AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jahangirpuri Violence: જહાંગીરપુરી હિંસા કેસમાં EDની કાર્યવાહી, આરોપીઓ સામે નોંધાયો મની લોન્ડરિંગનો કેસ

દિલ્હી પોલીસ કમિશનર રાકેશ આસ્થાનાએ (Rakesh Asthana) તાજેતરમાં EDને પત્ર લખીને એજન્સીને તપાસ કરવાની ભલામણ કરી હતી. કમિશનરે આ બાબતે તેમના અધિકારીઓ દ્વારા કરવામાં આવેલા પ્રાથમિક તારણ અને તેમના દ્વારા નોંધાયેલ FIE નો ઉલ્લેખ કર્યો હતો.

Jahangirpuri Violence: જહાંગીરપુરી હિંસા કેસમાં EDની કાર્યવાહી, આરોપીઓ સામે નોંધાયો મની લોન્ડરિંગનો કેસ
Enforcement-directorate (Symbolic photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 23, 2022 | 3:32 PM
Share

દેશની રાજધાની દિલ્હીમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ જહાંગીરપુરી હિંસા (Jahangirpuri Violence) કેસમાં મુખ્ય આરોપી મોહમ્મદ અંસાર સહિત વિવિધ શંકાસ્પદો સામે મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના અધિકારીઓએ શનિવારે આ માહિતી આપી હતી. EDની પોલીસ FIRની સમકક્ષ એન્ફોર્સમેન્ટ કેસ ઇન્ફોર્મેશન રિપોર્ટ (ECIR), ફેડરલ એજન્સી દ્વારા પ્રિવેન્શન ઑફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) ની ફોજદારી કલમો હેઠળ દાખલ કરવામાં આવ્યો છે.

દિલ્હી પોલીસ કમિશનર રાકેશ આસ્થાનાએ તાજેતરમાં EDને પત્ર લખીને એજન્સીને તપાસ કરવાની ભલામણ કરી હતી. કમિશનરે આ બાબતે તેમના અધિકારીઓ દ્વારા કરાયેલા પ્રાથમિક તારણો અને તેમના દ્વારા દાખલ કરવામાં આવેલી એફઆઈઆરનો ઉલ્લેખ કર્યો હતો. અધિકારીઓએ જણાવ્યું કે ED કેસ પોલીસ ફરિયાદો પર આધારિત છે. 16 એપ્રિલના રોજ, ઉત્તર પશ્ચિમ દિલ્હીના જહાંગીરપુરીમાં હનુમાન જયંતી શોભાયાત્રા દરમિયાન, પથ્થરમારો સહિત બે સમુદાયો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી, જેમાં 8 પોલીસ કર્મચારીઓ સહિત 9 લોકો ઘાયલ થયા હતા.

ED તમામ આરોપીઓની પૂછપરછ કરી શકે છે

દિલ્હી પોલીસના જણાવ્યા મુજબ, અથડામણ દરમિયાન પથ્થરમારો અને આગ લગાડવા જેવી ઘટનાઓમાં કેટલાક વાહનોને પણ સળગાવી દેવામાં આવ્યા હતા. પોલીસના જણાવ્યા મુજબ, જહાંગીરપુરીના બી-બ્લોકનો રહેવાસી અંસાર (35 વર્ષ) હિંસાની ઘટનાનો કથિત મુખ્ય ગુનેગાર છે. આ કેસમાં પોલીસે જણાવ્યું હતું કે પ્રાથમિક તપાસ દરમિયાન એવું સામે આવ્યું છે કે અંસાર પાસે અનેક બેંક ખાતાઓમાં નાણાં છે અને તેની પાસે ઘણી મિલકતો પણ છે, જે કથિત રીતે જુગારના પૈસાથી ખરીદવામાં આવી હતી. હાલમાં, ED આ કેસમાં તમામ આરોપીઓની પૂછપરછ કરી શકે છે અને તેમના નાણાકીય વ્યવહારોની તપાસ કરી શકે છે. તેની પાસે મની લોન્ડરિંગ તપાસ દરમિયાન આરોપીઓની ધરપકડ કરવાની અને તેમની મિલકતો જપ્ત કરવાની સત્તા પણ છે.

જહાંગીરપુરી હિંસા કેસમાં અત્યાર સુધીમાં 25 લોકોની ધરપકડ કરવામાં આવી છે

તમને જણાવી દઈએ કે જહાંગીરપુરી હિંસા કેસમાં પોલીસે અત્યાર સુધીમાં 25 લોકોની ધરપકડ કરી છે, જ્યારે બે સગીર પણ પકડાયા છે. દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચ આ બાબતની તપાસ કરી રહી છે. રાષ્ટ્રીય સુરક્ષા અધિનિયમ (રાસુકા) ની કડક કલમો હેઠળ અંસાર સહિત પાંચ આરોપીઓ સામે કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસના જણાવ્યા મુજબ, અંસારનો કથિત રીતે સરઘસમાં ભાગ લેનારા લોકો સાથે દલીલ થઈ હતી, જેના કારણે વિવાદ થયો હતો અને ત્યારપછીના પથ્થરમારાની ઘટનાએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું.

આ પણ વાંચો: હાર્દિક અને ભાજપ વચ્ચેનું અંતર ઘટી રહ્યું છે. ભાજપના વખાણ કર્યા બાદ હવે હાર્દિકે પિતાની પુણ્યતિથીના કાર્યક્રમમાં ભાજપના ટોચના નેતાઓને આમંત્રણ આપ્યું

આ પણ વાંચો: Gujarat Election 2022: 600 પેજની સ્લાઈડમાં મળેલા મુદ્દાઓથી કોંગ્રેસ ગુજરાતનો ગઢ જીતી શકશે? કોંગ્રેસનાં ત્રણ દાયકાના વનવાસને કઈ રીતે પુરો કરાવી શકશે પ્રશાંત કિશોર?

Follow Us
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">