AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

jammu Kashmir Breaking News: કુપવાડામાં ઘૂસણખોરી કરવા જઈ રહેલા 4 આતંકવાદીઓને સેનાના જવાનોએ ઠાર માર્યા

આતંકવાદીઓની ઘૂસણખોરીની માહિતી મળ્યા બાદ જમ્મુ-કાશ્મીર પોલીસ અને સેનાએ સંયુક્ત ઓપરેશન શરૂ કર્યું હતું. આ દરમિયાન પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાંથી ભારતીય સરહદમાં ઘૂસવાનો પ્રયાસ કરી રહેલા આતંકવાદીઓને સુરક્ષા દળોએ ઠાર માર્યા હતા

jammu Kashmir Breaking News: કુપવાડામાં ઘૂસણખોરી કરવા જઈ રહેલા 4 આતંકવાદીઓને સેનાના જવાનોએ ઠાર માર્યા
4 terrorists who were going to infiltrate Kupwara were shot dead by army personnel (File)
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 23, 2023 | 1:02 PM
Share

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ તેમની હરકતો છોડી રહ્યા નથી. ભારતને નુકસાન પહોંચાડવાના ઈરાદા સાથે સરહદે ઘૂસણખોરીના સતત પ્રયાસો થઈ રહ્યા છે, પરંતુ સુરક્ષા દળો દરેક પ્રયાસને નિષ્ફળ બનાવી રહ્યા છે.

આ નવા અધ્યાયમાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. કુપવાડાના મચ્છલ સેક્ટરના જંગલમાં 5 આતંકવાદી ઠાર મારવામાં આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે આ તમામ આતંકીઓ પાકિસ્તાન અધિકૃત જમ્મુ-કાશ્મીરથી ભારતીય સરહદમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. એટલા માટે સુરક્ષા દળોએ તેનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો અને તેને મારી નાખ્યો.

મળતી માહિતી મુજબ, આતંકવાદીઓની ઘૂસણખોરીની માહિતી મળ્યા બાદ જમ્મુ-કાશ્મીર પોલીસ અને સેનાએ સંયુક્ત ઓપરેશન શરૂ કર્યું હતું. આ દરમિયાન પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાંથી ભારતીય સરહદમાં ઘૂસવાનો પ્રયાસ કરી રહેલા આતંકવાદીઓને સુરક્ષા દળોએ ઠાર માર્યા હતા. આ પહેલા પણ એક ઓપરેશન દરમિયાન કુપવાડામાં 5 આતંકીઓ માર્યા ગયા હતા. આ સ્પષ્ટપણે દર્શાવે છે કે સુરક્ષા દળો સતત આતંકવાદીઓને ખતમ કરવામાં લાગેલા છે.

આતંકીઓ છુપાયા હોવાની માહિતી મળી હતી

ગત શુક્રવારે પણ સુરક્ષા દળોને કુપવાડાના જુમાગુંડા વિસ્તારમાં આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી મળી હતી. આ પછી સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. સુરક્ષા દળોને નજીક આવતા જોઈને આતંકીઓએ ગોળીબાર કર્યો. સુરક્ષા દળોએ જવાબી કાર્યવાહી કરી અને એન્કાઉન્ટર શરૂ થયું. આ દરમિયાન સુરક્ષા દળોએ 5 આતંકીઓને ઠાર કર્યા હતા.

આ અગાઉ પણ સુરક્ષા દળો દ્વારા આતંકવાદીઓની ઘેરાબંધી કરીને તેમને પડકારવામાં આવ્યા હતા જે બાદ આમને સામને ફાયરિંગની ઘટના ઘટી હતી જેમાં પણ આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા હતા અને હવે જમ્મુ કાશ્મીર પોલીસના ઓપરેશનમાં આતંકવાદીઓનો સપાયો બોલાવી દેવામાં આવતા ઘાટીમાં સોપો પડી ગયો છે.

કાશ્મીરમાં પથ્થરબાજીની ઘટનામાં કઈ રીતે ઘટાડો થયો

કાશ્મીરમાં વર્ષ 2008ના સમયગાળાથી પાકિસ્તાનના ઈશારે પથ્થરમારાની ઘટના ચાલી રહી હતી જો કે 2020 આવતા સુધીમા તેમા સતત ઘટાડો થવા લાગ્યો કેમકે ભારતીય કરન્સી ડિમોનીટાઈઝેશનને લઈ આતંકવાદીઓના હાથમાં કેશ ફ્લો માં ઘટાડો તેમજ એક સૂત્ર પ્રમાણેની માહિતિ મુજબ પાકિસ્તાનની ISI દ્વારા 800 કરોડ જેટલી રકમ પથ્થરબાજો અને આતંકવાદને પ્રોત્સાહન પુરૂ પાડવા માટે જ આપવામાં આવી હતી જો કે કેન્દ્ર સરકારની ઝીરો ટોલરન્સ નીતિને લઈ 2020થી લઈ 2023 આવતા સુધીમાં આવી ઘટના શુન્ય પર પોહચી ગઈ છે.

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">