Assam: CM સરમાએ અધિકારીઓને આપી ચેતવણી, કહ્યું ‘ભ્રષ્ટાચાર કરતા પકડાશો તો વાઘની જેમ કરીશ હુમલો’

મુખ્યપ્રધાન સરમાએ ગુવાહાટીમાં એક કાર્યક્રમ દરમિયાન કહ્યું કે તેમની સરકાર ભ્રષ્ટાચાર સહન નહીં કરે. જો કોઈ અધિકારી ભ્રષ્ટાચાર કરતા પકડાશે તો હું તેના પર વાઘની જેમ હુમલો કરીશ.

Assam: CM સરમાએ અધિકારીઓને આપી ચેતવણી, કહ્યું 'ભ્રષ્ટાચાર કરતા પકડાશો તો વાઘની જેમ કરીશ હુમલો'
CM Himanta Biswa Sarma (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 14, 2022 | 4:47 PM

Assam:  આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા (CM Himanta Biswa Sarma) આજકાલ પોતાના વિવાદિત નિવેદનોને કારણે ખૂબ ચર્ચામાં છે. આ દરમિયાન તેમણે વધુ એક એવું નિવેદન આપ્યું છે, જેને સાંભળીને અધિકારીઓના હોશ ઉડી ગયા છે. CM સરમાએ ગુવાહાટીમાં (Guwahati) એક કાર્યક્રમ દરમિયાન કહ્યું કે તેમની સરકાર ભ્રષ્ટાચાર સહન નહીં કરે. જો કોઈ અધિકારી ભ્રષ્ટાચાર કરતા પકડાશે તો હું તેના પર વાઘની જેમ હુમલો કરીશ.

CM સરમાનું ચોંકાવનારૂ નિવેદન

તમને જણાવી દઈએ કે સરમા રવિવારે 15મા નાણાંપંચની ગ્રાન્ટ હેઠળ ગુવાહાટીના શ્રીમંત શંકરદેવ કાલકાક્ષેત્ર ખાતે “Utilization of Tied Fund”ની એક કોન્ફરન્સમાં પીઆરઆઈ સભ્યો, પંચાયત અધિકારીઓ અને ગ્રામીણ વિકાસ અને જાહેર આરોગ્ય એન્જિનિયરિંગ વિભાગ સાથે વાતચીત કરી રહ્યા હતા. આ દરમિયાન તેણે આ નિવેદન આપ્યુ હતુ.

આસામને બદલવું પડશે

વધુમાં મુખ્યમંત્રી સરમાએ કહ્યું કે ‘આસામને બદલવું પડશે. જો કોઈ વ્યક્તિ પ્રધાનમંત્રી જન આવાસ યોજના હેઠળ 2,000 રૂપિયા લે છે અને મને તેની જાણ થાય છે તો હું તે વ્યક્તિ પર વાઘની જેમ હુમલો કરીશ. હું એક હેલ્પલાઈન નંબર પણ જાહેર કરી રહ્યો છું અને લોકોને કહીશ કે જો કોઈ પૈસા માંગે તો રાજ્યના હેલ્પલાઈન નંબર પર ફોન કરીને તેમની ફરિયાદ આપો અને મને પણ જણાવો.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

2024 સુધીમાં તમામ ગ્રામીણ ઘરોમાં સુરક્ષિત નળનું પાણી પહોંચશે

મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે તેમની સરકાર જલ જીવન મિશન (JJM) હેઠળ 2024 સુધીમાં આસામના તમામ ગ્રામીણ પરિવારોને સુરક્ષિત નળનું પાણી પૂરું પાડવાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના (PM Narendra Modi) વિઝનને આગળ ધપાવવા પ્રતિબદ્ધ છે. સરમાએ એમ પણ કહ્યું કે ‘PM મોદીએ JJM હેઠળ ‘હર ઘર નલ જલ’ પ્રદાન કરીને ગ્રામીણ ભારતમાં મોટું પરિવર્તન લાવ્યું છે.

આ સાથે જ તેણે એ વાત પર પણ ભાર મૂક્યો હતો કે યોજનાના સંચાલન માટે તમામ 24 હજાર પાણી પુરવઠા યોજનાઓમાં તકનીકી રીતે સ્વયંસેવકોની પસંદગી કરવામાં આવશે, જે દરેક ગ્રામીણ પરિવારને પીવાના પાણીનો પૂરતો પુરવઠો સુનિશ્ચિત કરવામાં મદદરૂપ બનશે.

આ પણ વાંચો : દિલ્હીના પૂર્વ ધારાસભ્ય રામબીર શૌકીનને ઝટકો, સુપ્રીમ કોર્ટે જામીન આપવાનો કર્યો ઈન્કાર

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">