AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અંધારાનો લાભ લઈને LOC પાર કરી ભારતમાં ઘૂસતા જ સૈન્યે બે પાક આતંકવાદીઓને ઠાર કર્યા

ભારતીય સેનાએ જમ્મુ-કાશ્મીરના નૌશેરા સેક્ટરમાં (Naushera Sector) એલઓસી પર આતંકવાદીઓની ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો. આ સાથે જ 2 ઘૂસણખોરો માર્યા ગયા.

અંધારાનો લાભ લઈને LOC પાર કરી ભારતમાં ઘૂસતા જ સૈન્યે બે પાક આતંકવાદીઓને ઠાર કર્યા
Jammu Kashmir Terrorists (symbolic image)
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 23, 2022 | 10:37 AM
Share

જમ્મુ-કાશ્મીરમાં (Jammu Kashmir) આતંકવાદીઓની ઘૂસણખોરીના પ્રયાસો અવારનવાર થતા રહે છે. પરંતુ સેનાના જવાનોની તત્પરતાને કારણે ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ જાય છે. દરમિયાન, સર્ચ ઓપરેશન દરમિયાન, તાજેતરના દિવસોમાં ઘણા આતંકવાદીઓ માર્યા ગયા છે. તાજેતરનો મામલો રાજૌરી વિસ્તારનો છે. જમ્મુ-કાશ્મીરમાં રાજૌરીના નૌશેરા સેક્ટરમાં (Naushera Sector) એલઓસી પાસે 22-23 ઓગસ્ટની મધ્ય રાત્રે આતંકવાદીઓ ઘૂસણખોરી (Infiltration)નો પ્રયાસ કરી રહ્યા હતા, સતર્ક ભારતીય સેનાના જવાનોએ આ આતંકવાદીઓની અવરજવર જોઈ, પછી બે ઘૂસણખોરો પર ગોળીબાર કરીને બન્નેને ત્યાં જ ઠાર કરી દીધા.

આ રીતે ભારતીય સેના દ્વારા અંકુશ રેખા પર પાકિસ્તાની ઘૂસણખોરીના કાવતરાને નિષ્ફળ બનાવી દેવામાં આવ્યો છે અને હાલ આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. આ પહેલા રવિવારે ભારતીય સેનાએ નૌશેરા સેક્ટરમાં ઘૂસણખોરને ઠાર કર્યો હતો. ઘૂસણખોરની ઓળખ પાકિસ્તાની આતંકવાદી તબારક હુસૈન તરીકે થઈ હતી, પરંતુ આજે ફરી એકવાર પાકિસ્તાની આતંકવાદીઓ દ્વારા ઘૂસણખોરીનો પ્રયાસ કરવામાં આવ્યો છે, જેને ભારતીય સેનાએ સમયસર નિષ્ફળ બનાવ્યો છે. ભારતીય સૈન્યના અધિકારીઓએ જણાવ્યું કે 22 અને 23 ઓગસ્ટની મધ્યરાત્રિએ રાજૌરી જિલ્લાના નૌશેરા સેક્ટરમાં ભારતીય સેના દ્વારા ઘૂસણખોરીના કાવતરાને નિષ્ફળ બનાવવામાં આવ્યો હતો. બે ઘુસણખોરો માર્યા ગયા. હાલ આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.

રવિવારે લશ્કરનો ગાઈડ પકડાયો

સંરક્ષણ વિભાગના પ્રવક્તાએ માહિતી આપી હતી કે શંકાસ્પદ આતંકવાદીઓના એક જૂથે સરહદ પારથી અંધકારની આડમાં નૌશેરાના લામના પુખરાની ગામમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો. સોમવારે રાત્રે લગભગ 10 વાગ્યે એક આતંકવાદીએ લેન્ડમાઇન પર પગ મૂક્યો, જેના કારણે વિસ્ફોટ થયો. આતંકવાદીઓની હિલચાલ પર નજર રાખી રહેલા સેનાના જવાનોએ મંગળવારે સવારે વિસ્તારને ઘેરી લીધો હતો અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. નૌશેરા સેક્ટરમાં ઘૂસણખોરીનો આ પ્રયાસ એવા સમયે થયો છે જ્યારે સેનાએ રવિવારે ઘાયલ હાલતમાં લશ્કર-એ-તૈયબાના એક આતંકવાદીની ધરપકડ કરી હતી. આ વ્યક્તિ પાકિસ્તાન આર્મીના ઈન્ટેલિજન્સ યુનિટ માટે પણ કામ કરતો હતો. પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના સબજાકોટ ગામના રહેવાસી તબારક હુસૈન (32)ને નિયંત્રણ રેખા પાર કરવાનો પ્રયાસ કરતી વખતે ધરપકડ કરવામાં આવી હતી. છ વર્ષમાં બીજી વખત તેની ધરપકડ કરવામાં આવી છે.

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">