શું ભારત અને પાકિસ્તાન વચ્ચે થઈ ગયુ જંગનું એલાન? સૌપ્રથમ કોણ કરે છે યુદ્ધની ઔપચારીક જાહેરાત?- વાંચો
22 એપ્રિલે જમ્મુકાશ્મીરમાં પહલગામમાં આતંકી હુમલા બાદથી ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધ્યો છે. બંને દેશો વચ્ચે સૈન્ય સંઘર્ષ શરૂ છે. ભારતે ઍર સ્ટ્રાઈક કરી તેના અનેક આતંકી ઠેકાણાઓને નષ્ટ કરી દીધા છે. પાકિસ્તાન પણ અનેક મોટા શહેરો પર હુમલાનો નિષ્ફળ પ્રયાસ કરી ચુક્યુ છે. સતત ચેતવણી આવી રહી છે તો શું ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધની શરૂઆત થઈ ચુકી છે? શું હવે યુદ્ધની ઔપચારિક જાહેરાત થશે કે સંકેત પરથી જ સમજવાનું રહેશે?

6 મે ની રાત્રે ભારતે પાકિસ્તાનના આંતકી ઠેકાણાઓ પર હુમલા કરી પહલગામ હુમલાનો જવાબ આપ્યો. પરંતુ પાકિસ્તાને આ ભારતની આ કાર્યવાહીને ઉશ્કેરનારુ કૃત્ય ગણાવતા સરહદ પર અને ત્યાં સુધી કે સિવિલિયન વિસ્તારોમાં પણ હુમલા શરૂ કરી દીધા. ભારતીય સેનાએ તેનો પણ વળતો પ્રહાર કર્યો. કૂલ મળીને હાલ યુદ્ધ જેવી સ્થિતિ બનેલી છે. તો આનો અર્થ શું એ છે કે બંને દેશો વચ્ચે યુદ્ધ શરૂ થઈ ગયુ? જો હાં તો તેની સત્તાવાર જાહેરાત કોણ કરશે? એક બાદ એક સંઘર્ષના પડાવ સમજો ભલે જંગ એકાએક શરૂ થયેલી જોવા મળે પરંતુ આ પણ કોઈ બીમારીની જેમ ધીમે-ધીમે ફેલાય છે. જેમ શરૂઆત રાજકીય નિવેદનબાજીથી થાય છે. જેના મૂળમાં કોઈ ઘટના હોઈ શકે છે. જેમ ભારત અને પાકિસ્તાનની વાત કરીએ તો પહલગામ હુમલાને પાકિસ્તાન દ્વારા પ્રાયોજિત આતંકી હુમલા તરીકે ગણવામાં આવ્યો અને...