IRCTC આજથી શરૂ કરશે ‘શ્રી રામાયણ યાત્રા’ ટૂર, જાણો ભાડું અને ટાઈમટેબલ

IRCTCએ કહ્યું કે, આજથી આવો એક પ્રવાસ શરૂ થશે. 7મી નવેમ્બરે દિલ્હી સફદરજંગ રેલવે સ્ટેશનથી શરૂ થનારી પ્રથમ પ્રવાસ ભગવાન રામના જીવન સાથે સંકળાયેલા તમામ મુખ્ય સ્થળોની યાત્રાને આવરી લેવાશે.

IRCTC આજથી શરૂ કરશે 'શ્રી રામાયણ યાત્રા' ટૂર, જાણો ભાડું અને ટાઈમટેબલ
Shri Ramayana Yatra Tours By IRCTC
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 08, 2021 | 11:50 AM

ઇન્ડિયન રેલ્વે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC) એ ધાર્મિક પ્રવાસનને પ્રોત્સાહન આપવા શ્રી રામાયણ યાત્રાની પ્રવાસ (Shri Ramayana Yatra Tours)શ્રેણીનું આયોજન કર્યું છે, જેમાં COVID-19 પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ટ્રેનો દ્વારા ઘરેલુ પર્યટન ફરી શરૂ કરવામાં આવશે. IRCTCએ કહ્યું કે, આજથી આવો એક પ્રવાસ શરૂ થશે. 7મી નવેમ્બરે દિલ્હી સફદરજંગ રેલવે સ્ટેશનથી શરૂ થનારી પ્રથમ પ્રવાસ ભગવાન રામના જીવન સાથે સંકળાયેલા તમામ મુખ્ય સ્થળોની યાત્રાને આવરી લેવાશે.

અન્ય પેકેજોમાં 12 રાત/13 દિવસની શ્રી રામાયણ યાત્રા એક્સપ્રેસ-મદુરાઈનો સમાવેશ થાય છે, જે 16 નવેમ્બરે ચાલશે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે શ્રી રામાયણ યાત્રા એક્સપ્રેસ-શ્રીગંગાનગરનું 16 રાત્રિ/17 દિવસનું પેકેજ પણ છે અને ટ્રેન 25 નવેમ્બરે રવાના થશે.

શ્રી રામાયણ યાત્રા એક્સપ્રેસ શેડ્યૂલ અને સ્ટોપેજ

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

આ ટ્રેનનો પહેલો સ્ટોપ અયોધ્યા હશે જ્યાં પ્રવાસીઓ નંદીગ્રામમાં ભારત મંદિર ઉપરાંત શ્રી રામ જન્મભૂમિ મંદિર અને હનુમાન મંદિરની મુલાકાત લેશે. આગામી મુકામ બિહારમાં સીતામઢી હશે અને સીતાનું જન્મસ્થળ અને જનકપુરમાં રામ-જાનકી (Ram-Janki Temple) મંદિરની સડક માર્ગે મુલાકાત લેવામાં આવશે.

આ પછી ટ્રેન વારાણસી માટે રવાના થશે અને પ્રવાસીઓ રોડ માર્ગે વારાણસી, પ્રયાગ, શૃંગવરપુર અને ચિત્રકૂટના મંદિરોની મુલાકાત લેશે. વારાણસી, પ્રયાગ અને ચિત્રકૂટમાં રાત્રિ રોકાણની વ્યવસ્થા કરવામાં આવશે.

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ટ્રેનનો હોલ્ટ નાશિક હશે, જેમાં ત્ર્યંબકેશ્વર મંદિર અને પંચવટીના દર્શન થશે. નાસિક પછી, આગામી મુકામ હમ્પી હશે જે કૃષિકિંડાનું પ્રાચીન શહેર છે. રામેશ્વરમ આ ટ્રેનની મુસાફરીનું છેલ્લું સ્ટોપ હશે જે પછી ટ્રેન તેની મુસાફરીના 17માં દિવસે દિલ્હી પરત ફરશે. આ સમગ્ર પ્રવાસમાં મહેમાનો લગભગ 7500 કિમીની મુસાફરી કરશે.

શ્રી રામાયણ યાત્રા વિશેષ પ્રવાસ ટ્રેનનું ભાડું

IRCTC એ સ્થાનિક પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે ભારત સરકારની “દેખો અપના દેશ” પહેલને અનુરૂપ 2AC માટે રૂ. 82,950 પ્રતિ વ્યક્તિ અને 1AC વર્ગ માટે રૂ. 1,02,095ના ભાવે આ વિશેષ પ્રવાસી ટ્રેન શરૂ કરી છે.

પેકેજમાં શું મળશે?

પેકેજની કિંમતમાં એસી ક્લાસમાં ટ્રેનની મુસાફરી, એસી હોટલમાં રહેવાની સગવડ, તમામ ભોજન શાકાહારી હશે, એસી વાહનોમાં તમામ ટ્રાન્સફર અને ફરવાની તકો, ટ્રાવેલ ઇન્શ્યોરન્સ અને IRCTC ટૂર મેનેજરની સેવાઓ વગેરેનો સમાવેશ થાય છે. સલામત મુસાફરી પૂરી પાડીને મુસાફરી દરમિયાન આરોગ્યની તમામ જરૂરી સાવચેતીઓનું ધ્યાન રાખવામાં આવશે.

આ પણ વાંચો: ખેડૂતોની આવક બમણી કરી રહ્યું છે સંકલિત ખેતી મોડલ, ICAR એ તૈયાર કર્યા 31 પ્રોજેક્ટ

આ પણ વાંચો: Success Story: પત્રકારે 3 માળના ઘરને હાઇડ્રોપોનિક્સ ફાર્મમાં રૂપાંતરિત કર્યું, વર્ષે 70 લાખ રૂપિયાની કરે છે કમાણી

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">