારમાં આતંકવાદીઓની હાજરીની બાતમી મળ્યા બાદ સુરક્ષા દળોએ કુલગામના નેહામા ગામમાં ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.

Jammu Kashmir Encounter between security forces and terrorists in Kulgam

આ પણ વાંચો : શ્રીનગરના લાલ ચોકમાં સ્થાપિત કરાયું PM મોદીનું કટઆઉટ, પ્રવાસીઓ માટે બન્યું આકર્ષણનું કેન્દ્ર 

તેમણે કહ્યું કે સર્ચ ઓપરેશન ગોળીબારમાં ફેરવાઈ ગયું કારણ કે આતંકવાદીઓએ સુરક્ષાકર્મીઓ પર ગોળીબાર શરૂ કર્યો. અધિકારીઓએ જણાવ્યું કે હજુ સુધી કોઈ જાનહાનિના અહેવાલ પ્રાપ્ત થયા નથી અને વધુ માહિતીની રાહ જોવાઈ રહી છે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
ગુજરાતમાં નક્લીની એક બાદ એક નક્લીની ભરમાર, હવે નક્લી જજનો થયો પર્દાફાશ
ગુજરાતમાં નક્લીની એક બાદ એક નક્લીની ભરમાર, હવે નક્લી જજનો થયો પર્દાફાશ
મેઘરાજાએ વેર્યો વિનાશ, ધોવાયો તૈયાર પાક, ખેડૂતો થયા બરબાદ- Vidoe
મેઘરાજાએ વેર્યો વિનાશ, ધોવાયો તૈયાર પાક, ખેડૂતો થયા બરબાદ- Vidoe
g clip-path="url(#clip0_868_265)">