AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જમ્મુ કાશ્મીરમાં કોરોના રસીકરણમાં જમ્મુ જિલ્લો અવ્વલ, 100 ટકા રસીકરણનો લક્ષ્યાંક હાંસલ કર્યો

કોરોના વિરુદ્ધ ચાલી રહેલી જંગમાં જમ્મુ જિલ્લો જમ્મુ-કાશ્મીરમાં 45 વર્ષથી વધુ વયના લોકોના રસીકરણના સો ટકા લક્ષ્યાંકને પહોંચી વળતાં 100 ટકા રસીકરણ કરનારો પ્રથમ જીલ્લો બની ગયો છે. જયારે જમ્મુ કાશ્મીરમાં સૌથી ઓછું રસીકરણ કુપવાડા જિલ્લામાં 27.70 ટકા થયું છે. સમગ્ર રાજ્યમાં અત્યાર સુધીમાં 62.66 ટકા લોકોને રસી આપવામાં આવી છે.

જમ્મુ કાશ્મીરમાં કોરોના રસીકરણમાં જમ્મુ જિલ્લો અવ્વલ, 100 ટકા રસીકરણનો લક્ષ્યાંક હાંસલ કર્યો
જમ્મુ કાશ્મીરમાં રસીકરણમાં જમ્મુ જિલ્લો અવ્વલ
| Updated on: May 21, 2021 | 5:57 PM
Share

કોરોના વિરુદ્ધ ચાલી રહેલી જંગમાં Jammu  જિલ્લો જમ્મુ-કાશ્મીરમાં 45 વર્ષથી વધુ વયના લોકોના રસીકરણના સો ટકા લક્ષ્યાંકને પહોંચી વળતાં 100 ટકા રસીકરણ કરનારો પ્રથમ જીલ્લો બની ગયો છે. જયારે જમ્મુ કાશ્મીરમાં સૌથી ઓછું રસીકરણ કુપવાડા જિલ્લામાં 27.70 ટકા થયું છે. સમગ્ર રાજ્યમાં અત્યાર સુધીમાં 62.66 ટકા લોકોને રસી આપવામાં આવી છે.

Jammu માં ગુરુવારે 2167 લોકોના રસીકરણ સાથે સરકાર દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ 572994 લોકોને રસી આપવાનું લક્ષ્યાંક પૂર્ણ કરવામાં આવ્યો છે. જેમા જમ્મુ ડિવિઝનમાં, ઉધમપુરમાં 64.35 ટકા, રાજોરીમાં 55. 69 ટકા, કઠુઆમાં 67.98 ટકા. પૂંચમા 58.28 ટકા, રામબનમાં 68.19 ટકા. ડોડામાં 49.21 ટકા, કિશ્તવાડમાં. 66.76 ટકા. રિયાસીમાં 55.63 ટકા અને સાંબામાં. 94.90 ટકા રસીકરણ પૂર્ણ થયું છે. જમ્મુ વિભાગમાં 88.64 ટકા રસીકરણ કરવામાં આવ્યું છે.

કાશ્મીર વિભાગમાં શોપિયામા પણ મહત્તમ 97.72 ટકા લોકોને રસી આપવામાં આવી

તેવી જ રીતે કાશ્મીર વિભાગમાં શોપિયામા પણ મહત્તમ 97.72 ટકા લોકોને રસી આપવામાં આવી છે. અનંતનાગમાં 51.13 ટકા કુલગામ-58.94 ટકા, પુલવામામાં 49.87 ટકા, શ્રીનગરમાં 35.72 ટકા, બડગામમાં 65.48 ટકા , બારામુલ્લામાં -62.96 ટકા, બંદીપોરામાં 67.60 ટકા, અને ગાંદરબલમાં 96.47 ટકા લોકોને રસી આપવામાં આવી છે. કાશ્મીર વિભાગમાં 45 વર્ષથી ઉપરના લોકો માટે રસીકરણની ટકાવારી 61.35 ટકા છે.

રાજ્યમાં રસીકરણ રાષ્ટ્રીય સરેરાશ કરતા વધુ

જમ્મુ-કાશ્મીરમાં રસીકરણની  ટકાવારી રાષ્ટ્રીય સરેરાશ કરતા વધારે છે. રાષ્ટ્રીય સરેરાશ 32.17 ટકા છે જ્યારે જમ્મુ-કાશ્મીરમાં 62.66 ટકા છે. જમ્મુ વિભાગમાં 2862436 અને કાશ્મીરમાં 1339720 લોકોને રસી આપવામાં આવી છે. સરકારનું કહેવું છે કે આ સમયે રસીકરણ તેમજ કોરોનાના સંદર્ભમાં આરોગ્ય સુવિધાઓ વધારવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. ઓક્સિજન જનરેશન પ્લાન્ટની સંખ્યા બેડની સંખ્યામાં વધારો કરવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે.

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">