AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jahangirpuri Violence: જહાંગીરપુરી હિંસા કેસમાં EDની કાર્યવાહી, આરોપીઓ સામે નોંધાયો મની લોન્ડરિંગનો કેસ

દિલ્હી પોલીસ કમિશનર રાકેશ આસ્થાનાએ (Rakesh Asthana) તાજેતરમાં EDને પત્ર લખીને એજન્સીને તપાસ કરવાની ભલામણ કરી હતી. કમિશનરે આ બાબતે તેમના અધિકારીઓ દ્વારા કરવામાં આવેલા પ્રાથમિક તારણ અને તેમના દ્વારા નોંધાયેલ FIE નો ઉલ્લેખ કર્યો હતો.

Jahangirpuri Violence: જહાંગીરપુરી હિંસા કેસમાં EDની કાર્યવાહી, આરોપીઓ સામે નોંધાયો મની લોન્ડરિંગનો કેસ
Enforcement-directorate (Symbolic photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 23, 2022 | 3:32 PM
Share

દેશની રાજધાની દિલ્હીમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ જહાંગીરપુરી હિંસા (Jahangirpuri Violence) કેસમાં મુખ્ય આરોપી મોહમ્મદ અંસાર સહિત વિવિધ શંકાસ્પદો સામે મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના અધિકારીઓએ શનિવારે આ માહિતી આપી હતી. EDની પોલીસ FIRની સમકક્ષ એન્ફોર્સમેન્ટ કેસ ઇન્ફોર્મેશન રિપોર્ટ (ECIR), ફેડરલ એજન્સી દ્વારા પ્રિવેન્શન ઑફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) ની ફોજદારી કલમો હેઠળ દાખલ કરવામાં આવ્યો છે.

દિલ્હી પોલીસ કમિશનર રાકેશ આસ્થાનાએ તાજેતરમાં EDને પત્ર લખીને એજન્સીને તપાસ કરવાની ભલામણ કરી હતી. કમિશનરે આ બાબતે તેમના અધિકારીઓ દ્વારા કરાયેલા પ્રાથમિક તારણો અને તેમના દ્વારા દાખલ કરવામાં આવેલી એફઆઈઆરનો ઉલ્લેખ કર્યો હતો. અધિકારીઓએ જણાવ્યું કે ED કેસ પોલીસ ફરિયાદો પર આધારિત છે. 16 એપ્રિલના રોજ, ઉત્તર પશ્ચિમ દિલ્હીના જહાંગીરપુરીમાં હનુમાન જયંતી શોભાયાત્રા દરમિયાન, પથ્થરમારો સહિત બે સમુદાયો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી, જેમાં 8 પોલીસ કર્મચારીઓ સહિત 9 લોકો ઘાયલ થયા હતા.

ED તમામ આરોપીઓની પૂછપરછ કરી શકે છે

દિલ્હી પોલીસના જણાવ્યા મુજબ, અથડામણ દરમિયાન પથ્થરમારો અને આગ લગાડવા જેવી ઘટનાઓમાં કેટલાક વાહનોને પણ સળગાવી દેવામાં આવ્યા હતા. પોલીસના જણાવ્યા મુજબ, જહાંગીરપુરીના બી-બ્લોકનો રહેવાસી અંસાર (35 વર્ષ) હિંસાની ઘટનાનો કથિત મુખ્ય ગુનેગાર છે. આ કેસમાં પોલીસે જણાવ્યું હતું કે પ્રાથમિક તપાસ દરમિયાન એવું સામે આવ્યું છે કે અંસાર પાસે અનેક બેંક ખાતાઓમાં નાણાં છે અને તેની પાસે ઘણી મિલકતો પણ છે, જે કથિત રીતે જુગારના પૈસાથી ખરીદવામાં આવી હતી. હાલમાં, ED આ કેસમાં તમામ આરોપીઓની પૂછપરછ કરી શકે છે અને તેમના નાણાકીય વ્યવહારોની તપાસ કરી શકે છે. તેની પાસે મની લોન્ડરિંગ તપાસ દરમિયાન આરોપીઓની ધરપકડ કરવાની અને તેમની મિલકતો જપ્ત કરવાની સત્તા પણ છે.

જહાંગીરપુરી હિંસા કેસમાં અત્યાર સુધીમાં 25 લોકોની ધરપકડ કરવામાં આવી છે

તમને જણાવી દઈએ કે જહાંગીરપુરી હિંસા કેસમાં પોલીસે અત્યાર સુધીમાં 25 લોકોની ધરપકડ કરી છે, જ્યારે બે સગીર પણ પકડાયા છે. દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચ આ બાબતની તપાસ કરી રહી છે. રાષ્ટ્રીય સુરક્ષા અધિનિયમ (રાસુકા) ની કડક કલમો હેઠળ અંસાર સહિત પાંચ આરોપીઓ સામે કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસના જણાવ્યા મુજબ, અંસારનો કથિત રીતે સરઘસમાં ભાગ લેનારા લોકો સાથે દલીલ થઈ હતી, જેના કારણે વિવાદ થયો હતો અને ત્યારપછીના પથ્થરમારાની ઘટનાએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું.

આ પણ વાંચો: હાર્દિક અને ભાજપ વચ્ચેનું અંતર ઘટી રહ્યું છે. ભાજપના વખાણ કર્યા બાદ હવે હાર્દિકે પિતાની પુણ્યતિથીના કાર્યક્રમમાં ભાજપના ટોચના નેતાઓને આમંત્રણ આપ્યું

આ પણ વાંચો: Gujarat Election 2022: 600 પેજની સ્લાઈડમાં મળેલા મુદ્દાઓથી કોંગ્રેસ ગુજરાતનો ગઢ જીતી શકશે? કોંગ્રેસનાં ત્રણ દાયકાના વનવાસને કઈ રીતે પુરો કરાવી શકશે પ્રશાંત કિશોર?

Breaking News :સુરતના હીરા દલાલે પૂરુ પાડ્યુ ઈમાનદારીનું ઉદાહરણ
Breaking News :સુરતના હીરા દલાલે પૂરુ પાડ્યુ ઈમાનદારીનું ઉદાહરણ
ખાદ્યતેલ ફરી બન્યું મોંઘું, સિંગતેલના ભાવમાં ભડકો, જુઓ Video
ખાદ્યતેલ ફરી બન્યું મોંઘું, સિંગતેલના ભાવમાં ભડકો, જુઓ Video
Breaking News : આકાશમાંથી પેરાશુટ લઇને યુવક વીજ વાયર પર પડ્યો
Breaking News : આકાશમાંથી પેરાશુટ લઇને યુવક વીજ વાયર પર પડ્યો
જીવનસાથી સાથે શોપિંગ કરવાની મજા આવશે, કિંમતી વસ્તુઓનું ધ્યાન રાખો
જીવનસાથી સાથે શોપિંગ કરવાની મજા આવશે, કિંમતી વસ્તુઓનું ધ્યાન રાખો
BMC અને વસઈ-વિરાર કોર્પોરેશનમા રાજકીય પક્ષોને યુવા ઉમેદવારો પર વિશ્વાસ
BMC અને વસઈ-વિરાર કોર્પોરેશનમા રાજકીય પક્ષોને યુવા ઉમેદવારો પર વિશ્વાસ
ગુજરાતમાં ફરીથી પાટીદાર કાર્ડ રમવાની હાર્દિક પટેલની મંછા ! જુઓ વીડિયો
ગુજરાતમાં ફરીથી પાટીદાર કાર્ડ રમવાની હાર્દિક પટેલની મંછા ! જુઓ વીડિયો
દૂષિત પાણીનો કહેર, ઉધનાના અમૃતનગરમાં રોગચાળાના ભયથી સ્થાનિકોમાં ફફડાટ
દૂષિત પાણીનો કહેર, ઉધનાના અમૃતનગરમાં રોગચાળાના ભયથી સ્થાનિકોમાં ફફડાટ
AAP ધારાસભ્ય ચૈતર વસાવાનો આકરો અંદાજ, અમારી સરકાર બનશે એવો દાવો કર્યો
AAP ધારાસભ્ય ચૈતર વસાવાનો આકરો અંદાજ, અમારી સરકાર બનશે એવો દાવો કર્યો
ત્યજી દેવાયેલી દીકરીને સુરત પોલીસે અપનાવી, કર્યું નામકરણ
ત્યજી દેવાયેલી દીકરીને સુરત પોલીસે અપનાવી, કર્યું નામકરણ
ઉત્તરાયણમાં પતંગ રસિયાઓ માટે સારા સમાચાર - જુઓ Video
ઉત્તરાયણમાં પતંગ રસિયાઓ માટે સારા સમાચાર - જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">