AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jahangirpuri Violence: હનુમાન જયંતિ હિંસા કેસમાં રોહિણી કોર્ટે 9 આરોપીને પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યા

16 એપ્રિલે જહાંગીરપુરીમાં (Jahangirpuri Violence) હનુમાન જયંતિ શોભા યાત્રામાં પથ્થરમારો કરવામાં આવ્યો હતો. બદમાશોએ આગ લગાવી હતી અને ગોળીબાર પણ કર્યો હતો. આ ઘટનામાં અનેક પોલીસકર્મીઓ ઘાયલ થયા છે.

Jahangirpuri Violence: હનુમાન જયંતિ હિંસા કેસમાં રોહિણી કોર્ટે 9 આરોપીને પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યા
jahangirpuri-violence-hanuman-jayantiImage Credit source: PTI
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 23, 2022 | 6:50 PM
Share

જહાંગીરપુરી હિંસા (Jahangirpuri Violence) કેસમાં રોહિણી કોર્ટે (Rohini Court) NSA આરોપી અંસાર, સોનુ, સલીમ, દિલશાદ અને આહિરને 8 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી દીધા છે. અન્ય ચાર આરોપીઓને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે આજે કુલ 9 આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. રોહિણી કોર્ટે પાંચ NSA આરોપીઓને 8 દિવસની પોલીસ કસ્ટડીમાં (Police Custody) મોકલી દીધા છે. હનુમાન જયંતિ હિંસા કેસમાં અત્યાર સુધીમાં 25 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

ગૃહ મંત્રાલયે પાંચ આરોપીઓ પર રાસુકા લગાવી છે. આ મુજબ અટકાયત કરાયેલ વ્યક્તિને વધુમાં વધુ 1 વર્ષ સુધી જેલમાં રાખી શકાય છે. જો પોલીસને લાગે છે કે આરોપી રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો છે, તો તેને આરોપ વિના એક વર્ષની જેલ થઈ શકે છે. જો આ કેસમાં સરકારને કોઈ નવા પુરાવા મળે તો જેલની સમય મર્યાદા વધારી શકાય છે.

NSA આરોપીઓને પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે

9 આરોપીઓને રોહિણી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા

16 એપ્રિલે જહાંગીરપુરીમાં હનુમાન જયંતિ શોભા યાત્રામાં પથ્થરમારો કરવામાં આવ્યો હતો. બદમાશોએ આગ લગાવી અને ગોળીબાર પણ કર્યો હતો. આ ઘટનામાં અનેક પોલીસકર્મીઓ ઘાયલ થયા છે. આ કેસમાં પોલીસે ફાયરિંગ કરનાર સોનુ સહિત 24થી વધુ આરોપીઓની ધરપકડ કરી છે. તેમાંથી 9 આરોપીઓને આજે રોહિણી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જેમાં એનએસએ લગાવવાના આરોપીઓનો પણ સમાવેશ થાય છે. કોર્ટે કેટલાકને પોલીસ અને કેટલાકને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધા છે.

હિંસાના આરોપીનું બંગાળ કનેક્શન

જહાંગીરપુરી હિંસાના કેટલાક આરોપીઓનું બંગાળ કનેક્શન પણ સામે આવ્યું છે. શુક્રવારે પોલીસે પૂર્વ મેદિનીપુરમાં રહેતા મુખ્ય આરોપી અંસારના મામા અને અન્ય સંબંધીઓની પૂછપરછ કરી હતી. મુખ્ય આરોપીના મામા અનવર અલીએ આ દરમિયાન અંસારને સારો વ્યક્તિ ગણાવ્યો હતો. તેણે કહ્યું કે તેણે ટીવી પર દિલ્હીમાં જે બન્યું તે જોયું અને સાંભળ્યું, તે સારું થયું નહીં. તેણે કહ્યું કે અંસાર એક સારો વ્યક્તિ છે. તમને જણાવી દઈએ કે પોલીસે હાલમાં જ ગુલામ રસૂલની પણ ધરપકડ કરી હતી, જેણે ફાયરિંગ કરનાર વ્યક્તિને હથિયારો આપ્યા હતા. અત્યાર સુધીમાં લગભગ 25 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ બાબતે રાજનીતિ પણ ચાલી રહી છે. રાજકીય પક્ષોના નેતાઓ સતત જહાંગીરપુરી પહોંચી રહ્યા છે.

આ પણ વાંચો:બિહાર પ્રવાસે જગદીશપુર પહોંચ્યા અમિત શાહ, અમૃત મહોત્સવમાં વીર કુંવર સિંહને આપી શ્રદ્ધાંજલિ, કહ્યું ઈતિહાસે તેમની સાથે અન્યાય કર્યો

આ પણ વાંચો: આસામ પોલીસનો દાવો, ધાર્મિક લાગણીઓનું અપમાન કરવા બદલ કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની ધરપકડ કરાઈ

ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ
ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ
અમેરિકામાં 75 દેશોના નાગરિકોની‘No Entry’
અમેરિકામાં 75 દેશોના નાગરિકોની‘No Entry’
તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે, વ્યવસાયિક સંપર્કોમાં સુધારો થશે
તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે, વ્યવસાયિક સંપર્કોમાં સુધારો થશે
ભાવનગરથી માત્ર 20 કિલોમીટર દૂર સિંહોના આંટાફેરા
ભાવનગરથી માત્ર 20 કિલોમીટર દૂર સિંહોના આંટાફેરા
ઉત્તરાયણના પર્વે દારૂના વેપલાનો પર્દાફાશ - જુઓ Video
ઉત્તરાયણના પર્વે દારૂના વેપલાનો પર્દાફાશ - જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">