AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઈન્ડિગોએ દિવ્યાંગ કિશોરને ફ્લાઈટમાં ચઢતા રોક્યો, લોકો થયા નારાજ, ઉડ્ડયન મંત્રીએ કહ્યું- પગલાં લેવાશે

સ્ટાફના જણાવ્યા અનુસાર કિશોરને અસ્વસ્થતા હોવાથી ઈન્ડિગોની ફ્લાઈટમાં બેસવાની મંજૂરી આપવામાં આવી ન હતી. કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ આ મામલે કાર્યવાહી કરવાની વાત કરી છે.

ઈન્ડિગોએ દિવ્યાંગ કિશોરને ફ્લાઈટમાં ચઢતા રોક્યો, લોકો થયા નારાજ, ઉડ્ડયન મંત્રીએ કહ્યું- પગલાં લેવાશે
indigo
TV9 Gujarati
| Edited By: | Updated on: May 09, 2022 | 10:37 PM
Share

રાંચી એરપોર્ટ (Ranchi Airport) પર વિકલાંગ કિશોર સાથે ભેદભાવનો મામલો સામે આવ્યો છે. જે બાદ નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા પણ એક્શનમાં જોવા મળ્યા. તેણે ફરિયાદના ટ્વીટ પર સંજ્ઞાન લીધું અને કહ્યું કે તે પોતે આ મામલાની તપાસ કરી રહ્યા છે. તપાસ બાદ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. આ બાબત ફેસબુક અને ટ્વીટર પર ઘણા વપરાશકર્તાઓ દ્વારા શેયર કરવામાં આવી છે. આરોપ છે કે ઈન્ડિગો સ્ટાફ દ્વારા કિશોરને ફ્લાઈટમાં બેસવા દેવામાં આવ્યો ન હતો. બાળક અન્ય મુસાફરો માટે જોખમી હોવાનું કહેવાય છે. આ ફ્લાઈટ રાંચીથી હૈદરાબાદ જઈ રહી હતી. ટ્વીટ અનુસાર – આ આખી ઘટના એરપોર્ટ પર લગભગ 45 મિનિટ સુધી ચાલ્યો હતો.

વાસ્તવમાં અભિનંદન મિશ્રા નામના એક ટ્વીટર યુઝરે 8 મેના રોજ એક ટ્વીટ કર્યું હતું, તેના ટ્વીટમાં તેણે લખ્યું હતું – ‘ગઈકાલે ઈન્ડિગોના સ્ટાફે રાંચી એરપોર્ટ પર આવું કર્યું, ઈન્ડિગો તમને શરમ આવવી જોઈએ’. આ ટ્વીટમાં તેણે જ્યોતિરાદિત્ય સિંધિયા, ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન અને પીએમઓને ટેગ કર્યા છે. પોતાના ટ્વીટમાં અભિનંદને એમ પણ લખ્યું કે આ મામલે સખત કાર્યવાહી કરવાની જરૂર છે.

ઈન્ડિગોની સફાઈ

ટ્વીટમાં યુઝરે સમગ્ર મામલાની વિગતવાર માહિતી આપી છે. તે જ સમયે ઈન્ડિગોએ આ મામલે ખેદ વ્યક્ત કર્યો હતો. આ મામલે ઈન્ડિગોના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર રોનોજોય દત્તાનું નિવેદન પણ સામે આવ્યું છે. તેમણે આ ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યું છે. તેણે કબૂલ્યું છે કે આવું થયું છે. પરંતુ તેમનું કહેવું છે કે આ બધુ નિયમો હેઠળ થયું છે. શરૂઆતમાં ઈન્ડિગો બાળકને અને તેના પરિવારના સભ્યોને ફ્લાઈટમાં લઈ જવા માંગતી હતી, પરંતુ પછી બાળકના વર્તનને કારણે એવું લાગ્યું કે તેને તે ફ્લાઈટમાં ચઢવા દેવાનું યોગ્ય નથી. જેથી આકરો નિર્ણય લેવાયો હતો.

ઈન્ડિગો સામે શું આરોપ હતો?

ફરિયાદ અનુસાર વિકલાંગ કિશોરીને રાંચી એરપોર્ટ પર ઈન્ડિગોના કર્મચારીઓના કથિત અપમાનજનક વર્તનનો સામનો કરવો પડ્યો હતો. તે પોતાના માતા-પિતા સાથે કારમાં એરપોર્ટ પહોંચ્યો હતો. કારમાંથી ઉતર્યા બાદ તેણે તેના માતા-પિતા સાથે મળીને તેની સુરક્ષા તપાસ કરાવી. ટ્વીટ અનુસાર – તે ભૂખ્યો અને તરસ્યો, મૂંઝવણમાં અને નર્વસ પણ લાગતો હતો.

આ બધું જોઈને ઈન્ડિગોના ત્રણ કર્મચારીઓ આવ્યા અને તેઓએ કહ્યું કે જો તે (કિશોર) નોર્મલ નહીં થાય તો તેને ફ્લાઈટમાં બેસવા દેવામાં આવશે નહીં. આ પછી માતાએ કિશોરને જ્યુસ પીવડાવ્યો, દવાઓ આપી, ત્યારપછી તે નોર્મલ થઈ ગયો. ફ્લાઈટનો સમય થયો ત્યાં સુધીમાં આ કિશોરે ખાવાનું પણ ખાઈ લીધું હતું. પરંતુ તે પછી ઈન્ડિગોના સ્ટાફે કહ્યું કે તેઓ બાળકને ફ્લાઈટમાં ચઢવા દેતા નથી કારણ કે તે અન્ય મુસાફરો માટે જોખમી હશે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે આ દરમિયાન અન્ય મુસાફરો પણ એકઠા થઈ ગયા અને તેઓએ કહ્યું કે તેમને કિશોરથી કોઈ સમસ્યા નથી. આરોપ છે કે ઈન્ડિગોનો મેનેજર સતત બૂમો પાડી રહ્યો હતો કે આ બાળક બેકાબૂ છે અને તે ગભરાટની સ્થિતિમાં છે. ટ્વીટમાં અભિનંદનના જણાવ્યા અનુસાર આ કિશોર તેની વ્હીલચેર પર ખૂબ જ આરામથી બેઠો હતો. આ દરમિયાન અન્ય મુસાફરોએ પણ ઈન્ડિગો સ્ટાફની સતત પૂછપરછ કરતા કહ્યું કે બાળકને મુસાફરી કરવાનો સંપૂર્ણ અધિકાર છે. પરંતુ ઈન્ડિગોનો સ્ટાફ કંઈ સાંભળવા તૈયાર નહોતો.

યુઝરના કહેવા પ્રમાણે બાળક, તેના માતા-પિતા ત્યાં જ રોકાયા હતા. સિક્યુરિટી ગાર્ડે બોર્ડિંગ ગેટ પણ બંધ કરી દીધો હતો. બોર્ડિંગ ગેટ આગળ તેની માતા ગુસ્સે થઈ ગઈ અને બાળકને માર માર્યો. આ પછી એરલાઈને તે દિવસે બાળકને નહીં મોકલવાનો નિર્ણય કર્યો. જોકે, રવિવારે પરિવારને તેમના ગંતવ્ય સ્થાને રવાના કરવામાં આવ્યો હતો.

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">