AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

International Yoga Day 2025: વિશાખાપટનમમાં 3 લાખથી વધુ લોકો સાથે PM મોદીએ યોગ કર્યા, 40 દેશોના રાજનેતાઓ પણ જોડાયા

શનિવારે 11મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાયો, જ્યાં વડાપ્રધાન મોદી વિશાખાપટ્ટણમમાં 3 લાખથી વધુ લોકો સાથે યોગ કર્યા. તેમણે યોગને જોડાણનું પ્રતીક ગણાવ્યું અને વિશ્વના સમર્થનની પ્રશંસા કરી. આંધ્રપ્રદેશે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવવાનો પ્રયાસ કર્યો અને 'યોગ આંધ્ર' અભિયાન શરૂ કર્યું.

International Yoga Day 2025: વિશાખાપટનમમાં 3 લાખથી વધુ લોકો સાથે PM મોદીએ યોગ કર્યા, 40 દેશોના રાજનેતાઓ પણ જોડાયા
| Updated on: Jun 21, 2025 | 8:01 AM

શનિવારે સમગ્ર વિશ્વમાં 11મો યોગ દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. આ અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશાખાપટનમમાં 3 લાખથી વધુ લોકો અને 40 દેશોના રાજનેતાઓ સાથે યોગ કરી રહ્યા છે.

આ અવસરે પીએમ મોદીએ કહ્યું કે, “યોગનો અર્થ છે – જોડાણ. આજે સમગ્ર વિશ્વ કેવી રીતે યોગ દ્વારા જોડાઈ ગયું છે તે જોઈને આનંદ થાય છે.”

આજનું રાશિફળ તારીખ : 20-07-2025
પાણી પિતા જ પેશાબ લાગે છે ? તો આ ગંભીર બીમારી થી ચેતજો
ખાલી પેટ કેળું કેમ ન ખાવું જોઈએ?
ઘરમાં તુલસી હોય તો આ 5 વાતો આજે ગાંઠ બાંધી લેજો
LABUBU DOLL ઘરે રાખવી શુભ કે અશુભ?
Sawan 2025: શ્રાવણ મહિનામાં વાળ કાપવાથી શું થાય છે?

PMમોદીએ જણાવ્યું કે, “જ્યારે ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં 21 જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે મંજૂરી આપવાનો પ્રસ્તાવ રખ્યો હતો, ત્યારે ટૂંકા સમયમાં વિશ્વના 175 દેશોએ ભારતના પ્રસ્તાવને સમર્થન આપ્યું હતું.”

PM એ આ દરમ્યાન ઉમેર્યું કે, “આજેની દુનિયામાં એવી એકતા અને સમર્થન સામાન્ય બાબત નથી. આ માત્ર એક પ્રસ્તાવ માટેનું સમર્થન નહોતું, પણ માનવજાતના હિત માટે આખી દુનિયાનું સામૂહિક પ્રયત્ન હતું.”

તેમણે વધુમાં કહ્યું કે, “આજની અશાંત અને અસ્થિર વિશ્વમાં યોગ શાંતિ તરફનો રસ્તો બતાવે છે.”

આ પ્રસંગે પીએમ મોદીના સાથે મંચ પર આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડૂ પણ યોગ કરતાં નજરે પડશે. આ વર્ષની યોગ દિવસની થીમ છે: ‘એક પૃથ્વી, એક આરોગ્ય માટે યોગ’.

આ કાર્યક્રમ દેશભરના 1 લાખથી વધુ સ્થળોએ યોજાનારા ‘યોગ સંગમ’નો પણ ભાગ રહેશે, જેમાં 2 કરોડથી વધુ લોકોના જોડાવાની આશા છે.

આંધ્ર પ્રદેશ ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવવા તજવીજમાં

આ સાથે, આંધ્ર પ્રદેશ સરકાર ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવવા તૈયારી કરી રહી છે. કાર્યક્રમ દરમિયાન 50 લાખથી વધુ યોગ પ્રમાણપત્રો પણ વિતરણ કરવામાં આવશે.

આંધ્ર સરકાર દ્વારા ‘યોગ આંધ્ર’ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. તેનો હેતુ રાજ્યમાં દરરોજ યોગ કરવાની 10 લાખ લોકોની સમુદાય ઊભી કરવાનું છે.

ઈન્ડિયન કાઉન્સિલ ફોર કલ્ચરલ રિલેશન્સ (ICCR) મુજબ, 191 દેશોમાં 1,300થી વધુ સ્થળોએ 2,000થી વધુ યોગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.

નિયમિત રીતે યોગ કરવાથી ઘણા લાભ થાય છે. જેમ કે મનને શાંતિ મળે છે, તણાવ મુક્ત જીવન, શરીરનો થાક દૂર થાય છે, શરીર રોગ મુક્ત બને છે, વજન પર કંટ્રોલ કરી શકાય છે. યોગના વધારે ન્યૂઝ વાંચવા માટે આ પેજ સાથે જોડાયેલા રહો.

કઈ રાશિના લોકોને વ્યવસાયમાં ફાયદો થઈ શકે ! જુઓ Video
કઈ રાશિના લોકોને વ્યવસાયમાં ફાયદો થઈ શકે ! જુઓ Video
ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
ગુજરાતમાં ધોધમાર વરસાદ: 128 તાલુકાઓમાં મેઘરાજાની તોફાની બેટીંગ
ગુજરાતમાં ધોધમાર વરસાદ: 128 તાલુકાઓમાં મેઘરાજાની તોફાની બેટીંગ
ખેરાલુમાં ધોધમાર વરસાદથી રસ્તા પર ફરી વળ્યા પાણી
ખેરાલુમાં ધોધમાર વરસાદથી રસ્તા પર ફરી વળ્યા પાણી
જોડિયા પંથકમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો, ખેડૂતોમાં ખુશીનો માહોલ
જોડિયા પંથકમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો, ખેડૂતોમાં ખુશીનો માહોલ
દાંતા સરકારી હોસ્પિટલમાં પાણી ઘૂસી જતા દર્દીઓને હાલાકી
દાંતા સરકારી હોસ્પિટલમાં પાણી ઘૂસી જતા દર્દીઓને હાલાકી
ભ્રષ્ટાચારનો આક્ષેપ કરનાર ભાજપના 2 કોર્પોરેટર ભરાયા !
ભ્રષ્ટાચારનો આક્ષેપ કરનાર ભાજપના 2 કોર્પોરેટર ભરાયા !
છેલ્લા 2 કલાકમાં બનાસકાંઠામાં ધોધમાર વરસાદ, સૌથી વધુ દાંતામાં ખાબક્યો
છેલ્લા 2 કલાકમાં બનાસકાંઠામાં ધોધમાર વરસાદ, સૌથી વધુ દાંતામાં ખાબક્યો
અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયો 6 કરોડનો હાઈબ્રિડ ગાંજો
અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયો 6 કરોડનો હાઈબ્રિડ ગાંજો
કોણ કરશે સંઘર્ષ અને કોના જીવનમાં લાવશે ખુશીની લહેર?
કોણ કરશે સંઘર્ષ અને કોના જીવનમાં લાવશે ખુશીની લહેર?
g clip-path="url(#clip0_868_265)">