AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આ ચા છે ગુણકારી: રોગપ્રતિકારક શક્તિ વધારવા માટેનો કારગર ઉપાય, ઘરે જ બનાવો આ ખાસ ચા

આજે તમને એવી ચા વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે તમારી રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરી શકે. આ ચામાં ત્રણ વસ્તુ આદુ, લસણ અને હળદરનો ઉપયોગ કરવામાં આવે છે.

આ ચા છે ગુણકારી: રોગપ્રતિકારક શક્તિ વધારવા માટેનો કારગર ઉપાય, ઘરે જ બનાવો આ ખાસ ચા
પ્રતિકાત્મક તસ્વીર
| Updated on: May 10, 2021 | 3:00 PM
Share

આપણે બધા જાણીએ છીએ કે આ સમયે આપણી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવી આપણા બધા માટે કેટલું મહત્વનું બની ગયું છે. આરોગ્ય નિષ્ણાતો પણ મજબૂત ઇમ્યુનિટી પર સતત ભાર આપી રહ્યા છે. માત્ર સારી ઇમ્યુનિટી જ રોગોથી આપણને સુરક્ષિત કરી શકે છે અને વાયરલ ચેપનું જોખમ ઘટાડે છે.

જોકે એક દિવસમાં રોગપ્રતિકારક શક્તિ બનાવી શકાતી નથી, પરંતુ કેટલી એવી ખાદ્ય વસ્તુઓ છે જેનાથી રોગપ્રતિકારક શક્તિ ઝડપથી મજબૂત બને છે. ઇમ્યુનિટીને વધારવાનો પ્રથમ નિયમ એ છે કે યોગ્ય પ્રકારનો ખોરાક લેવો. આજે તમને એવી ચા વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે તમારી રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરી શકે. આ ચામાં ત્રણ વસ્તુ આદુ, લસણ અને હળદરનો ઉપયોગ કરવામાં આવે છે. તો ચાલો જાણીએ આ અદભૂત ચા વિશે.

આદુ ના ફાયદા

આદુમાં સક્રિય યૌગિક જીંજરોલ હોય છે જેમાં એનાલજેસિક, શામક, એન્ટિપ્રાયરેટિક અને એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે. ઇમ્યુનિટી વધારવા સાથે આદુ પાચનમાં મદદ કરે છે અને સાંધાનો દુખાવો ઘટાડે છે. તે શરદી અને ફ્લૂ સામે લડવામાં પણ મદદ કરે છે.

લસણના ફાયદા

લસણ માત્ર ખાદ્યપદાર્થોનો સ્વાદ જ વધારવામાં નહીં, પરંતુ ઘણા પોષક તત્વોથી પણ સમૃદ્ધ હોય છે. લસણમાં સલ્ફરની નોંધપાત્ર માત્રા હોય છે અને તે એન્ટીબાયોટીક ગુણધર્મોથી સમૃદ્ધ હોય છે. તે પાચનમાં પ્રોત્સાહન આપે છે અને શરીરમાંથી ટોક્સીનને બહાર કાઢે છે. તે શરદી અને ફ્લૂ સામે પણ રક્ષણ આપે છે.

હળદર

હળદર ઔષધીય ગુણધર્મોને કારણે સદીઓથી વપરાય છે. હળદરમાં ઘણા પોષક તત્વો હોય છે. તેમાં કર્ક્યુમિન નામનું સક્રિય સંયોજન પણ છે, જેમાં એન્ટીઓકિસડન્ટ, બળતરા વિરોધી અને એન્ટી બેક્ટેરિયલ ગુણધર્મો છે. તે શરદી અને ઉધરસને દૂર રાખવા, પાચનમાં સુધારો કરવા, યકૃતને શુદ્ધ કરવા અને રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવાનું કામ કરે છે.

આ રીતે બનાવો આદુ-લસણ અને હળદરની ચા

– લસણની બે કળીઓ

– અડધો ઇંચ આદુ

– અડધી ચમચી હળદર પાવડર

– અડધો કપ પાણી

સૌ પ્રથ હળદર, આદુ અને લસણમાં થોડું પાણી ઉમરી એણે વાટીને એનો પેસ્ટ બનાવો. તે બાદ એક વાસણમાં પાણી ઉકાળો અને ત્યારબાદ તેમાં પેસ્ટ નાખો. પછી તેને 5 મિનિટ માટે ઉકળવા દો. આ બાદ આ ચાને ગાળી લઈને એક કપમાં કાઢો. અને પછી તેમાં મધ અને લીંબુનો રસ ઉમેરો. અને આ નવા પ્રકારની ચાનો આનંદ માણો.

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

Follow Us
Breaking News: મુન્દ્રા ડ્રગ્સ કાંડમાં આતંકી કનેક્શનનો ખુલાસો!
Breaking News: મુન્દ્રા ડ્રગ્સ કાંડમાં આતંકી કનેક્શનનો ખુલાસો!
આજનું રાશિફળ : બિઝનેસમાં સાવચેતી રાખો, દિવસના અંતે રાહત મળશે
આજનું રાશિફળ : બિઝનેસમાં સાવચેતી રાખો, દિવસના અંતે રાહત મળશે
સાત જિલ્લામાં ચોમાસાનો પ્રારંભ: ખેડૂતોને મોટી રાહત, જુઓ Video
સાત જિલ્લામાં ચોમાસાનો પ્રારંભ: ખેડૂતોને મોટી રાહત, જુઓ Video
વડોદરામાં વરસાદ પહેલા ડ્રેનેજ પાઈપલાઈન નાખવાનો પ્રોજેક્ટ લટકી પડ્યો
વડોદરામાં વરસાદ પહેલા ડ્રેનેજ પાઈપલાઈન નાખવાનો પ્રોજેક્ટ લટકી પડ્યો
Vadodara: સંભવિત જળસંકટને નર્મદા નહેરનું પાણી મેળવવા હાથ ધરાઈ કવાયત્ત
Vadodara: સંભવિત જળસંકટને નર્મદા નહેરનું પાણી મેળવવા હાથ ધરાઈ કવાયત્ત
સુભાષ બ્રિજ સંપૂર્ણ તોડાશે, નવા 8 લેન બ્રિજને મંજૂરી
સુભાષ બ્રિજ સંપૂર્ણ તોડાશે, નવા 8 લેન બ્રિજને મંજૂરી
છોટાઉદેપુરમાં ખાતરની તીવ્ર અછત, ખેડૂતોને પાક નિષ્ફળ જવાનો ભય
છોટાઉદેપુરમાં ખાતરની તીવ્ર અછત, ખેડૂતોને પાક નિષ્ફળ જવાનો ભય
નીતિન પટેલ ટ્રાફિક જામમાં ફસાતા પોલીસકર્મીઓને ખખડાવ્યા,
નીતિન પટેલ ટ્રાફિક જામમાં ફસાતા પોલીસકર્મીઓને ખખડાવ્યા,
ડિમોલિશનના બહાને સરકારી કર્મીઓ અને પોલીસે '₹27 લાખ' જયાફત ઉડાવી
ડિમોલિશનના બહાને સરકારી કર્મીઓ અને પોલીસે '₹27 લાખ' જયાફત ઉડાવી
તંત્રની બેદરકારીના પાપે લાખોના ખર્ચે ખરીદેલા તરાપા બની ગયા ભંગાર
તંત્રની બેદરકારીના પાપે લાખોના ખર્ચે ખરીદેલા તરાપા બની ગયા ભંગાર
g clip-path="url(#clip0_868_265)">