Indian Army: ભારતીય સેના બ્રહ્મપુત્ર નદીની નીચે બનાવશે ટનલ, જાણો ચીનને ઘેરવાના આ Deadly plan વિશે

આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વાએ (CM Himant Biswa) જણાવ્યું હતું કે, "જે સુરંગ બનાવવાનો પ્રસ્તાવ આપવામાં આવ્યો છે તે બ્રહ્મપુત્ર નદીની નીચે મીસાથી શરૂ થશે અને તેજપુર સુધી જશે. ઉપરાંત તેની લંબાઈ 12 થી 15 કિલોમીટરની આસપાસ હશે."

Indian Army: ભારતીય સેના બ્રહ્મપુત્ર નદીની નીચે બનાવશે ટનલ, જાણો ચીનને ઘેરવાના આ Deadly plan વિશે
Brahmaputra River (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 14, 2021 | 10:41 AM

Indian Army: આસામના મુખ્યપ્રધાન હિમંત બિસ્વાએ(Hemant Biswa)  જણાવ્યું કે, ભારતીય સેના ઐતિહાસિક બ્રહ્મપુત્રા નદીની નીચે એક સુરંગ બનાવશે. આ ટનલની (Tunnel) મદદથી ભારતીય સેનાને ચીનને ઘેરવામાં મદદ મળશે. CM હિમંત બિસ્વાના જણાવ્યા અનુસાર, નદીની નીચે બનનાર આ ટનલ મનાલીની અટલ ટનલ (Atal Tunnel) જેવી હશે. વધુમાં જણાવ્યું કે,અરુણાચલ પ્રદેશ સાથે ચીનની સરહદ પર પડોશી દેશની આક્રમક નીતિઓને કારણે આ ટનલ ખૂબ મહત્વની સાબિત થશે.

ટનલ નિર્માણમાં 5000 કરોડનો ખર્ચ કરવામાં આવશે

હેમંત બિસ્વાના જણાવ્યા અનુસાર,આ સુરંગ બ્રહ્મપુત્ર નદીની (Brahmaputra River) નીચે મીસાથી શરૂ થશે અને તેજપુર સુધી જશે અને તેની લંબાઈ 12 થી 15 કિલોમીટરની આસપાસ હશે. હેમંત બિસ્વાએ જણાવ્યું હતુ કે, આસામમાં આંતરરાષ્ટ્રીય બોર્ડર સુધી પહોંચવા માટે ચીન પાસે 5 રસ્તા છે, જ્યારે ભારત પાસે માત્ર એક જ રસ્તો છે જે બોમડિલામાંથી પસાર થાય છે.

અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન
અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં

ઉપરાંત સેનાએ વધુ રસ્તા બનાવવાની યોજના બનાવી છે, જેથી અરુણાચલ પ્રદેશમાં (Arunachal Pradesh) ચીનની સરહદને માર્ગ દ્વારા જોડી શકાય. વધુમાં કહ્યું કે, જે ટનલ બનાવવામાં આવશે તેની મદદથી સેનાને કોઈપણ પરિસ્થિતિમાં તૈયાર રહેવા સક્ષમ બનાવશે.આપને જણાવી દઈએ કે, આ ટનલ બનાવવામાં 4,000 થી 5,000 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે.

ચીન સરહદ નજીક પ્રથમ વખત ટનલ બનાવવામાં આવશે

અહેવાલોનું માનીએ તો, મોદી સરકારે બ્રહ્મપુત્રા નદીની નીચે ચાર લેન ટનલ (Lane Tunnel) બનાવવાની મંજૂરી ગયા વર્ષ જ આપી હતી, જે ટનલ આસામના ગોહપુર અને નુમાલીગઢ શહેરને જોડવામાં આવશે. આપને જણાવી દઈએ કે બ્રહ્મપુત્રા નદી આસામ અને અરુણાચલ પ્રદેશમાંથી થઈને તિબેટ (Tibet)અને પછી ચીનમાં જાય છે. જો બ્રહ્મપુત્ર નદીની નીચે એક સુરંગ બનાવવામાં તે ચીન સરહદ નજીક બનાવવામાં આવેલી પ્રથમ ટનલ હશે.

હથિયારો પહોંચાડવામાં સરળતા રહેશે

અહેવાલો અનુસાર, ચીનના જિયાંગસુ પ્રાંતમાં તાઈહુ તળાવની નીચે બનાવવામાં આવી રહેલી સુરંગ કરતાં આ ટનલ લાંબી હશે. ઉપરાંત આ ટનલ ભારત માટે વ્યૂહાત્મક રીતે મહત્વની સાબિત થશે, કારણ કે આ સુરંગની મદદથી આસામ (Assam) અને અરુણાચલ પ્રદેશ જોડાયેલા રહી શકશે. જો સૂત્રોનું માનીએ તો, સુરંગની મદદથી લશ્કરી પુરવઠો અને શસ્ત્રોનો પુરવઠો પહોંચાડવામાં પણ મદદ થશે.

આપને જણાવવું રહ્યું કે,આ ટનલની અંદર 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે વાહનો દોડી શકશે. સંરક્ષણ સૂત્રોના જણાવ્યા અનુસાર, સેનાએ સરકારને બ્રહ્મપુત્રા નદીની નીચે ટનલ બનાવવા અંગે જણાવ્યું હતુ. સેનાએ જણાવ્યું કે, “દુશ્મનો પુલને સરળતાથી નિશાન બનાવી શકે છે, પરંતુ સુરંગના કારણે એવું થશે નહિ.”

આ પણ વાંચો: RBI એ આ બેંકનું લાયસન્સ રદ કર્યું, જાણો ખાતાધારકોના પૈસાનું શું થશે?

આ પણ વાંચો: Maharashtra: ડેલ્ટા પ્લસ વેરીએન્ટને કારણે અત્યાર સુધીમાં પાંચ લોકોના મુત્યુ, કુલ 66 કેસની પુષ્ટિ થતા આરોગ્યતંત્રની વધી ચિંતા

Latest News Updates

પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
g clip-path="url(#clip0_868_265)">